Rajasthanમાં આટલા ઓછા ભાવે ટામેટા ખરીદવા થઈ લોકોની પડાપડી! ભીડ ભેગી થતાં બોલાવી પડી પોલીસ, જુઓ પડાપડીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-07 10:38:37

ટામેટાના ભાવ લોકોને લાલ આંસુએ રોવડાવી રહી છે. માત્ર થોડા સમયની અંદર જ અનેક જગ્યાઓ પર ટામેટાના ભાવ અનેક ઘણા વધી ગયા છે. એવા પણ સમાચારો સામે આવી રહ્યા છીએ આવનાર દિવસોમાં હજી પણ ભાવમાં વધારો થઈ શકે છે. ટામેટાના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ એવા પણ સમાચારો સાંભળવા મળ્યા હતા કે ડુંગળીના ભાવ પણ વધવાના છે. લોકો મોંઘવારીનો માર સહન કરી જ રહ્યા હતા ત્યાં રાજસ્થાનના જયપુરમાંથી ટામેટા મામલે અજીબ સમાચાર સામે આવ્યા છે જો કે અજીબ ન કહેવાય. કારણ કે આપણે ટામેટાના ભાવ વધ્યા ત્યારથી ટામેટાની ચોરીના સમાચારો તો જોયા છે પણ આજે સસ્તા ટમેટા લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ હતી જો કે સસ્તા ટામેટાની લૂંટ ન થાય તેના માટે પોલીસ પણ બોલાવવી પડી હતી.  

70 રૂપિયે કિલોના ભાવે ટામેટાં ખરીદવા આવેલી મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. જે બાદ માંડ માંડ ભીડે મામલો થાળે પાડ્યો હતો.

ઓછા ભાવે ટામેટા લેવા થઈ લોકોની પડાપડી!

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે શનિવારે ચાર સ્થળોએ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું હતું. ટામેટાં વેચવાનો સમય સવારે દસથી સાંજના સાત વાગ્યાનો હતો. હાલ બજારમાં ટામેટા સોનાના ભાવ સમાન મળી રહ્યા છે ત્યારે સસ્તા ટામેટા જોઈ લોકોનું ટોળું ભેગું થવું સ્વાભાવિક છે. એમ પણ જ્યાં સસ્તી વસ્તુ મળતી હોય ત્યાં લોકોનું ટોળું પણ જોવા મળતું હોય છે. હું ટામેટા લઈ લઉં, હું ટામેટા લઈ લઉંના ચક્કરમાં લોકોએ પડાપડી કરી હતી. આ દરમિયાન જયપુરના રામનગર સ્થિત કેન્દ્ર પર વધુ ભીડને કારણે લોકો વચ્ચે ટામેટા લેવા માટે અંદરો અંદર મારામારી પણ થઈ હતી. પોતાના વારો માટે ટામેટાં લેવા પહોંચેલા લોકોએ જલદી ટામેટા લેવાના ચક્કરમાં લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.  માહોલ ખૂબ ઉગ્ર થઈ જતા રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘને વેચાણ બંધ કરવું પડ્યું હતું. જો કે સંઘે ઘર્ષણ ન થાય તેના માટે પોલીસને બોલાવી લીધી હતી. થોડા સમય બાદ પોલીસની હાજરીમાં ફરીવાર વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું.

ટામેટાં વેચવા માટે રામનગરના સેન્ટર પર પોલીસ બોલાવવી પડી હતી.

70 રૂપિયે કિલો વેચાયા ટામેટા 

આમ તો જયપુરની બજારોમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે સાંજના સાત વાગ્યા સુધી ટામેટાં વેચવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ લોકોએ સંઘ પાસેથી એટલા ટામેટા લીધા કે લગભગ બપોરે બે વાગ્યે જ ટામેટાનો સ્ટોક ખતમ થઈ ગયો અને વેચાણ બંધ કરવું પડ્યું હતું. બપોર બાદ જ ટામેટાં ખતમ થઈ જતાં અનેક લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે શનિવાર પહેલા શુક્રવારે પણ કેન્દ્રો પર ઘણી ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં લોકોને બજાર ભાવથી સસ્તા ટામેટા મળી રહે તેના માટે  NCCF એટલે કે નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટીવ ફેડરેશન જયપુરના ચાર કેન્દ્રો પર ટામેટા વેંચી રહી છે. જયપુરના મહેશ નગર, આનંદ ભવન, વૈશાલી નગર અને સોડાલા ખાતે શુક્રવાર અને શનિવાર એમ દિવસથી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.