Rajasthanમાં આટલા ઓછા ભાવે ટામેટા ખરીદવા થઈ લોકોની પડાપડી! ભીડ ભેગી થતાં બોલાવી પડી પોલીસ, જુઓ પડાપડીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-07 10:38:37

ટામેટાના ભાવ લોકોને લાલ આંસુએ રોવડાવી રહી છે. માત્ર થોડા સમયની અંદર જ અનેક જગ્યાઓ પર ટામેટાના ભાવ અનેક ઘણા વધી ગયા છે. એવા પણ સમાચારો સામે આવી રહ્યા છીએ આવનાર દિવસોમાં હજી પણ ભાવમાં વધારો થઈ શકે છે. ટામેટાના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ એવા પણ સમાચારો સાંભળવા મળ્યા હતા કે ડુંગળીના ભાવ પણ વધવાના છે. લોકો મોંઘવારીનો માર સહન કરી જ રહ્યા હતા ત્યાં રાજસ્થાનના જયપુરમાંથી ટામેટા મામલે અજીબ સમાચાર સામે આવ્યા છે જો કે અજીબ ન કહેવાય. કારણ કે આપણે ટામેટાના ભાવ વધ્યા ત્યારથી ટામેટાની ચોરીના સમાચારો તો જોયા છે પણ આજે સસ્તા ટમેટા લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ હતી જો કે સસ્તા ટામેટાની લૂંટ ન થાય તેના માટે પોલીસ પણ બોલાવવી પડી હતી.  

70 રૂપિયે કિલોના ભાવે ટામેટાં ખરીદવા આવેલી મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. જે બાદ માંડ માંડ ભીડે મામલો થાળે પાડ્યો હતો.

ઓછા ભાવે ટામેટા લેવા થઈ લોકોની પડાપડી!

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે શનિવારે ચાર સ્થળોએ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું હતું. ટામેટાં વેચવાનો સમય સવારે દસથી સાંજના સાત વાગ્યાનો હતો. હાલ બજારમાં ટામેટા સોનાના ભાવ સમાન મળી રહ્યા છે ત્યારે સસ્તા ટામેટા જોઈ લોકોનું ટોળું ભેગું થવું સ્વાભાવિક છે. એમ પણ જ્યાં સસ્તી વસ્તુ મળતી હોય ત્યાં લોકોનું ટોળું પણ જોવા મળતું હોય છે. હું ટામેટા લઈ લઉં, હું ટામેટા લઈ લઉંના ચક્કરમાં લોકોએ પડાપડી કરી હતી. આ દરમિયાન જયપુરના રામનગર સ્થિત કેન્દ્ર પર વધુ ભીડને કારણે લોકો વચ્ચે ટામેટા લેવા માટે અંદરો અંદર મારામારી પણ થઈ હતી. પોતાના વારો માટે ટામેટાં લેવા પહોંચેલા લોકોએ જલદી ટામેટા લેવાના ચક્કરમાં લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.  માહોલ ખૂબ ઉગ્ર થઈ જતા રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘને વેચાણ બંધ કરવું પડ્યું હતું. જો કે સંઘે ઘર્ષણ ન થાય તેના માટે પોલીસને બોલાવી લીધી હતી. થોડા સમય બાદ પોલીસની હાજરીમાં ફરીવાર વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું.

ટામેટાં વેચવા માટે રામનગરના સેન્ટર પર પોલીસ બોલાવવી પડી હતી.

70 રૂપિયે કિલો વેચાયા ટામેટા 

આમ તો જયપુરની બજારોમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે સાંજના સાત વાગ્યા સુધી ટામેટાં વેચવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ લોકોએ સંઘ પાસેથી એટલા ટામેટા લીધા કે લગભગ બપોરે બે વાગ્યે જ ટામેટાનો સ્ટોક ખતમ થઈ ગયો અને વેચાણ બંધ કરવું પડ્યું હતું. બપોર બાદ જ ટામેટાં ખતમ થઈ જતાં અનેક લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે શનિવાર પહેલા શુક્રવારે પણ કેન્દ્રો પર ઘણી ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં લોકોને બજાર ભાવથી સસ્તા ટામેટા મળી રહે તેના માટે  NCCF એટલે કે નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટીવ ફેડરેશન જયપુરના ચાર કેન્દ્રો પર ટામેટા વેંચી રહી છે. જયપુરના મહેશ નગર, આનંદ ભવન, વૈશાલી નગર અને સોડાલા ખાતે શુક્રવાર અને શનિવાર એમ દિવસથી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.