એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને લોકોએ સ્વીકારી, મેટ્રોમાં જોવા મળ્યો પેસેન્જરોનો ઘસારો


  • Published By :
  • Published Date : 2022-10-25 12:49:02

દિવાળીના દિવસો દરમિયાન લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે અમદાવાદના લોકો મેટ્રોમાં પ્રવાસ કરી દિવાળીમાં ફરી રહ્યા છે. મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તહેવારો દરમિયાન મેટ્રોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં વધુ પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વધતા મુસાફરોને કારણે ટ્રેનની ફ્રિકવન્સીને વધારી દેવામાં આવી હતી. 30ના બદલે 15 મીનિટમાં ટ્રેનને દોડાવાઈ હતી. 

Ahmedabad to get gift of Metro on Navratri

અમદાવાદીઓનો મળી રહ્યો છે સહયોગ

અમદાવાદીઓ એમ પણ ફરવાના શોખીન હોય છે. અનેક લોકો મેટ્રોમાં સફર કેવી હોય છે તે માટે પણ મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેટ્રોના બંને રૂટ એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેને કારણે લોકોનો ઘસારો વધી ગયો છે પરંતુ શનિવાર તેમજ રવિવારના દિવસે પણ લોકો મેટ્રોની મોજ લેવા માટે આવતા હોય છે. લોકોનો ઘસારો વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 મીનિટને બદલે 15 મીનિટે પણ દોડાવી હતી.   

એક મહિનામાં એક કરોડની મેટ્રોને થઈ આવક 

છેલ્લા એક મહિનાથી મેટ્રો અમદાવાદમાં દોડી રહી છે. લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ થઈ રહ્યા છે. મળતા આંકડા મુજબ મેટ્રોની આવક એક કરોડને વટાવી ચૂકી છે. નવા કોરિડોર તૈયાર કરાય તો લોકોને પણ સગવડ રહે અને મેટ્રોની આવકમાં પણ વધારો થાય.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.