મોડાસાના શામપુર દાવલીમાં પથ્થર ક્વોરીથી લોકો પરેશાન, વિસ્ફોટોના કારણે ઘરોમાં પડી તિરાડો


  • Published By :
  • Published Date : 2023-01-17 17:20:15

જોશીમઠની પરિસ્થિતિ દિવસને દિવસે વણસી રહી છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા શામપુર દાવલીની હાલત પણ જોશીમઠ જેવી થઈ જશે તેવો ભય ત્યાંના લોકોને સતાવી રહ્યો છે. કારણકે દાવલીના ડુંગર ઉપર પથ્થરની ક્વોરી કરવામાં આવી રહી છે. ડુંગર ઉપર થતા બ્લાસ્ટને કારણે આજૂબાજૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ક્વોરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

પથ્થર ક્વોરીથી સ્થાનિકોને પડતી મુશ્કેલી 

મોડાસાના શામપુર દાવલીમાં ક્વોરીમાંના પથ્થરો તોડવામાં આવી રહ્યા છે. ક્વોરી તોડવા ધડાકા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે શામપુર તથા દાવલી ગ્રુપ પંચાયતની હદ ડુંગરની તળેટીમાં રમેશસિંહ અને ભીખુસિંહ ચૌહાણ ક્વોરી બનાવી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. પથ્થર તોડવા બ્લાસ્ટ કરવામાં આવે છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

ઘરમાં તિરાડો અને પાકને પહોંચે છે નુકસાન 

સ્થાનિકોના જણાવ્યા મુજબ 24 કલાક બ્લાસ્ટ થતા રહે છે જેને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. જમીનમાંથી ઓવર લોડિગ ભારે વાહનોથી કરાય છે. પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છતાંય વાહનો પસાર થઈ રહ્યા છે. ગાડીઓ દ્વારા ધૂળ પણ ઉડે છે જેને કારણે પાકને નુકસાન પહોંચે છે.  


હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર   

દાવલી પંચાયતની હદ વિસ્તારમાં ઐતિહાસિક ધરોહર પણ આવેલી છે. આ ડુંગર ઉપર મહાભારત કાળથી મેરાયું આવેલું છે. ધરોહર નજીક રાત-દિવસ ક્વોરી ચાલી રહી છે જેને કારણે ધરોહરને પણ નુકસાન પહોંચી શકે છે. સતત ધડાકા થવાને કારણે ઘરોમાં અનેક તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે આ જગ્યાની પરિસ્થિતિ જોશીમઠ જેવી ન થાય તેને ધ્યાનમાં રાખી હિન્દુ યુવા વાહિનીના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી કે ભૂમાફિયા દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે. આ જમીન તંત્રને છેતરીને લીધેલી તમામ પ્રકારની મંજૂરી રદ્દ થાય અને સ્થાનિકોને ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.