અપ્રતિમ સુંદરતાની વચ્ચે ChhotaUdepurના તુરખેડામાં પીડાઓ વચ્ચે રહેતા લોકો, આદિવાસી વિસ્તારમાં જઈને સમસ્યા પૂછો તો જવાબ મળે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-30 11:39:16

ગુજરાતમાં વિકાસની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસશીલ ગુજરાત જેવા ટેગલાઈન ગુજરાત માટે બોલવામાં આવે છે. દેશમાં ગુજરાતની અલગ છબી ઉભી કરવામાં આવી છે જેમાં ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું દર્શાવવામાં આવતું હોય છે. ગુજરાતના અનેક શહેરોમાં થતો વિકાસ જાણે આખા ગુજરાતમાં થઈ રહ્યો હોય તેવી રીતે ગર્વ લેવામાં આવે છે. શહેરોમાં વિકાસ થયો છે, અનેક ગામડાઓમાં પણ વિકાસ થયો છે પરંતુ જ્યારે તમે કહો છો કે આખું ગુજરાત જાણે વિકાસ મોડલ બની ગયું છે તો તમે ખોટા છો. આવા વાક્યો બોલતા પહેલા ગુજરાતમાં આવેલા એવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જે આજે પણ સારા રસ્તા માટે, વીજળી માટે ઝંખી રહ્યા છે. 

જ્યારે શહેરના લોકો ગામડાની મુલાકાત કરે ત્યારે....  

અમે જ્યારે છોટાઉદેપુર જમાવટની પહેલી બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ પોતાની વેદના કહી તે આપણને દુખી કરી દે તેવી છે. જે વાત શહેરમાં રહેતા લોકોને સામાન્ય લાગતી હોય  ઘણી વખત એવું બને કે તે જ વસ્તુ ગામડામાં વસતા લોકોને આશીર્વાદ રૂપ લાગે. શહેરમાં આપણે ત્યાં 24 કલાક લાઈટો આવે, 24 કલાક પાણી નળથી આપણા ઘર સુધી પહોંચે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં વીજળી આવવી જ સપનું છે. જો ત્યાં વીજળી આવે તો ત્યાંના લોકોને તે ચમત્કારથી ઓછું ન લાગે. જ્યાં અમુક કલાકો માટે વીજળી નથી આવતી ત્યાં 24 કલાક વીજળીની વાત કરવી પણ જાણે મજાક લાગે. 

છોટાઉદેપુરનું તુરખેડા વિકાસ માટે ઝંખે છે! 

છોટાઉદેપુરમાં આવેલું તુરખેડા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. ચોમાસાની સિઝનમાં જો તમે ત્યાંની મુલાકાત લો તો દરેક જગ્યાએ લીલોતરી દેખાય, પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો આપણી આંખોને ઠંડક પહોંચાડે. છોટાઉદેપુરનું તુરખેડા જેટલું કુદરતી રીતે સમૃદ્ધ છે, તેટલું વિકાસ ન હોવાને કારણે પછાત છે. આજે પણ ત્યાં વિકાસના કામો નથી થઈ રહ્યા. જે યોજનાઓ ગાંધીનગરથી ગામડાઓ સુધી પહોંચવા નીકળે છે તે યોજનાઓ વાસ્તવમાં ત્યાં નથી પહોંચતી, કરોડો વાપરવામાં આવે છે ગામડાઓના વિકાસ પાછળ પરંતુ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ હોય છે. સારા રસ્તાની તો વાત દૂરની રહી પરંતુ પાકા અને સારા રસ્તા માટે પણ ત્યાં રહેતા લોકો તલસી રહ્યા છે.   


સરપંચે ગણાવ્યું તેમની પાસે શું નથી? 

જ્યારે અમે તુરખેડાના સરપંચ સાથે વાત કરી તેમની પીડાને જાણવાની કોશિશ કરી ત્યારે તેમની વાતોમાં તેમને પડતું દુખ, તેમની પીડાનો અનુભવ થતો હતો. રસ્તાના ન હોવાને કારણે 108 પણ ત્યાં નથી પહોંચી શક્તી. સમયસરની તો વાત દુરની રહી. જ્યારે કોઈ બિમાર પડે છે તે ત્યારે તેને ખાટલામાં બેસાડી 108 જ્યાં આવી શકે ત્યાં પહોંચાડવામાં આવે છે. અનેક વખત તો એવું પણ બને છે કે ખરાબ રસ્તા હોવાને કારણે દર્દીને વધારે પીડા સહન કરવી પડે છે. સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે ત્યાં શું નથી? ત્યારે જવાબમાં સરપંચે કહ્યું, અમારે ત્યાં પાણી નથી, અમારે ત્યાં વીજળી નથી, અમારે ત્યાં દવાખાનું નથી. ટૂંકમાં એમને ત્યાં કશું જ નથી. 

સરકારી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં સમજાય ગામડામાં રહેતા લોકોની પીડા! 

પરાકાષ્ઠાએ છે કે શહેરમાં અને સચિવાયલમાં, સરકારમાં બેઠેલા લોકોને ગામડામાં રહેતા લોકોની પીડાનો અહેસાસ પણ નથી હોતો. નેતાઓ જ્યારે વિકાસની વાતો કરે છે ત્યારે કદાચ એ જણાવવાનું ભૂલી જતા હશે કે વિકાસ હજી ક્યાં નથી પહોંચ્યો. એવું પણ હોઈ શકે છે કે જ્યાં વિકાસ થયો હોય, રસ્તાઓ સારા હોય તે જ જગ્યાને સરકાર ગુજરાતમાં તે વિસ્તાર છે તેવું માનતી હોય. કારણ કે આજે પણ અંતરિયાળ વિસ્તારના ગામડા એવા છે જ્યાં રસ્તાઓ નથી પહોંચ્યા, શાળાઓ નથી પહોંચી, દવાખાના નથી પહોંચ્યા. અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચવી જોઈએ.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.