દારૂની પરમિટ લેવા લોકોની પડાપડી! દારૂની પરમીટ આપતા ગુજરાત સરકાર થઈ માલામાલ! આ કારણો આપી લોકો કરી રહ્યા છે દારૂની પરમિટ લેવા માટે અરજી!


  • Published By :
  • Published Date : 2024-02-27 15:08:57

ગુજરાતમાં દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત દારૂબંધીના ધજાગરા પણ ઉડતા આપણે જોયા છે. વીડિયો સમાચાર આપણી સામે આવે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરી દે છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં શરતો સાથે દારૂબંધીમાંથી છૂટ આપી છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ પણ થયો પરંતુ તો પણ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ રહી. દારૂની પરમિટને કારણે સરકારની આવકમાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મેડિકલ સર્ટિફિકેટના આધારે લોકો દારૂની પરમિટ  માટે અરજી કરી રહ્યા છે. 


દારૂની પરમિટ લેવા આવી રહી છે અનેક અરજીઓ! 

એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો બીજી તરફ દારૂની પરમિટ લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મેડિકલ સર્ટીફિકેટના આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે સરકારની કમાણી પણ વધી છે. દારૂની પરમીટની ફીથી સરકારને 38.56 કરોડની આવક થઇ છે. વિધાનસભામાં આ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. 



સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં થઈ આટલા કરોડની કમાણી!

એવી માહિતી પણ શેર કરવામાં આવી હતી કે 14,696 નવી અરજીઓ છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. સરકારને દારૂની નવી પરમિટથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 8.75 કરોડની આવક થઇ છે, જ્યારે દારુની પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂ. 29.80 કરોડની આવક થઇ છે. આમ, દારૂની પરમિટને કારણે સરકારને રૂ. 38.56 કરોડની આવક થઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.