અપ્રતિમ સુંદરતાની વચ્ચે ChhotaUdepurના તુરખેડામાં પીડાઓ વચ્ચે રહેતા લોકો, આદિવાસી વિસ્તારમાં જઈને સમસ્યા પૂછો તો જવાબ મળે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-30 11:39:16

ગુજરાતમાં વિકાસની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસશીલ ગુજરાત જેવા ટેગલાઈન ગુજરાત માટે બોલવામાં આવે છે. દેશમાં ગુજરાતની અલગ છબી ઉભી કરવામાં આવી છે જેમાં ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું દર્શાવવામાં આવતું હોય છે. ગુજરાતના અનેક શહેરોમાં થતો વિકાસ જાણે આખા ગુજરાતમાં થઈ રહ્યો હોય તેવી રીતે ગર્વ લેવામાં આવે છે. શહેરોમાં વિકાસ થયો છે, અનેક ગામડાઓમાં પણ વિકાસ થયો છે પરંતુ જ્યારે તમે કહો છો કે આખું ગુજરાત જાણે વિકાસ મોડલ બની ગયું છે તો તમે ખોટા છો. આવા વાક્યો બોલતા પહેલા ગુજરાતમાં આવેલા એવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જે આજે પણ સારા રસ્તા માટે, વીજળી માટે ઝંખી રહ્યા છે. 

જ્યારે શહેરના લોકો ગામડાની મુલાકાત કરે ત્યારે....  

અમે જ્યારે છોટાઉદેપુર જમાવટની પહેલી બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ પોતાની વેદના કહી તે આપણને દુખી કરી દે તેવી છે. જે વાત શહેરમાં રહેતા લોકોને સામાન્ય લાગતી હોય  ઘણી વખત એવું બને કે તે જ વસ્તુ ગામડામાં વસતા લોકોને આશીર્વાદ રૂપ લાગે. શહેરમાં આપણે ત્યાં 24 કલાક લાઈટો આવે, 24 કલાક પાણી નળથી આપણા ઘર સુધી પહોંચે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં વીજળી આવવી જ સપનું છે. જો ત્યાં વીજળી આવે તો ત્યાંના લોકોને તે ચમત્કારથી ઓછું ન લાગે. જ્યાં અમુક કલાકો માટે વીજળી નથી આવતી ત્યાં 24 કલાક વીજળીની વાત કરવી પણ જાણે મજાક લાગે. 

છોટાઉદેપુરનું તુરખેડા વિકાસ માટે ઝંખે છે! 

છોટાઉદેપુરમાં આવેલું તુરખેડા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. ચોમાસાની સિઝનમાં જો તમે ત્યાંની મુલાકાત લો તો દરેક જગ્યાએ લીલોતરી દેખાય, પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો આપણી આંખોને ઠંડક પહોંચાડે. છોટાઉદેપુરનું તુરખેડા જેટલું કુદરતી રીતે સમૃદ્ધ છે, તેટલું વિકાસ ન હોવાને કારણે પછાત છે. આજે પણ ત્યાં વિકાસના કામો નથી થઈ રહ્યા. જે યોજનાઓ ગાંધીનગરથી ગામડાઓ સુધી પહોંચવા નીકળે છે તે યોજનાઓ વાસ્તવમાં ત્યાં નથી પહોંચતી, કરોડો વાપરવામાં આવે છે ગામડાઓના વિકાસ પાછળ પરંતુ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ હોય છે. સારા રસ્તાની તો વાત દૂરની રહી પરંતુ પાકા અને સારા રસ્તા માટે પણ ત્યાં રહેતા લોકો તલસી રહ્યા છે.   


સરપંચે ગણાવ્યું તેમની પાસે શું નથી? 

જ્યારે અમે તુરખેડાના સરપંચ સાથે વાત કરી તેમની પીડાને જાણવાની કોશિશ કરી ત્યારે તેમની વાતોમાં તેમને પડતું દુખ, તેમની પીડાનો અનુભવ થતો હતો. રસ્તાના ન હોવાને કારણે 108 પણ ત્યાં નથી પહોંચી શક્તી. સમયસરની તો વાત દુરની રહી. જ્યારે કોઈ બિમાર પડે છે તે ત્યારે તેને ખાટલામાં બેસાડી 108 જ્યાં આવી શકે ત્યાં પહોંચાડવામાં આવે છે. અનેક વખત તો એવું પણ બને છે કે ખરાબ રસ્તા હોવાને કારણે દર્દીને વધારે પીડા સહન કરવી પડે છે. સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે ત્યાં શું નથી? ત્યારે જવાબમાં સરપંચે કહ્યું, અમારે ત્યાં પાણી નથી, અમારે ત્યાં વીજળી નથી, અમારે ત્યાં દવાખાનું નથી. ટૂંકમાં એમને ત્યાં કશું જ નથી. 

સરકારી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં સમજાય ગામડામાં રહેતા લોકોની પીડા! 

પરાકાષ્ઠાએ છે કે શહેરમાં અને સચિવાયલમાં, સરકારમાં બેઠેલા લોકોને ગામડામાં રહેતા લોકોની પીડાનો અહેસાસ પણ નથી હોતો. નેતાઓ જ્યારે વિકાસની વાતો કરે છે ત્યારે કદાચ એ જણાવવાનું ભૂલી જતા હશે કે વિકાસ હજી ક્યાં નથી પહોંચ્યો. એવું પણ હોઈ શકે છે કે જ્યાં વિકાસ થયો હોય, રસ્તાઓ સારા હોય તે જ જગ્યાને સરકાર ગુજરાતમાં તે વિસ્તાર છે તેવું માનતી હોય. કારણ કે આજે પણ અંતરિયાળ વિસ્તારના ગામડા એવા છે જ્યાં રસ્તાઓ નથી પહોંચ્યા, શાળાઓ નથી પહોંચી, દવાખાના નથી પહોંચ્યા. અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચવી જોઈએ.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.