Paytmના શેરમાં હાહાકાર, સતત લાગી રહી છે લોઅર સર્કિટ, રોકાણકારોમાં શેર વેચવાની હોડ


  • Published By :
  • Published Date : 2024-02-05 14:29:16

વન 97 કોમ્યુનિકેશન્સ એટલે કે Paytm (One 97 Communications Ltd) ના શેરમાં હાહાકાર મચ્યો છે. આજે પણ બજાર ખુલતાની સાથે જ Paytmના શેર 10 ટકા તૂટ્યા અને લોઅર સર્કિટ પર પહોંચી ગયા છે. Paytmના શેરમાં સતત નીચલી સર્કિટ જોવા મળી રહી છે. રોકાણકારોમાં શેર વેચવા માટે દોડધામ મચી છે. પેટીએમનો શેર આજે ઘટીને રૂ. 438.50 પર ખૂલ્યો હતો. રોકાણકારોમાં શેર વેચવા માટે હોડ લગાવી છે. Paytmના શેરમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંકે Paytm Payments Bank Limitedને ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ પર થાપણો સ્વીકારવા અથવા ફાસ્ટેગમાં ટોપ અપ કરવા પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યો છે.


RBIની આકરી કાર્યવાહી


રિઝર્વ બેંકે બેંકિંગ એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. આ હેઠળ, હવે Paytm બેંક લિમિટેડ તરફથી કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં.


5 દિવસમાં 40 ટકાથી વધુ ઘટ્યો


છેલ્લા 5 દિવસમાં Paytmના શેરમાં 42.35 ટકાનો ઘટાડો થયો છે. આ શેર પાંચ દિવસ પહેલા રૂ.760.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. હવે તે 440 રૂપિયાની નીચે આવી ગયો છે. Paytmના શેરમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે પેટીએમના શેર સુસ્ત હતા. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ નજીવો ઘટીને રૂ.761 હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ.774ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે 20 ઓક્ટોબર, 2023ના રોજ શેર રૂ. 998.30ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.