અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાંથી પણ લોકો ન શીખ્યા! જૂનાગઢની એ ઘટના જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 11:29:12

ગુજરાત એસટી બસનું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી. પરંતુ આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જે એસટી બસના સ્લોગનને ખોટા સાબિત કરી દે છે. કોઈ વખત એસટી બસના ડ્રાઈવરો ઓવરસ્પીડ કરતા દેખાય છે તો કોઈ વખત નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનાગઢનો હોવાનો મનાઈ રહ્યો છે. જૂનાગઢમાં એક તરફ વરસાદનો પ્રકોપ હતો તો બીજી તરફ એસટી બસની અડફેટે અનેક લોકો આવી ગયા હતા.  

પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સની મદદે ઉભા હતા લોકો 

જે વીડિયો સામે આવ્યા છે તે માટે કહેવાઈ રહ્યું છે કે જૂનાગઢમાં ST બસના ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા 2 લોકોને કચડી નાખ્યા. શનિવારે એક તરફ પૂરનો પ્રકોપ હતો, જેમાં એક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ હતી. બંધ પડેલી એમ્બ્યુલન્સની મદદ કરવા બે ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. ત્યારે જ એક ST બસ આવી અને બસ ચાલવાને કારણે પાણીનો માર્ગ અવરોધાયો હતો. બસના ધક્કાથી પાણી હાલક-ડોલક થયું હતું. પાણી ભરેલા રોડ પર બે-ત્રણ લોકો સામે હોવા છતાં બસ ડ્રાઈવરે ઘોર બેદરકારીથી બસ હંકારી અને પરિણામે બે લોકોના જીવ જોખમમાં મૂકાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 


જૂનાગઢમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી

એ વીડિયો એકદમ હચમચાવી દે તેવો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વાડલા ફાટક પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એસટી બસની અટફેટે આવતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીંદગી અને મોત વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે કઈ રીતે બે લોકો બસના આગળના ભાગ અને પાછળના ભાગમાં ટકરાઈને વહેણમાં વહી રહ્યા છે. તેમ છતાં બસના એ નિર્દયી ડ્રાઈવરે બસ ચલાવવાની ચાલું જ રાખી. 


શા માટે ST વિભાગે આવી પૂર જેવી પરિસ્થિતિમાં ચાલું રાખી સેવા?

આ જોરદાર પ્રવાહમાં તણાયેલી બંને વ્યક્તિઓ માટે ઝાડ સહારો બન્યું અને જીવ બચી ગયો હતો. બીજા પાસામાં જોઈએ તો એવી વાત પણ સામે આવી છે કે બસ વાળો ઊભો રાખે તો એના પેસેન્જરને નુકસાન થાય એમ હતું અને જેવી પરિસ્થિતિ હતી તેમ ઊભું રાખવું પોસિબલ ન હતું. પણ મોટો સવાલ એ છે કે ST બસને આટલા પાણીમાં ઉતારી જ શા માટે? થોડા વરસાદમાં પાણીનું બહાનું કાઢીને નાના-નાના ગામોના રૂટ બંધ કરી દેનાર ST તંત્રએ આવી ગફલતભરી હિંમત કેમ કરી? મહત્વનું છે કે અમદાવાદમાં બનેલી ઘટના હજી લોકો ભૂલ્યા નથી ત્યારે આવા અકસ્માતોને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે