એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને લોકોએ સ્વીકારી, મેટ્રોમાં જોવા મળ્યો પેસેન્જરોનો ઘસારો


  • Published By :
  • Published Date : 2022-10-25 12:49:02

દિવાળીના દિવસો દરમિયાન લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે અમદાવાદના લોકો મેટ્રોમાં પ્રવાસ કરી દિવાળીમાં ફરી રહ્યા છે. મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તહેવારો દરમિયાન મેટ્રોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં વધુ પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વધતા મુસાફરોને કારણે ટ્રેનની ફ્રિકવન્સીને વધારી દેવામાં આવી હતી. 30ના બદલે 15 મીનિટમાં ટ્રેનને દોડાવાઈ હતી. 

Ahmedabad to get gift of Metro on Navratri

અમદાવાદીઓનો મળી રહ્યો છે સહયોગ

અમદાવાદીઓ એમ પણ ફરવાના શોખીન હોય છે. અનેક લોકો મેટ્રોમાં સફર કેવી હોય છે તે માટે પણ મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેટ્રોના બંને રૂટ એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેને કારણે લોકોનો ઘસારો વધી ગયો છે પરંતુ શનિવાર તેમજ રવિવારના દિવસે પણ લોકો મેટ્રોની મોજ લેવા માટે આવતા હોય છે. લોકોનો ઘસારો વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 મીનિટને બદલે 15 મીનિટે પણ દોડાવી હતી.   

એક મહિનામાં એક કરોડની મેટ્રોને થઈ આવક 

છેલ્લા એક મહિનાથી મેટ્રો અમદાવાદમાં દોડી રહી છે. લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ થઈ રહ્યા છે. મળતા આંકડા મુજબ મેટ્રોની આવક એક કરોડને વટાવી ચૂકી છે. નવા કોરિડોર તૈયાર કરાય તો લોકોને પણ સગવડ રહે અને મેટ્રોની આવકમાં પણ વધારો થાય.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.