અપ્રતિમ સુંદરતાની વચ્ચે ChhotaUdepurના તુરખેડામાં પીડાઓ વચ્ચે રહેતા લોકો, આદિવાસી વિસ્તારમાં જઈને સમસ્યા પૂછો તો જવાબ મળે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-30 11:39:16

ગુજરાતમાં વિકાસની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસશીલ ગુજરાત જેવા ટેગલાઈન ગુજરાત માટે બોલવામાં આવે છે. દેશમાં ગુજરાતની અલગ છબી ઉભી કરવામાં આવી છે જેમાં ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું દર્શાવવામાં આવતું હોય છે. ગુજરાતના અનેક શહેરોમાં થતો વિકાસ જાણે આખા ગુજરાતમાં થઈ રહ્યો હોય તેવી રીતે ગર્વ લેવામાં આવે છે. શહેરોમાં વિકાસ થયો છે, અનેક ગામડાઓમાં પણ વિકાસ થયો છે પરંતુ જ્યારે તમે કહો છો કે આખું ગુજરાત જાણે વિકાસ મોડલ બની ગયું છે તો તમે ખોટા છો. આવા વાક્યો બોલતા પહેલા ગુજરાતમાં આવેલા એવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જે આજે પણ સારા રસ્તા માટે, વીજળી માટે ઝંખી રહ્યા છે. 

જ્યારે શહેરના લોકો ગામડાની મુલાકાત કરે ત્યારે....  

અમે જ્યારે છોટાઉદેપુર જમાવટની પહેલી બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ પોતાની વેદના કહી તે આપણને દુખી કરી દે તેવી છે. જે વાત શહેરમાં રહેતા લોકોને સામાન્ય લાગતી હોય  ઘણી વખત એવું બને કે તે જ વસ્તુ ગામડામાં વસતા લોકોને આશીર્વાદ રૂપ લાગે. શહેરમાં આપણે ત્યાં 24 કલાક લાઈટો આવે, 24 કલાક પાણી નળથી આપણા ઘર સુધી પહોંચે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં વીજળી આવવી જ સપનું છે. જો ત્યાં વીજળી આવે તો ત્યાંના લોકોને તે ચમત્કારથી ઓછું ન લાગે. જ્યાં અમુક કલાકો માટે વીજળી નથી આવતી ત્યાં 24 કલાક વીજળીની વાત કરવી પણ જાણે મજાક લાગે. 

છોટાઉદેપુરનું તુરખેડા વિકાસ માટે ઝંખે છે! 

છોટાઉદેપુરમાં આવેલું તુરખેડા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. ચોમાસાની સિઝનમાં જો તમે ત્યાંની મુલાકાત લો તો દરેક જગ્યાએ લીલોતરી દેખાય, પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો આપણી આંખોને ઠંડક પહોંચાડે. છોટાઉદેપુરનું તુરખેડા જેટલું કુદરતી રીતે સમૃદ્ધ છે, તેટલું વિકાસ ન હોવાને કારણે પછાત છે. આજે પણ ત્યાં વિકાસના કામો નથી થઈ રહ્યા. જે યોજનાઓ ગાંધીનગરથી ગામડાઓ સુધી પહોંચવા નીકળે છે તે યોજનાઓ વાસ્તવમાં ત્યાં નથી પહોંચતી, કરોડો વાપરવામાં આવે છે ગામડાઓના વિકાસ પાછળ પરંતુ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ હોય છે. સારા રસ્તાની તો વાત દૂરની રહી પરંતુ પાકા અને સારા રસ્તા માટે પણ ત્યાં રહેતા લોકો તલસી રહ્યા છે.   


સરપંચે ગણાવ્યું તેમની પાસે શું નથી? 

જ્યારે અમે તુરખેડાના સરપંચ સાથે વાત કરી તેમની પીડાને જાણવાની કોશિશ કરી ત્યારે તેમની વાતોમાં તેમને પડતું દુખ, તેમની પીડાનો અનુભવ થતો હતો. રસ્તાના ન હોવાને કારણે 108 પણ ત્યાં નથી પહોંચી શક્તી. સમયસરની તો વાત દુરની રહી. જ્યારે કોઈ બિમાર પડે છે તે ત્યારે તેને ખાટલામાં બેસાડી 108 જ્યાં આવી શકે ત્યાં પહોંચાડવામાં આવે છે. અનેક વખત તો એવું પણ બને છે કે ખરાબ રસ્તા હોવાને કારણે દર્દીને વધારે પીડા સહન કરવી પડે છે. સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે ત્યાં શું નથી? ત્યારે જવાબમાં સરપંચે કહ્યું, અમારે ત્યાં પાણી નથી, અમારે ત્યાં વીજળી નથી, અમારે ત્યાં દવાખાનું નથી. ટૂંકમાં એમને ત્યાં કશું જ નથી. 

સરકારી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં સમજાય ગામડામાં રહેતા લોકોની પીડા! 

પરાકાષ્ઠાએ છે કે શહેરમાં અને સચિવાયલમાં, સરકારમાં બેઠેલા લોકોને ગામડામાં રહેતા લોકોની પીડાનો અહેસાસ પણ નથી હોતો. નેતાઓ જ્યારે વિકાસની વાતો કરે છે ત્યારે કદાચ એ જણાવવાનું ભૂલી જતા હશે કે વિકાસ હજી ક્યાં નથી પહોંચ્યો. એવું પણ હોઈ શકે છે કે જ્યાં વિકાસ થયો હોય, રસ્તાઓ સારા હોય તે જ જગ્યાને સરકાર ગુજરાતમાં તે વિસ્તાર છે તેવું માનતી હોય. કારણ કે આજે પણ અંતરિયાળ વિસ્તારના ગામડા એવા છે જ્યાં રસ્તાઓ નથી પહોંચ્યા, શાળાઓ નથી પહોંચી, દવાખાના નથી પહોંચ્યા. અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચવી જોઈએ.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.