ગુજરાતના અધિકારીના નિર્ણયને લોકોએ ભરપેટ વખાણ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:56:49

કહેવામાં આવે છે મોટા અધિકારીઓ પ્રેરણાના સ્ત્રોત હોય છે. લાખો લોકો તેમના જીવનના સંઘર્ષમાંથી પ્રેરણા લેતા હોય છે. તેવામાં દાહોદના ડીડીઓના નિર્ણયની ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દાહોદના આદિવાસી ક્ષેત્રોમાં તેમના નિર્ણયથી પ્રેરણા લેવાઈ રહી છે. 


DDOએ દિકરાને સરકારી આંગણવાડીમાં મૂક્યો  

દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને પણ નવી દિશા મળશે અને ગુજરાતના લોકોને પણ એક સકારાત્મક સંદેશ મળશે. ગુજરાત તો ઠીક દેશમાં પણ એવું ઓછું જોવા મળે છે કે ક્લાસ વન અધિકારીઓના છોકરાઓ સરકારી શાળા કે આંગણવાડીમાં ભણતા હોય. દાહોદ વિસ્તારમાં આદિવાસી લોકોનું પ્રમાણ વધારે છે. આદિવાસી લોકોએ કુદરત બાજુ વધુ અને આધુનિક જીવન તરફ દૂર રહેતા હોય છે. તેવામાં દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયથી તેમને પણ પ્રેરણા મળશે. 


લોકોને પ્રેરણા મળે તે માટે નિર્ણય લીધો

દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોની સંખ્યા વધારે છે. તેમને શિક્ષણ મળે અને તેઓ શિક્ષણ તરફ વળે તેના માટે આ નિર્ણય લીધો હતો. અધિકારીએ દિકરાને આંગણવાડીમાં મૂક્યો છે તેમાં તેમનું માનવું છે કે બીજા લોકોને પણ સરકારી શિક્ષણ તરફ વિશ્વાસ વધશે. 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે