Rajasthanમાં આટલા ઓછા ભાવે ટામેટા ખરીદવા થઈ લોકોની પડાપડી! ભીડ ભેગી થતાં બોલાવી પડી પોલીસ, જુઓ પડાપડીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-07 10:38:37

ટામેટાના ભાવ લોકોને લાલ આંસુએ રોવડાવી રહી છે. માત્ર થોડા સમયની અંદર જ અનેક જગ્યાઓ પર ટામેટાના ભાવ અનેક ઘણા વધી ગયા છે. એવા પણ સમાચારો સામે આવી રહ્યા છીએ આવનાર દિવસોમાં હજી પણ ભાવમાં વધારો થઈ શકે છે. ટામેટાના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ એવા પણ સમાચારો સાંભળવા મળ્યા હતા કે ડુંગળીના ભાવ પણ વધવાના છે. લોકો મોંઘવારીનો માર સહન કરી જ રહ્યા હતા ત્યાં રાજસ્થાનના જયપુરમાંથી ટામેટા મામલે અજીબ સમાચાર સામે આવ્યા છે જો કે અજીબ ન કહેવાય. કારણ કે આપણે ટામેટાના ભાવ વધ્યા ત્યારથી ટામેટાની ચોરીના સમાચારો તો જોયા છે પણ આજે સસ્તા ટમેટા લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ હતી જો કે સસ્તા ટામેટાની લૂંટ ન થાય તેના માટે પોલીસ પણ બોલાવવી પડી હતી.  

70 રૂપિયે કિલોના ભાવે ટામેટાં ખરીદવા આવેલી મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. જે બાદ માંડ માંડ ભીડે મામલો થાળે પાડ્યો હતો.

ઓછા ભાવે ટામેટા લેવા થઈ લોકોની પડાપડી!

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે શનિવારે ચાર સ્થળોએ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું હતું. ટામેટાં વેચવાનો સમય સવારે દસથી સાંજના સાત વાગ્યાનો હતો. હાલ બજારમાં ટામેટા સોનાના ભાવ સમાન મળી રહ્યા છે ત્યારે સસ્તા ટામેટા જોઈ લોકોનું ટોળું ભેગું થવું સ્વાભાવિક છે. એમ પણ જ્યાં સસ્તી વસ્તુ મળતી હોય ત્યાં લોકોનું ટોળું પણ જોવા મળતું હોય છે. હું ટામેટા લઈ લઉં, હું ટામેટા લઈ લઉંના ચક્કરમાં લોકોએ પડાપડી કરી હતી. આ દરમિયાન જયપુરના રામનગર સ્થિત કેન્દ્ર પર વધુ ભીડને કારણે લોકો વચ્ચે ટામેટા લેવા માટે અંદરો અંદર મારામારી પણ થઈ હતી. પોતાના વારો માટે ટામેટાં લેવા પહોંચેલા લોકોએ જલદી ટામેટા લેવાના ચક્કરમાં લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.  માહોલ ખૂબ ઉગ્ર થઈ જતા રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘને વેચાણ બંધ કરવું પડ્યું હતું. જો કે સંઘે ઘર્ષણ ન થાય તેના માટે પોલીસને બોલાવી લીધી હતી. થોડા સમય બાદ પોલીસની હાજરીમાં ફરીવાર વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું.

ટામેટાં વેચવા માટે રામનગરના સેન્ટર પર પોલીસ બોલાવવી પડી હતી.

70 રૂપિયે કિલો વેચાયા ટામેટા 

આમ તો જયપુરની બજારોમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે સાંજના સાત વાગ્યા સુધી ટામેટાં વેચવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ લોકોએ સંઘ પાસેથી એટલા ટામેટા લીધા કે લગભગ બપોરે બે વાગ્યે જ ટામેટાનો સ્ટોક ખતમ થઈ ગયો અને વેચાણ બંધ કરવું પડ્યું હતું. બપોર બાદ જ ટામેટાં ખતમ થઈ જતાં અનેક લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે શનિવાર પહેલા શુક્રવારે પણ કેન્દ્રો પર ઘણી ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં લોકોને બજાર ભાવથી સસ્તા ટામેટા મળી રહે તેના માટે  NCCF એટલે કે નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટીવ ફેડરેશન જયપુરના ચાર કેન્દ્રો પર ટામેટા વેંચી રહી છે. જયપુરના મહેશ નગર, આનંદ ભવન, વૈશાલી નગર અને સોડાલા ખાતે શુક્રવાર અને શનિવાર એમ દિવસથી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.