Paytmના શેરોમાં ફરી ઘટાડો, 10 દિવસમાં રોકાણકારોના 26,000 કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-02-14 14:44:22

દેશની સૌથી મોટી ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડના શેરોમાં ફરીથી મોટો ઘટાડો શરૂ થયો છે. માત્ર 10 દિવસમાં જ રોકાણકારોના લગભગ 26 હજાર કરોડ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. પેટીએમના શેરોમાં આ ઘટાડો એટલા માટે આવ્યો છે કારણ કે દેશના કિરાણા સ્ટોર્સે પેટીએમ પેમેન્ટનો ઉપયોગ  કરવાનું બંધ કરી દીધું છે. તે ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે પણ તેના વલણમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેની અસર વન 97 કોમ્યુનિકએશનના શેરો પર થઈ છે.


આજે પેટીએમનો શેર 9 ટકા તુટ્યો


આજે બુધવારે પેટીએમનો શેર 9 ટકા જેટલો તુટ્યો છે. બિએસઈ પર તેનો ભાવ 344.90  રૂપિયાના નીચલા સ્તર પર આવી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કંપનીએ તેનું મૂલ્ય 55 ટકાથી વધુ ગુમાવી દીધું છે. માર્કેટ કેપની દ્રષ્ટીએ જોઈએ તો તે લગભગ 26 હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ગ્લોબલ બ્રોકિંગ ફર્મ  Macquarieએ આ અંડરપર્ફોર્મ રેટીંગ આપ્યું છે.  Macquarieએ તેના માટે રૂ. 275  ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે.   



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.