દિવાળી પહેલા લાલદરવાજાના બજારમાં જોવા મળી રોનક


  • Published By :
  • Published Date : 2022-10-24 12:45:34

કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. જેને કારણે લોકોમાં આ વખત દિવાળીને લઈ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ કાલ લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માને છે જેને કારણે દિવાળીના આગલા દિવસે ખરીદી કરવા જતા હોય છે. જેને કારણે બજારોમાં ભીડ ઉમટી પડે છે. દિવાળીની ખરીદીને કારણે બજારોમાં રોનક જોવા મળી છે. દિવાળીના આગલા દિવસે લાલદરવાજામાં એટલી ભીડ ઉમટી કે પગ મૂકવાની જગ્યા ન હતી. 

People throng markets ahead of Diwali festival, flouting social distancing  norms

લાલદરવાજાના બજારમાં લોકોની ભીડ

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષોથી ધામધૂમથી તહેવારની ઉજવણી નથી કરવામાં આવી. કોરોના ઘટતા આ વર્ષે કોઈ જાતના પ્રતિબંધ વગર તહેવારની ઉજવણી કરાઈ રહી છે, જેને કારણે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી સમયે નવા કપડા, ઘરેણાં તેમજ સજાવટની વસ્તુઓની ખરીદી થતી હોય છે. જેને લેવા લાલદરવાજાના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા પણ નથી મળતી. દિવાળી ટાણે ભીડ હોવાને કારણે વિક્રેતાઓની દિવાળી પણ સુધરી છે. 

Bhadra market, અમદાવાદ: દિવાળીની ખરીદી માટે ભદ્ર માર્કેટમાં ભારે ભીડ,  ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સ - crowd gathers at lal darwaja market of ahmedabad  amid coronavirus - I am Gujarat

આનંદ સાથે કરી લોકોએ ખરીદી

ખરીદી માટે લોકો લાલદરવાજા પસંદ કરતા હોય છે. લાલદરવાજામાં ભરાતા માર્કેટમાં દરેક વસ્તુઓ મળી જતી હોય છે. જેને કારણે સામાન્ય દિવસોમાં પણ ત્યાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન ત્યાંની રોનક જ અલગ હોય છે. મોટી સંખ્યામાં ખરીદારો દિવાળીના સમયે ત્યાં આવી પહોંચતા હોય છે. ત્રણ દરવાજામાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોનાનો કપરો સમય વીતી ગયા પછી આ પહેલી એવી દિવાળી છે જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ તેમજ આનંદ જોવા મળી રહ્યો છે.            



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે