ટ્રાફિક નિયમો ભંગ કરતા લોકો થઈ જાવ સાવધાન! અમદાવાદ સહિત 3 શહેરમાં ટ્રાફિક ભંગ કરનાર સામે લેવાયા પગલાં, લોકોએ ભર્યો 9 લાખનો દંડ!


  • Published By :
  • Published Date : 2023-06-07 13:07:44

આપણમાંથી અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિકના નિયમોનું જાણે અજાણે ઉલ્લંઘન કરી લેતા હોય છે. જ્યારે ઘરે મેમો આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે નિયમો તોડ્યા છે. ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે. જો ઈ મેમો મોકલ્યાના 90 દિવસ બાદ જો દંડ નહીં ભરવામાં આવે તો કેસને વચ્ચુએલ ટ્રાફિક કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાશે. હજી સુધી 70 હજાર જેટલા કેસ ઈ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. 41700થી વધારે કેસ પ્રોસિડ થયા છે. કોર્ટની કાર્યવાહી થાય તે પહેલા જ 1400 જેટલા લોકોએ દંડની રકમ ભરી દીધી છે. રાજ્યવાસીઓએ 9 લાખનો દંડ જમા કરાવી દીધો છે.         


સીસીટીવી રાખશે વાહનચાલકો પર નજર! 

અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જાય છે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં લલિયાવેડા કરતાં જોવા મળે છે પણ આ ખૂબ ભયાનક વાત છે કારણકે આપણે રોજ છાપું ખોલીએ એટલે એક બે ભયાનક અકસ્માતના સમાચારતો દેખાય જાય છે અને હવે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ સક્રિય છે. શહેરમાં પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 


આ નિયમોનો કરશો ભંગ તો આવશે ઈ મેમો!

અને આપણે જેમ જોઈએ છે કે રિક્ષામાં ઓવેરલોડ લોકો ભરવામાં આવે છે અને ચાલુ ગાડીએ લોકો જે ફોન પર વાત કરતાં હોય છે તેને પણ હવે પોલીસ નહીં છોડે અને જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. બીજા કયા કયા નિયમોનો ભંગ કરશોતો મેમો આવશે તો 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે.રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે. ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. 


હજી સુધી આટલા કેસ ટ્રાફિક કોર્ટમાં આવ્યા! 

અત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના ઇ-ચલણ ઇન્ટીગ્રેડ કરવામાં આવ્યા છે. આ કોર્ટ ચાલુ થઈ ત્યારથી લઈને 31 મે સુધીમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કુલ 64,340 કેસ ટ્રાફિક કોર્ટમાં આવ્યા છે. જેમાંથી 37,922 પ્રોસિડિંગ કરવામાં આવ્યા છે. જેમાંથી 1244 લોકોએ ઓનલાઈન દંડનું પેમેન્ટ કર્યું છે. આ દંડ પેટે 7,73, 200 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.


90 દિવસની અંદર જો દંડ ન ચૂકવાય તો ટ્રાફિક કોર્ટમાં મોકલાય છે!

ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMSદ્વારા નોટિસ આપવામાં આવશે. ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની મે મહિનાથી  અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.