Paytmના શેરોમાં ફરી ઘટાડો, 10 દિવસમાં રોકાણકારોના 26,000 કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-02-14 14:44:22

દેશની સૌથી મોટી ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડના શેરોમાં ફરીથી મોટો ઘટાડો શરૂ થયો છે. માત્ર 10 દિવસમાં જ રોકાણકારોના લગભગ 26 હજાર કરોડ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. પેટીએમના શેરોમાં આ ઘટાડો એટલા માટે આવ્યો છે કારણ કે દેશના કિરાણા સ્ટોર્સે પેટીએમ પેમેન્ટનો ઉપયોગ  કરવાનું બંધ કરી દીધું છે. તે ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે પણ તેના વલણમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેની અસર વન 97 કોમ્યુનિકએશનના શેરો પર થઈ છે.


આજે પેટીએમનો શેર 9 ટકા તુટ્યો


આજે બુધવારે પેટીએમનો શેર 9 ટકા જેટલો તુટ્યો છે. બિએસઈ પર તેનો ભાવ 344.90  રૂપિયાના નીચલા સ્તર પર આવી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કંપનીએ તેનું મૂલ્ય 55 ટકાથી વધુ ગુમાવી દીધું છે. માર્કેટ કેપની દ્રષ્ટીએ જોઈએ તો તે લગભગ 26 હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ગ્લોબલ બ્રોકિંગ ફર્મ  Macquarieએ આ અંડરપર્ફોર્મ રેટીંગ આપ્યું છે.  Macquarieએ તેના માટે રૂ. 275  ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે.   



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .