દારૂની પરમિટ લેવા લોકોની પડાપડી! દારૂની પરમીટ આપતા ગુજરાત સરકાર થઈ માલામાલ! આ કારણો આપી લોકો કરી રહ્યા છે દારૂની પરમિટ લેવા માટે અરજી!


  • Published By :
  • Published Date : 2024-02-27 15:08:57

ગુજરાતમાં દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત દારૂબંધીના ધજાગરા પણ ઉડતા આપણે જોયા છે. વીડિયો સમાચાર આપણી સામે આવે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરી દે છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં શરતો સાથે દારૂબંધીમાંથી છૂટ આપી છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ પણ થયો પરંતુ તો પણ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ રહી. દારૂની પરમિટને કારણે સરકારની આવકમાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મેડિકલ સર્ટિફિકેટના આધારે લોકો દારૂની પરમિટ  માટે અરજી કરી રહ્યા છે. 


દારૂની પરમિટ લેવા આવી રહી છે અનેક અરજીઓ! 

એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો બીજી તરફ દારૂની પરમિટ લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મેડિકલ સર્ટીફિકેટના આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે સરકારની કમાણી પણ વધી છે. દારૂની પરમીટની ફીથી સરકારને 38.56 કરોડની આવક થઇ છે. વિધાનસભામાં આ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. 



સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં થઈ આટલા કરોડની કમાણી!

એવી માહિતી પણ શેર કરવામાં આવી હતી કે 14,696 નવી અરજીઓ છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. સરકારને દારૂની નવી પરમિટથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 8.75 કરોડની આવક થઇ છે, જ્યારે દારુની પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂ. 29.80 કરોડની આવક થઇ છે. આમ, દારૂની પરમિટને કારણે સરકારને રૂ. 38.56 કરોડની આવક થઈ છે. 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.