નવસારીમાં 18 ગામોના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર


  • Published By :
  • Published Date : 2022-11-08 19:16:00

ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે. જેને લઈને એક તરફ નેતાઓ અને રાજકીય પક્ષો સક્રિય બન્યા છે તો બીજી તરફ જનતા પણ પોતાની માંગણીઓને લઈને ગંભીર બની છે. ગુજરાતના નવસારીમાં 18 ગામોના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે કોરોનાના સમયગાળા પહેલા આંચલી સ્ટેશન પર લોકલ ટ્રેનો રોકાતી હતી, પરંતુ બાદમાં તેને રોકી દેવામાં આવી હતી. નવસારીના 18 ગામોના લોકોએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ ગામોના લોકો અંચલી સ્ટેશન પર લોકલ ટ્રેનને રોકવાની માંગ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે કોરોનાના સમયગાળા પહેલા આંચલી સ્ટેશન પર લોકલ ટ્રેનો રોકાતી હતી, પરંતુ બાદમાં તેને રોકી દેવામાં આવી હતી. વારંવાર ફરિયાદ કરવા છતાં આ ટ્રેનો ફરી શરૂ થઈ શકી નથી. આ સાથે ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે, જો ટ્રેન નહીં હોય તો મત નહીં.


અહેવાલો અનુસાર ગ્રામવાસીઓએ બેનરમાં લખ્યું છે કે જ્યાં સુધી ટ્રેન નહીં રોકાય ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા વોટ માંગવા આ ગામોમાં ન આવે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંચલી સ્ટેશનને અડીને આવેલા 18 ગામો રેલ સેવા દ્વારા રાજધાની સાથે સીધા જોડાયેલા છે. કોરોના કાળ પહેલા અહીં તમામ પ્રકારની લોકલ ટ્રેનો રોકાતી હતી. જેના કારણે લોકો વેપાર વાણિજ્ય ઉપરાંત તેમના મહત્વના કામો માટે શહેરમાં આવતા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન ટ્રેનોનું સ્ટોપેજ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારથી અહીંના લોકોને શહેરમાં જવા માટે ઘણી મુશ્કેલી પડે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.