જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી મારી રહ્યા છે વલખા


  • Published By :
  • Published Date : 2022-11-13 16:20:58

જે ભરોસાની ભાજપના શેરીઓમાં વાહન ચલાવીને ગુણગાન ગવાઈ રહ્યા છે અને સરકારે સંપૂર્ણ ગુજરાતમાં નળથી પાણી આપ્યું છે તેવી જાહેરાત કરી દીધી છે તેની વચ્ચે જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી વલખા મારી રહ્યા છે. જંગર ગામ નજીક ચાર-ચાર ડેમ હોવા છતાં ગામમાં પાણીના પ્રશ્નો ત્યાંને ત્યાં જ છે. જેના કારણે જંગર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને કોઈ પણ રાજકીય પાર્ટીઓને ગામમાં ફરકવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. 

કંટાળીને ગામના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો

પ્રધાનમંત્રીના કાર્યકાળના પહેલાના સમયથી આ લોકો કેનાલ માટે માગ કરી રહ્યા છે. ત્યારબાદ અનેક પાર્ટીઓ આવી મત લઈને જતી પણ રહી, પણ કામ ના થયું. 2009ના સમયમાં કેનાલની મંજૂરી અપાઈ હતી પરંતુ એ પણ આજની પરિસ્થિતિમાં લટકેલી પડી છે. એસ્ટિમેટ અપાઈ ગયું છે છતાં કામગીરી હજુ પણ નથી કરવામાં આવી. અંતે કંટાળીના 2 હજાર ગ્રામજનોએ સાથે મળીને ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે