ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી, બેનરમાં લખ્યું રોડ નહીં તો વોટ નહીં


  • Published By :
  • Published Date : 2022-11-07 15:15:37

ગુજરાતમાં આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકો પોત પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર તરફ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પોત પોતાની માગણીઓને લઈ સરકાર વિરૂદ્ધ તો બોલી રહ્યા છે પરંતુ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અરવલ્લીમા ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે.


બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી  

છેલ્લા ઘણાં સમયથી ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામના લોકો સારા રસ્તા માટે તરસી રહ્યા છે. અલ્વાથી ખિલોડીયા સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોઈપણ પાર્ટીને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવા બેનરો લગાવી દીધા છે. ચૂંટણી નજીક આવતા આવા બેનરો લાગી જવાથી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. 


ચૂંટણી સમયે મતદારો કરી રહ્યા છે પાર્ટીઓની અવગણના 

ચૂંટણી સમયે બેનરો લગાવી લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરતા હોય છે. જે કામ વર્ષો સુધી ન થયા હોય, જે સમસ્યાનો ઉકેલ નથી આવતો તેવી સમસ્યાનો ઉકેલ ચૂંટણી સમયે આવી જતો હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા ઉમેદવાર મતદારોના અવાજ નથી સાંભળતા, તો ચૂંટણી સમયે મતદારો ઉમેદવારોની અવગણના કરી રહ્યા છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.