ગુજરાતના અધિકારીના નિર્ણયને લોકોએ ભરપેટ વખાણ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:56:49

કહેવામાં આવે છે મોટા અધિકારીઓ પ્રેરણાના સ્ત્રોત હોય છે. લાખો લોકો તેમના જીવનના સંઘર્ષમાંથી પ્રેરણા લેતા હોય છે. તેવામાં દાહોદના ડીડીઓના નિર્ણયની ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દાહોદના આદિવાસી ક્ષેત્રોમાં તેમના નિર્ણયથી પ્રેરણા લેવાઈ રહી છે. 


DDOએ દિકરાને સરકારી આંગણવાડીમાં મૂક્યો  

દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને પણ નવી દિશા મળશે અને ગુજરાતના લોકોને પણ એક સકારાત્મક સંદેશ મળશે. ગુજરાત તો ઠીક દેશમાં પણ એવું ઓછું જોવા મળે છે કે ક્લાસ વન અધિકારીઓના છોકરાઓ સરકારી શાળા કે આંગણવાડીમાં ભણતા હોય. દાહોદ વિસ્તારમાં આદિવાસી લોકોનું પ્રમાણ વધારે છે. આદિવાસી લોકોએ કુદરત બાજુ વધુ અને આધુનિક જીવન તરફ દૂર રહેતા હોય છે. તેવામાં દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયથી તેમને પણ પ્રેરણા મળશે. 


લોકોને પ્રેરણા મળે તે માટે નિર્ણય લીધો

દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોની સંખ્યા વધારે છે. તેમને શિક્ષણ મળે અને તેઓ શિક્ષણ તરફ વળે તેના માટે આ નિર્ણય લીધો હતો. અધિકારીએ દિકરાને આંગણવાડીમાં મૂક્યો છે તેમાં તેમનું માનવું છે કે બીજા લોકોને પણ સરકારી શિક્ષણ તરફ વિશ્વાસ વધશે. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.