દિવાળી પહેલા લાલદરવાજાના બજારમાં જોવા મળી રોનક


  • Published By :
  • Published Date : 2022-10-24 12:45:34

કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. જેને કારણે લોકોમાં આ વખત દિવાળીને લઈ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ કાલ લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માને છે જેને કારણે દિવાળીના આગલા દિવસે ખરીદી કરવા જતા હોય છે. જેને કારણે બજારોમાં ભીડ ઉમટી પડે છે. દિવાળીની ખરીદીને કારણે બજારોમાં રોનક જોવા મળી છે. દિવાળીના આગલા દિવસે લાલદરવાજામાં એટલી ભીડ ઉમટી કે પગ મૂકવાની જગ્યા ન હતી. 

People throng markets ahead of Diwali festival, flouting social distancing  norms

લાલદરવાજાના બજારમાં લોકોની ભીડ

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષોથી ધામધૂમથી તહેવારની ઉજવણી નથી કરવામાં આવી. કોરોના ઘટતા આ વર્ષે કોઈ જાતના પ્રતિબંધ વગર તહેવારની ઉજવણી કરાઈ રહી છે, જેને કારણે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી સમયે નવા કપડા, ઘરેણાં તેમજ સજાવટની વસ્તુઓની ખરીદી થતી હોય છે. જેને લેવા લાલદરવાજાના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા પણ નથી મળતી. દિવાળી ટાણે ભીડ હોવાને કારણે વિક્રેતાઓની દિવાળી પણ સુધરી છે. 

Bhadra market, અમદાવાદ: દિવાળીની ખરીદી માટે ભદ્ર માર્કેટમાં ભારે ભીડ,  ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સ - crowd gathers at lal darwaja market of ahmedabad  amid coronavirus - I am Gujarat

આનંદ સાથે કરી લોકોએ ખરીદી

ખરીદી માટે લોકો લાલદરવાજા પસંદ કરતા હોય છે. લાલદરવાજામાં ભરાતા માર્કેટમાં દરેક વસ્તુઓ મળી જતી હોય છે. જેને કારણે સામાન્ય દિવસોમાં પણ ત્યાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન ત્યાંની રોનક જ અલગ હોય છે. મોટી સંખ્યામાં ખરીદારો દિવાળીના સમયે ત્યાં આવી પહોંચતા હોય છે. ત્રણ દરવાજામાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોનાનો કપરો સમય વીતી ગયા પછી આ પહેલી એવી દિવાળી છે જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ તેમજ આનંદ જોવા મળી રહ્યો છે.            



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.