Paytmના શેરમાં હાહાકાર, સતત લાગી રહી છે લોઅર સર્કિટ, રોકાણકારોમાં શેર વેચવાની હોડ


  • Published By :
  • Published Date : 2024-02-05 14:29:16

વન 97 કોમ્યુનિકેશન્સ એટલે કે Paytm (One 97 Communications Ltd) ના શેરમાં હાહાકાર મચ્યો છે. આજે પણ બજાર ખુલતાની સાથે જ Paytmના શેર 10 ટકા તૂટ્યા અને લોઅર સર્કિટ પર પહોંચી ગયા છે. Paytmના શેરમાં સતત નીચલી સર્કિટ જોવા મળી રહી છે. રોકાણકારોમાં શેર વેચવા માટે દોડધામ મચી છે. પેટીએમનો શેર આજે ઘટીને રૂ. 438.50 પર ખૂલ્યો હતો. રોકાણકારોમાં શેર વેચવા માટે હોડ લગાવી છે. Paytmના શેરમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંકે Paytm Payments Bank Limitedને ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ પર થાપણો સ્વીકારવા અથવા ફાસ્ટેગમાં ટોપ અપ કરવા પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યો છે.


RBIની આકરી કાર્યવાહી


રિઝર્વ બેંકે બેંકિંગ એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. આ હેઠળ, હવે Paytm બેંક લિમિટેડ તરફથી કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં.


5 દિવસમાં 40 ટકાથી વધુ ઘટ્યો


છેલ્લા 5 દિવસમાં Paytmના શેરમાં 42.35 ટકાનો ઘટાડો થયો છે. આ શેર પાંચ દિવસ પહેલા રૂ.760.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. હવે તે 440 રૂપિયાની નીચે આવી ગયો છે. Paytmના શેરમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે પેટીએમના શેર સુસ્ત હતા. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ નજીવો ઘટીને રૂ.761 હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ.774ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે 20 ઓક્ટોબર, 2023ના રોજ શેર રૂ. 998.30ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો.



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.