અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાંથી પણ લોકો ન શીખ્યા! જૂનાગઢની એ ઘટના જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-24 11:29:12

ગુજરાત એસટી બસનું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી. પરંતુ આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જે એસટી બસના સ્લોગનને ખોટા સાબિત કરી દે છે. કોઈ વખત એસટી બસના ડ્રાઈવરો ઓવરસ્પીડ કરતા દેખાય છે તો કોઈ વખત નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનાગઢનો હોવાનો મનાઈ રહ્યો છે. જૂનાગઢમાં એક તરફ વરસાદનો પ્રકોપ હતો તો બીજી તરફ એસટી બસની અડફેટે અનેક લોકો આવી ગયા હતા.  

પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સની મદદે ઉભા હતા લોકો 

જે વીડિયો સામે આવ્યા છે તે માટે કહેવાઈ રહ્યું છે કે જૂનાગઢમાં ST બસના ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા 2 લોકોને કચડી નાખ્યા. શનિવારે એક તરફ પૂરનો પ્રકોપ હતો, જેમાં એક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ હતી. બંધ પડેલી એમ્બ્યુલન્સની મદદ કરવા બે ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. ત્યારે જ એક ST બસ આવી અને બસ ચાલવાને કારણે પાણીનો માર્ગ અવરોધાયો હતો. બસના ધક્કાથી પાણી હાલક-ડોલક થયું હતું. પાણી ભરેલા રોડ પર બે-ત્રણ લોકો સામે હોવા છતાં બસ ડ્રાઈવરે ઘોર બેદરકારીથી બસ હંકારી અને પરિણામે બે લોકોના જીવ જોખમમાં મૂકાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 


જૂનાગઢમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી

એ વીડિયો એકદમ હચમચાવી દે તેવો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વાડલા ફાટક પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એસટી બસની અટફેટે આવતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીંદગી અને મોત વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે કઈ રીતે બે લોકો બસના આગળના ભાગ અને પાછળના ભાગમાં ટકરાઈને વહેણમાં વહી રહ્યા છે. તેમ છતાં બસના એ નિર્દયી ડ્રાઈવરે બસ ચલાવવાની ચાલું જ રાખી. 


શા માટે ST વિભાગે આવી પૂર જેવી પરિસ્થિતિમાં ચાલું રાખી સેવા?

આ જોરદાર પ્રવાહમાં તણાયેલી બંને વ્યક્તિઓ માટે ઝાડ સહારો બન્યું અને જીવ બચી ગયો હતો. બીજા પાસામાં જોઈએ તો એવી વાત પણ સામે આવી છે કે બસ વાળો ઊભો રાખે તો એના પેસેન્જરને નુકસાન થાય એમ હતું અને જેવી પરિસ્થિતિ હતી તેમ ઊભું રાખવું પોસિબલ ન હતું. પણ મોટો સવાલ એ છે કે ST બસને આટલા પાણીમાં ઉતારી જ શા માટે? થોડા વરસાદમાં પાણીનું બહાનું કાઢીને નાના-નાના ગામોના રૂટ બંધ કરી દેનાર ST તંત્રએ આવી ગફલતભરી હિંમત કેમ કરી? મહત્વનું છે કે અમદાવાદમાં બનેલી ઘટના હજી લોકો ભૂલ્યા નથી ત્યારે આવા અકસ્માતોને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.