દારૂની પરમિટ લેવા લોકોની પડાપડી! દારૂની પરમીટ આપતા ગુજરાત સરકાર થઈ માલામાલ! આ કારણો આપી લોકો કરી રહ્યા છે દારૂની પરમિટ લેવા માટે અરજી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-27 15:08:57

ગુજરાતમાં દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત દારૂબંધીના ધજાગરા પણ ઉડતા આપણે જોયા છે. વીડિયો સમાચાર આપણી સામે આવે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરી દે છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં શરતો સાથે દારૂબંધીમાંથી છૂટ આપી છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ પણ થયો પરંતુ તો પણ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ રહી. દારૂની પરમિટને કારણે સરકારની આવકમાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મેડિકલ સર્ટિફિકેટના આધારે લોકો દારૂની પરમિટ  માટે અરજી કરી રહ્યા છે. 


દારૂની પરમિટ લેવા આવી રહી છે અનેક અરજીઓ! 

એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો બીજી તરફ દારૂની પરમિટ લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મેડિકલ સર્ટીફિકેટના આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે સરકારની કમાણી પણ વધી છે. દારૂની પરમીટની ફીથી સરકારને 38.56 કરોડની આવક થઇ છે. વિધાનસભામાં આ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. 



સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં થઈ આટલા કરોડની કમાણી!

એવી માહિતી પણ શેર કરવામાં આવી હતી કે 14,696 નવી અરજીઓ છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. સરકારને દારૂની નવી પરમિટથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 8.75 કરોડની આવક થઇ છે, જ્યારે દારુની પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂ. 29.80 કરોડની આવક થઇ છે. આમ, દારૂની પરમિટને કારણે સરકારને રૂ. 38.56 કરોડની આવક થઈ છે. 



ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.

માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.