ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી, બેનરમાં લખ્યું રોડ નહીં તો વોટ નહીં


  • Published By :
  • Published Date : 2022-11-07 15:15:37

ગુજરાતમાં આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકો પોત પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર તરફ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પોત પોતાની માગણીઓને લઈ સરકાર વિરૂદ્ધ તો બોલી રહ્યા છે પરંતુ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અરવલ્લીમા ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે.


બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી  

છેલ્લા ઘણાં સમયથી ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામના લોકો સારા રસ્તા માટે તરસી રહ્યા છે. અલ્વાથી ખિલોડીયા સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોઈપણ પાર્ટીને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવા બેનરો લગાવી દીધા છે. ચૂંટણી નજીક આવતા આવા બેનરો લાગી જવાથી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. 


ચૂંટણી સમયે મતદારો કરી રહ્યા છે પાર્ટીઓની અવગણના 

ચૂંટણી સમયે બેનરો લગાવી લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરતા હોય છે. જે કામ વર્ષો સુધી ન થયા હોય, જે સમસ્યાનો ઉકેલ નથી આવતો તેવી સમસ્યાનો ઉકેલ ચૂંટણી સમયે આવી જતો હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા ઉમેદવાર મતદારોના અવાજ નથી સાંભળતા, તો ચૂંટણી સમયે મતદારો ઉમેદવારોની અવગણના કરી રહ્યા છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.