દિવાળી પહેલા લાલદરવાજાના બજારમાં જોવા મળી રોનક


  • Published By :
  • Published Date : 2022-10-24 12:45:34

કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. જેને કારણે લોકોમાં આ વખત દિવાળીને લઈ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ કાલ લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માને છે જેને કારણે દિવાળીના આગલા દિવસે ખરીદી કરવા જતા હોય છે. જેને કારણે બજારોમાં ભીડ ઉમટી પડે છે. દિવાળીની ખરીદીને કારણે બજારોમાં રોનક જોવા મળી છે. દિવાળીના આગલા દિવસે લાલદરવાજામાં એટલી ભીડ ઉમટી કે પગ મૂકવાની જગ્યા ન હતી. 

People throng markets ahead of Diwali festival, flouting social distancing  norms

લાલદરવાજાના બજારમાં લોકોની ભીડ

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષોથી ધામધૂમથી તહેવારની ઉજવણી નથી કરવામાં આવી. કોરોના ઘટતા આ વર્ષે કોઈ જાતના પ્રતિબંધ વગર તહેવારની ઉજવણી કરાઈ રહી છે, જેને કારણે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી સમયે નવા કપડા, ઘરેણાં તેમજ સજાવટની વસ્તુઓની ખરીદી થતી હોય છે. જેને લેવા લાલદરવાજાના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા પણ નથી મળતી. દિવાળી ટાણે ભીડ હોવાને કારણે વિક્રેતાઓની દિવાળી પણ સુધરી છે. 

Bhadra market, અમદાવાદ: દિવાળીની ખરીદી માટે ભદ્ર માર્કેટમાં ભારે ભીડ,  ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સ - crowd gathers at lal darwaja market of ahmedabad  amid coronavirus - I am Gujarat

આનંદ સાથે કરી લોકોએ ખરીદી

ખરીદી માટે લોકો લાલદરવાજા પસંદ કરતા હોય છે. લાલદરવાજામાં ભરાતા માર્કેટમાં દરેક વસ્તુઓ મળી જતી હોય છે. જેને કારણે સામાન્ય દિવસોમાં પણ ત્યાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન ત્યાંની રોનક જ અલગ હોય છે. મોટી સંખ્યામાં ખરીદારો દિવાળીના સમયે ત્યાં આવી પહોંચતા હોય છે. ત્રણ દરવાજામાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોનાનો કપરો સમય વીતી ગયા પછી આ પહેલી એવી દિવાળી છે જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ તેમજ આનંદ જોવા મળી રહ્યો છે.            



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.