એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને લોકોએ સ્વીકારી, મેટ્રોમાં જોવા મળ્યો પેસેન્જરોનો ઘસારો


  • Published By :
  • Published Date : 2022-10-25 12:49:02

દિવાળીના દિવસો દરમિયાન લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે અમદાવાદના લોકો મેટ્રોમાં પ્રવાસ કરી દિવાળીમાં ફરી રહ્યા છે. મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તહેવારો દરમિયાન મેટ્રોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં વધુ પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વધતા મુસાફરોને કારણે ટ્રેનની ફ્રિકવન્સીને વધારી દેવામાં આવી હતી. 30ના બદલે 15 મીનિટમાં ટ્રેનને દોડાવાઈ હતી. 

Ahmedabad to get gift of Metro on Navratri

અમદાવાદીઓનો મળી રહ્યો છે સહયોગ

અમદાવાદીઓ એમ પણ ફરવાના શોખીન હોય છે. અનેક લોકો મેટ્રોમાં સફર કેવી હોય છે તે માટે પણ મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. એક મહિના પહેલા શરૂ થયેલી મેટ્રોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેટ્રોના બંને રૂટ એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને કોરિડોર પર અમદાવાદીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેને કારણે લોકોનો ઘસારો વધી ગયો છે પરંતુ શનિવાર તેમજ રવિવારના દિવસે પણ લોકો મેટ્રોની મોજ લેવા માટે આવતા હોય છે. લોકોનો ઘસારો વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 મીનિટને બદલે 15 મીનિટે પણ દોડાવી હતી.   

એક મહિનામાં એક કરોડની મેટ્રોને થઈ આવક 

છેલ્લા એક મહિનાથી મેટ્રો અમદાવાદમાં દોડી રહી છે. લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરવા તલપાપડ થઈ રહ્યા છે. મળતા આંકડા મુજબ મેટ્રોની આવક એક કરોડને વટાવી ચૂકી છે. નવા કોરિડોર તૈયાર કરાય તો લોકોને પણ સગવડ રહે અને મેટ્રોની આવકમાં પણ વધારો થાય.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.