અપ્રતિમ સુંદરતાની વચ્ચે ChhotaUdepurના તુરખેડામાં પીડાઓ વચ્ચે રહેતા લોકો, આદિવાસી વિસ્તારમાં જઈને સમસ્યા પૂછો તો જવાબ મળે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-30 11:39:16

ગુજરાતમાં વિકાસની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસશીલ ગુજરાત જેવા ટેગલાઈન ગુજરાત માટે બોલવામાં આવે છે. દેશમાં ગુજરાતની અલગ છબી ઉભી કરવામાં આવી છે જેમાં ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું દર્શાવવામાં આવતું હોય છે. ગુજરાતના અનેક શહેરોમાં થતો વિકાસ જાણે આખા ગુજરાતમાં થઈ રહ્યો હોય તેવી રીતે ગર્વ લેવામાં આવે છે. શહેરોમાં વિકાસ થયો છે, અનેક ગામડાઓમાં પણ વિકાસ થયો છે પરંતુ જ્યારે તમે કહો છો કે આખું ગુજરાત જાણે વિકાસ મોડલ બની ગયું છે તો તમે ખોટા છો. આવા વાક્યો બોલતા પહેલા ગુજરાતમાં આવેલા એવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જે આજે પણ સારા રસ્તા માટે, વીજળી માટે ઝંખી રહ્યા છે. 

જ્યારે શહેરના લોકો ગામડાની મુલાકાત કરે ત્યારે....  

અમે જ્યારે છોટાઉદેપુર જમાવટની પહેલી બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ પોતાની વેદના કહી તે આપણને દુખી કરી દે તેવી છે. જે વાત શહેરમાં રહેતા લોકોને સામાન્ય લાગતી હોય  ઘણી વખત એવું બને કે તે જ વસ્તુ ગામડામાં વસતા લોકોને આશીર્વાદ રૂપ લાગે. શહેરમાં આપણે ત્યાં 24 કલાક લાઈટો આવે, 24 કલાક પાણી નળથી આપણા ઘર સુધી પહોંચે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં વીજળી આવવી જ સપનું છે. જો ત્યાં વીજળી આવે તો ત્યાંના લોકોને તે ચમત્કારથી ઓછું ન લાગે. જ્યાં અમુક કલાકો માટે વીજળી નથી આવતી ત્યાં 24 કલાક વીજળીની વાત કરવી પણ જાણે મજાક લાગે. 

છોટાઉદેપુરનું તુરખેડા વિકાસ માટે ઝંખે છે! 

છોટાઉદેપુરમાં આવેલું તુરખેડા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. ચોમાસાની સિઝનમાં જો તમે ત્યાંની મુલાકાત લો તો દરેક જગ્યાએ લીલોતરી દેખાય, પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો આપણી આંખોને ઠંડક પહોંચાડે. છોટાઉદેપુરનું તુરખેડા જેટલું કુદરતી રીતે સમૃદ્ધ છે, તેટલું વિકાસ ન હોવાને કારણે પછાત છે. આજે પણ ત્યાં વિકાસના કામો નથી થઈ રહ્યા. જે યોજનાઓ ગાંધીનગરથી ગામડાઓ સુધી પહોંચવા નીકળે છે તે યોજનાઓ વાસ્તવમાં ત્યાં નથી પહોંચતી, કરોડો વાપરવામાં આવે છે ગામડાઓના વિકાસ પાછળ પરંતુ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ હોય છે. સારા રસ્તાની તો વાત દૂરની રહી પરંતુ પાકા અને સારા રસ્તા માટે પણ ત્યાં રહેતા લોકો તલસી રહ્યા છે.   


સરપંચે ગણાવ્યું તેમની પાસે શું નથી? 

જ્યારે અમે તુરખેડાના સરપંચ સાથે વાત કરી તેમની પીડાને જાણવાની કોશિશ કરી ત્યારે તેમની વાતોમાં તેમને પડતું દુખ, તેમની પીડાનો અનુભવ થતો હતો. રસ્તાના ન હોવાને કારણે 108 પણ ત્યાં નથી પહોંચી શક્તી. સમયસરની તો વાત દુરની રહી. જ્યારે કોઈ બિમાર પડે છે તે ત્યારે તેને ખાટલામાં બેસાડી 108 જ્યાં આવી શકે ત્યાં પહોંચાડવામાં આવે છે. અનેક વખત તો એવું પણ બને છે કે ખરાબ રસ્તા હોવાને કારણે દર્દીને વધારે પીડા સહન કરવી પડે છે. સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે ત્યાં શું નથી? ત્યારે જવાબમાં સરપંચે કહ્યું, અમારે ત્યાં પાણી નથી, અમારે ત્યાં વીજળી નથી, અમારે ત્યાં દવાખાનું નથી. ટૂંકમાં એમને ત્યાં કશું જ નથી. 

સરકારી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં સમજાય ગામડામાં રહેતા લોકોની પીડા! 

પરાકાષ્ઠાએ છે કે શહેરમાં અને સચિવાયલમાં, સરકારમાં બેઠેલા લોકોને ગામડામાં રહેતા લોકોની પીડાનો અહેસાસ પણ નથી હોતો. નેતાઓ જ્યારે વિકાસની વાતો કરે છે ત્યારે કદાચ એ જણાવવાનું ભૂલી જતા હશે કે વિકાસ હજી ક્યાં નથી પહોંચ્યો. એવું પણ હોઈ શકે છે કે જ્યાં વિકાસ થયો હોય, રસ્તાઓ સારા હોય તે જ જગ્યાને સરકાર ગુજરાતમાં તે વિસ્તાર છે તેવું માનતી હોય. કારણ કે આજે પણ અંતરિયાળ વિસ્તારના ગામડા એવા છે જ્યાં રસ્તાઓ નથી પહોંચ્યા, શાળાઓ નથી પહોંચી, દવાખાના નથી પહોંચ્યા. અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચવી જોઈએ.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.