મોડાસાના શામપુર દાવલીમાં પથ્થર ક્વોરીથી લોકો પરેશાન, વિસ્ફોટોના કારણે ઘરોમાં પડી તિરાડો


  • Published By :
  • Published Date : 2023-01-17 17:20:15

જોશીમઠની પરિસ્થિતિ દિવસને દિવસે વણસી રહી છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા શામપુર દાવલીની હાલત પણ જોશીમઠ જેવી થઈ જશે તેવો ભય ત્યાંના લોકોને સતાવી રહ્યો છે. કારણકે દાવલીના ડુંગર ઉપર પથ્થરની ક્વોરી કરવામાં આવી રહી છે. ડુંગર ઉપર થતા બ્લાસ્ટને કારણે આજૂબાજૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ક્વોરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

પથ્થર ક્વોરીથી સ્થાનિકોને પડતી મુશ્કેલી 

મોડાસાના શામપુર દાવલીમાં ક્વોરીમાંના પથ્થરો તોડવામાં આવી રહ્યા છે. ક્વોરી તોડવા ધડાકા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે શામપુર તથા દાવલી ગ્રુપ પંચાયતની હદ ડુંગરની તળેટીમાં રમેશસિંહ અને ભીખુસિંહ ચૌહાણ ક્વોરી બનાવી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. પથ્થર તોડવા બ્લાસ્ટ કરવામાં આવે છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

ઘરમાં તિરાડો અને પાકને પહોંચે છે નુકસાન 

સ્થાનિકોના જણાવ્યા મુજબ 24 કલાક બ્લાસ્ટ થતા રહે છે જેને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. જમીનમાંથી ઓવર લોડિગ ભારે વાહનોથી કરાય છે. પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છતાંય વાહનો પસાર થઈ રહ્યા છે. ગાડીઓ દ્વારા ધૂળ પણ ઉડે છે જેને કારણે પાકને નુકસાન પહોંચે છે.  


હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર   

દાવલી પંચાયતની હદ વિસ્તારમાં ઐતિહાસિક ધરોહર પણ આવેલી છે. આ ડુંગર ઉપર મહાભારત કાળથી મેરાયું આવેલું છે. ધરોહર નજીક રાત-દિવસ ક્વોરી ચાલી રહી છે જેને કારણે ધરોહરને પણ નુકસાન પહોંચી શકે છે. સતત ધડાકા થવાને કારણે ઘરોમાં અનેક તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે આ જગ્યાની પરિસ્થિતિ જોશીમઠ જેવી ન થાય તેને ધ્યાનમાં રાખી હિન્દુ યુવા વાહિનીના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી કે ભૂમાફિયા દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે. આ જમીન તંત્રને છેતરીને લીધેલી તમામ પ્રકારની મંજૂરી રદ્દ થાય અને સ્થાનિકોને ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.