જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી મારી રહ્યા છે વલખા


  • Published By :
  • Published Date : 2022-11-13 16:20:58

જે ભરોસાની ભાજપના શેરીઓમાં વાહન ચલાવીને ગુણગાન ગવાઈ રહ્યા છે અને સરકારે સંપૂર્ણ ગુજરાતમાં નળથી પાણી આપ્યું છે તેવી જાહેરાત કરી દીધી છે તેની વચ્ચે જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી વલખા મારી રહ્યા છે. જંગર ગામ નજીક ચાર-ચાર ડેમ હોવા છતાં ગામમાં પાણીના પ્રશ્નો ત્યાંને ત્યાં જ છે. જેના કારણે જંગર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને કોઈ પણ રાજકીય પાર્ટીઓને ગામમાં ફરકવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. 

કંટાળીને ગામના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો

પ્રધાનમંત્રીના કાર્યકાળના પહેલાના સમયથી આ લોકો કેનાલ માટે માગ કરી રહ્યા છે. ત્યારબાદ અનેક પાર્ટીઓ આવી મત લઈને જતી પણ રહી, પણ કામ ના થયું. 2009ના સમયમાં કેનાલની મંજૂરી અપાઈ હતી પરંતુ એ પણ આજની પરિસ્થિતિમાં લટકેલી પડી છે. એસ્ટિમેટ અપાઈ ગયું છે છતાં કામગીરી હજુ પણ નથી કરવામાં આવી. અંતે કંટાળીના 2 હજાર ગ્રામજનોએ સાથે મળીને ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.