દારૂની પરમિટ લેવા લોકોની પડાપડી! દારૂની પરમીટ આપતા ગુજરાત સરકાર થઈ માલામાલ! આ કારણો આપી લોકો કરી રહ્યા છે દારૂની પરમિટ લેવા માટે અરજી!


  • Published By :
  • Published Date : 2024-02-27 15:08:57

ગુજરાતમાં દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત દારૂબંધીના ધજાગરા પણ ઉડતા આપણે જોયા છે. વીડિયો સમાચાર આપણી સામે આવે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરી દે છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં શરતો સાથે દારૂબંધીમાંથી છૂટ આપી છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ પણ થયો પરંતુ તો પણ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ રહી. દારૂની પરમિટને કારણે સરકારની આવકમાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મેડિકલ સર્ટિફિકેટના આધારે લોકો દારૂની પરમિટ  માટે અરજી કરી રહ્યા છે. 


દારૂની પરમિટ લેવા આવી રહી છે અનેક અરજીઓ! 

એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો બીજી તરફ દારૂની પરમિટ લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મેડિકલ સર્ટીફિકેટના આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે સરકારની કમાણી પણ વધી છે. દારૂની પરમીટની ફીથી સરકારને 38.56 કરોડની આવક થઇ છે. વિધાનસભામાં આ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. 



સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં થઈ આટલા કરોડની કમાણી!

એવી માહિતી પણ શેર કરવામાં આવી હતી કે 14,696 નવી અરજીઓ છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. સરકારને દારૂની નવી પરમિટથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 8.75 કરોડની આવક થઇ છે, જ્યારે દારુની પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂ. 29.80 કરોડની આવક થઇ છે. આમ, દારૂની પરમિટને કારણે સરકારને રૂ. 38.56 કરોડની આવક થઈ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.