ગુજરાતના અધિકારીના નિર્ણયને લોકોએ ભરપેટ વખાણ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:56:49

કહેવામાં આવે છે મોટા અધિકારીઓ પ્રેરણાના સ્ત્રોત હોય છે. લાખો લોકો તેમના જીવનના સંઘર્ષમાંથી પ્રેરણા લેતા હોય છે. તેવામાં દાહોદના ડીડીઓના નિર્ણયની ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દાહોદના આદિવાસી ક્ષેત્રોમાં તેમના નિર્ણયથી પ્રેરણા લેવાઈ રહી છે. 


DDOએ દિકરાને સરકારી આંગણવાડીમાં મૂક્યો  

દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને પણ નવી દિશા મળશે અને ગુજરાતના લોકોને પણ એક સકારાત્મક સંદેશ મળશે. ગુજરાત તો ઠીક દેશમાં પણ એવું ઓછું જોવા મળે છે કે ક્લાસ વન અધિકારીઓના છોકરાઓ સરકારી શાળા કે આંગણવાડીમાં ભણતા હોય. દાહોદ વિસ્તારમાં આદિવાસી લોકોનું પ્રમાણ વધારે છે. આદિવાસી લોકોએ કુદરત બાજુ વધુ અને આધુનિક જીવન તરફ દૂર રહેતા હોય છે. તેવામાં દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયથી તેમને પણ પ્રેરણા મળશે. 


લોકોને પ્રેરણા મળે તે માટે નિર્ણય લીધો

દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોની સંખ્યા વધારે છે. તેમને શિક્ષણ મળે અને તેઓ શિક્ષણ તરફ વળે તેના માટે આ નિર્ણય લીધો હતો. અધિકારીએ દિકરાને આંગણવાડીમાં મૂક્યો છે તેમાં તેમનું માનવું છે કે બીજા લોકોને પણ સરકારી શિક્ષણ તરફ વિશ્વાસ વધશે. 





આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.