Rajasthanમાં આટલા ઓછા ભાવે ટામેટા ખરીદવા થઈ લોકોની પડાપડી! ભીડ ભેગી થતાં બોલાવી પડી પોલીસ, જુઓ પડાપડીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-07 10:38:37

ટામેટાના ભાવ લોકોને લાલ આંસુએ રોવડાવી રહી છે. માત્ર થોડા સમયની અંદર જ અનેક જગ્યાઓ પર ટામેટાના ભાવ અનેક ઘણા વધી ગયા છે. એવા પણ સમાચારો સામે આવી રહ્યા છીએ આવનાર દિવસોમાં હજી પણ ભાવમાં વધારો થઈ શકે છે. ટામેટાના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ એવા પણ સમાચારો સાંભળવા મળ્યા હતા કે ડુંગળીના ભાવ પણ વધવાના છે. લોકો મોંઘવારીનો માર સહન કરી જ રહ્યા હતા ત્યાં રાજસ્થાનના જયપુરમાંથી ટામેટા મામલે અજીબ સમાચાર સામે આવ્યા છે જો કે અજીબ ન કહેવાય. કારણ કે આપણે ટામેટાના ભાવ વધ્યા ત્યારથી ટામેટાની ચોરીના સમાચારો તો જોયા છે પણ આજે સસ્તા ટમેટા લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ હતી જો કે સસ્તા ટામેટાની લૂંટ ન થાય તેના માટે પોલીસ પણ બોલાવવી પડી હતી.  

70 રૂપિયે કિલોના ભાવે ટામેટાં ખરીદવા આવેલી મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. જે બાદ માંડ માંડ ભીડે મામલો થાળે પાડ્યો હતો.

ઓછા ભાવે ટામેટા લેવા થઈ લોકોની પડાપડી!

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે શનિવારે ચાર સ્થળોએ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું હતું. ટામેટાં વેચવાનો સમય સવારે દસથી સાંજના સાત વાગ્યાનો હતો. હાલ બજારમાં ટામેટા સોનાના ભાવ સમાન મળી રહ્યા છે ત્યારે સસ્તા ટામેટા જોઈ લોકોનું ટોળું ભેગું થવું સ્વાભાવિક છે. એમ પણ જ્યાં સસ્તી વસ્તુ મળતી હોય ત્યાં લોકોનું ટોળું પણ જોવા મળતું હોય છે. હું ટામેટા લઈ લઉં, હું ટામેટા લઈ લઉંના ચક્કરમાં લોકોએ પડાપડી કરી હતી. આ દરમિયાન જયપુરના રામનગર સ્થિત કેન્દ્ર પર વધુ ભીડને કારણે લોકો વચ્ચે ટામેટા લેવા માટે અંદરો અંદર મારામારી પણ થઈ હતી. પોતાના વારો માટે ટામેટાં લેવા પહોંચેલા લોકોએ જલદી ટામેટા લેવાના ચક્કરમાં લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.  માહોલ ખૂબ ઉગ્ર થઈ જતા રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘને વેચાણ બંધ કરવું પડ્યું હતું. જો કે સંઘે ઘર્ષણ ન થાય તેના માટે પોલીસને બોલાવી લીધી હતી. થોડા સમય બાદ પોલીસની હાજરીમાં ફરીવાર વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું.

ટામેટાં વેચવા માટે રામનગરના સેન્ટર પર પોલીસ બોલાવવી પડી હતી.

70 રૂપિયે કિલો વેચાયા ટામેટા 

આમ તો જયપુરની બજારોમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે સાંજના સાત વાગ્યા સુધી ટામેટાં વેચવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ લોકોએ સંઘ પાસેથી એટલા ટામેટા લીધા કે લગભગ બપોરે બે વાગ્યે જ ટામેટાનો સ્ટોક ખતમ થઈ ગયો અને વેચાણ બંધ કરવું પડ્યું હતું. બપોર બાદ જ ટામેટાં ખતમ થઈ જતાં અનેક લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે શનિવાર પહેલા શુક્રવારે પણ કેન્દ્રો પર ઘણી ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં લોકોને બજાર ભાવથી સસ્તા ટામેટા મળી રહે તેના માટે  NCCF એટલે કે નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટીવ ફેડરેશન જયપુરના ચાર કેન્દ્રો પર ટામેટા વેંચી રહી છે. જયપુરના મહેશ નગર, આનંદ ભવન, વૈશાલી નગર અને સોડાલા ખાતે શુક્રવાર અને શનિવાર એમ દિવસથી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .