અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાંથી પણ લોકો ન શીખ્યા! જૂનાગઢની એ ઘટના જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-24 11:29:12

ગુજરાત એસટી બસનું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી. પરંતુ આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જે એસટી બસના સ્લોગનને ખોટા સાબિત કરી દે છે. કોઈ વખત એસટી બસના ડ્રાઈવરો ઓવરસ્પીડ કરતા દેખાય છે તો કોઈ વખત નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનાગઢનો હોવાનો મનાઈ રહ્યો છે. જૂનાગઢમાં એક તરફ વરસાદનો પ્રકોપ હતો તો બીજી તરફ એસટી બસની અડફેટે અનેક લોકો આવી ગયા હતા.  

પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સની મદદે ઉભા હતા લોકો 

જે વીડિયો સામે આવ્યા છે તે માટે કહેવાઈ રહ્યું છે કે જૂનાગઢમાં ST બસના ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા 2 લોકોને કચડી નાખ્યા. શનિવારે એક તરફ પૂરનો પ્રકોપ હતો, જેમાં એક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ હતી. બંધ પડેલી એમ્બ્યુલન્સની મદદ કરવા બે ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. ત્યારે જ એક ST બસ આવી અને બસ ચાલવાને કારણે પાણીનો માર્ગ અવરોધાયો હતો. બસના ધક્કાથી પાણી હાલક-ડોલક થયું હતું. પાણી ભરેલા રોડ પર બે-ત્રણ લોકો સામે હોવા છતાં બસ ડ્રાઈવરે ઘોર બેદરકારીથી બસ હંકારી અને પરિણામે બે લોકોના જીવ જોખમમાં મૂકાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 


જૂનાગઢમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી

એ વીડિયો એકદમ હચમચાવી દે તેવો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વાડલા ફાટક પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એસટી બસની અટફેટે આવતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીંદગી અને મોત વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે કઈ રીતે બે લોકો બસના આગળના ભાગ અને પાછળના ભાગમાં ટકરાઈને વહેણમાં વહી રહ્યા છે. તેમ છતાં બસના એ નિર્દયી ડ્રાઈવરે બસ ચલાવવાની ચાલું જ રાખી. 


શા માટે ST વિભાગે આવી પૂર જેવી પરિસ્થિતિમાં ચાલું રાખી સેવા?

આ જોરદાર પ્રવાહમાં તણાયેલી બંને વ્યક્તિઓ માટે ઝાડ સહારો બન્યું અને જીવ બચી ગયો હતો. બીજા પાસામાં જોઈએ તો એવી વાત પણ સામે આવી છે કે બસ વાળો ઊભો રાખે તો એના પેસેન્જરને નુકસાન થાય એમ હતું અને જેવી પરિસ્થિતિ હતી તેમ ઊભું રાખવું પોસિબલ ન હતું. પણ મોટો સવાલ એ છે કે ST બસને આટલા પાણીમાં ઉતારી જ શા માટે? થોડા વરસાદમાં પાણીનું બહાનું કાઢીને નાના-નાના ગામોના રૂટ બંધ કરી દેનાર ST તંત્રએ આવી ગફલતભરી હિંમત કેમ કરી? મહત્વનું છે કે અમદાવાદમાં બનેલી ઘટના હજી લોકો ભૂલ્યા નથી ત્યારે આવા અકસ્માતોને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.