Paytmના શેરોમાં ફરી ઘટાડો, 10 દિવસમાં રોકાણકારોના 26,000 કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-02-14 14:44:22

દેશની સૌથી મોટી ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડના શેરોમાં ફરીથી મોટો ઘટાડો શરૂ થયો છે. માત્ર 10 દિવસમાં જ રોકાણકારોના લગભગ 26 હજાર કરોડ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. પેટીએમના શેરોમાં આ ઘટાડો એટલા માટે આવ્યો છે કારણ કે દેશના કિરાણા સ્ટોર્સે પેટીએમ પેમેન્ટનો ઉપયોગ  કરવાનું બંધ કરી દીધું છે. તે ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે પણ તેના વલણમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેની અસર વન 97 કોમ્યુનિકએશનના શેરો પર થઈ છે.


આજે પેટીએમનો શેર 9 ટકા તુટ્યો


આજે બુધવારે પેટીએમનો શેર 9 ટકા જેટલો તુટ્યો છે. બિએસઈ પર તેનો ભાવ 344.90  રૂપિયાના નીચલા સ્તર પર આવી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કંપનીએ તેનું મૂલ્ય 55 ટકાથી વધુ ગુમાવી દીધું છે. માર્કેટ કેપની દ્રષ્ટીએ જોઈએ તો તે લગભગ 26 હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ગ્લોબલ બ્રોકિંગ ફર્મ  Macquarieએ આ અંડરપર્ફોર્મ રેટીંગ આપ્યું છે.  Macquarieએ તેના માટે રૂ. 275  ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.