Paytmના શેરમાં હાહાકાર, સતત લાગી રહી છે લોઅર સર્કિટ, રોકાણકારોમાં શેર વેચવાની હોડ


  • Published By :
  • Published Date : 2024-02-05 14:29:16

વન 97 કોમ્યુનિકેશન્સ એટલે કે Paytm (One 97 Communications Ltd) ના શેરમાં હાહાકાર મચ્યો છે. આજે પણ બજાર ખુલતાની સાથે જ Paytmના શેર 10 ટકા તૂટ્યા અને લોઅર સર્કિટ પર પહોંચી ગયા છે. Paytmના શેરમાં સતત નીચલી સર્કિટ જોવા મળી રહી છે. રોકાણકારોમાં શેર વેચવા માટે દોડધામ મચી છે. પેટીએમનો શેર આજે ઘટીને રૂ. 438.50 પર ખૂલ્યો હતો. રોકાણકારોમાં શેર વેચવા માટે હોડ લગાવી છે. Paytmના શેરમાં આ ઘટાડો ભારતીય રિઝર્વ બેંકે Paytm Payments Bank Limitedને ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ પર થાપણો સ્વીકારવા અથવા ફાસ્ટેગમાં ટોપ અપ કરવા પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યો છે.


RBIની આકરી કાર્યવાહી


રિઝર્વ બેંકે બેંકિંગ એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. આ હેઠળ, હવે Paytm બેંક લિમિટેડ તરફથી કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં.


5 દિવસમાં 40 ટકાથી વધુ ઘટ્યો


છેલ્લા 5 દિવસમાં Paytmના શેરમાં 42.35 ટકાનો ઘટાડો થયો છે. આ શેર પાંચ દિવસ પહેલા રૂ.760.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. હવે તે 440 રૂપિયાની નીચે આવી ગયો છે. Paytmના શેરમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે પેટીએમના શેર સુસ્ત હતા. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ નજીવો ઘટીને રૂ.761 હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ.774ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે 20 ઓક્ટોબર, 2023ના રોજ શેર રૂ. 998.30ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.