દિવાળી પહેલા લાલદરવાજાના બજારમાં જોવા મળી રોનક


  • Published By :
  • Published Date : 2022-10-24 12:45:34

કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. જેને કારણે લોકોમાં આ વખત દિવાળીને લઈ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ કાલ લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માને છે જેને કારણે દિવાળીના આગલા દિવસે ખરીદી કરવા જતા હોય છે. જેને કારણે બજારોમાં ભીડ ઉમટી પડે છે. દિવાળીની ખરીદીને કારણે બજારોમાં રોનક જોવા મળી છે. દિવાળીના આગલા દિવસે લાલદરવાજામાં એટલી ભીડ ઉમટી કે પગ મૂકવાની જગ્યા ન હતી. 

People throng markets ahead of Diwali festival, flouting social distancing  norms

લાલદરવાજાના બજારમાં લોકોની ભીડ

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષોથી ધામધૂમથી તહેવારની ઉજવણી નથી કરવામાં આવી. કોરોના ઘટતા આ વર્ષે કોઈ જાતના પ્રતિબંધ વગર તહેવારની ઉજવણી કરાઈ રહી છે, જેને કારણે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી સમયે નવા કપડા, ઘરેણાં તેમજ સજાવટની વસ્તુઓની ખરીદી થતી હોય છે. જેને લેવા લાલદરવાજાના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા પણ નથી મળતી. દિવાળી ટાણે ભીડ હોવાને કારણે વિક્રેતાઓની દિવાળી પણ સુધરી છે. 

Bhadra market, અમદાવાદ: દિવાળીની ખરીદી માટે ભદ્ર માર્કેટમાં ભારે ભીડ,  ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સ - crowd gathers at lal darwaja market of ahmedabad  amid coronavirus - I am Gujarat

આનંદ સાથે કરી લોકોએ ખરીદી

ખરીદી માટે લોકો લાલદરવાજા પસંદ કરતા હોય છે. લાલદરવાજામાં ભરાતા માર્કેટમાં દરેક વસ્તુઓ મળી જતી હોય છે. જેને કારણે સામાન્ય દિવસોમાં પણ ત્યાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન ત્યાંની રોનક જ અલગ હોય છે. મોટી સંખ્યામાં ખરીદારો દિવાળીના સમયે ત્યાં આવી પહોંચતા હોય છે. ત્રણ દરવાજામાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોનાનો કપરો સમય વીતી ગયા પછી આ પહેલી એવી દિવાળી છે જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ તેમજ આનંદ જોવા મળી રહ્યો છે.            



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.