મોડાસાના શામપુર દાવલીમાં પથ્થર ક્વોરીથી લોકો પરેશાન, વિસ્ફોટોના કારણે ઘરોમાં પડી તિરાડો


  • Published By :
  • Published Date : 2023-01-17 17:20:15

જોશીમઠની પરિસ્થિતિ દિવસને દિવસે વણસી રહી છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા શામપુર દાવલીની હાલત પણ જોશીમઠ જેવી થઈ જશે તેવો ભય ત્યાંના લોકોને સતાવી રહ્યો છે. કારણકે દાવલીના ડુંગર ઉપર પથ્થરની ક્વોરી કરવામાં આવી રહી છે. ડુંગર ઉપર થતા બ્લાસ્ટને કારણે આજૂબાજૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ક્વોરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

પથ્થર ક્વોરીથી સ્થાનિકોને પડતી મુશ્કેલી 

મોડાસાના શામપુર દાવલીમાં ક્વોરીમાંના પથ્થરો તોડવામાં આવી રહ્યા છે. ક્વોરી તોડવા ધડાકા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે શામપુર તથા દાવલી ગ્રુપ પંચાયતની હદ ડુંગરની તળેટીમાં રમેશસિંહ અને ભીખુસિંહ ચૌહાણ ક્વોરી બનાવી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. પથ્થર તોડવા બ્લાસ્ટ કરવામાં આવે છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

ઘરમાં તિરાડો અને પાકને પહોંચે છે નુકસાન 

સ્થાનિકોના જણાવ્યા મુજબ 24 કલાક બ્લાસ્ટ થતા રહે છે જેને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. જમીનમાંથી ઓવર લોડિગ ભારે વાહનોથી કરાય છે. પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છતાંય વાહનો પસાર થઈ રહ્યા છે. ગાડીઓ દ્વારા ધૂળ પણ ઉડે છે જેને કારણે પાકને નુકસાન પહોંચે છે.  


હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર   

દાવલી પંચાયતની હદ વિસ્તારમાં ઐતિહાસિક ધરોહર પણ આવેલી છે. આ ડુંગર ઉપર મહાભારત કાળથી મેરાયું આવેલું છે. ધરોહર નજીક રાત-દિવસ ક્વોરી ચાલી રહી છે જેને કારણે ધરોહરને પણ નુકસાન પહોંચી શકે છે. સતત ધડાકા થવાને કારણે ઘરોમાં અનેક તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે આ જગ્યાની પરિસ્થિતિ જોશીમઠ જેવી ન થાય તેને ધ્યાનમાં રાખી હિન્દુ યુવા વાહિનીના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી કે ભૂમાફિયા દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે. આ જમીન તંત્રને છેતરીને લીધેલી તમામ પ્રકારની મંજૂરી રદ્દ થાય અને સ્થાનિકોને ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.