Surendranagar Loksabhaના ઉમેદવાર Chandu Sihorનાં વિરોધમાં કોળી સમાજના લોકો! ઉમેદવારને બદલવા ઉઠી માગ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-03-27 15:50:37

ભારતીય જનતા પાર્ટીની હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે રોજ સવાર પડે અને નવા ડખા શરૂ થઈ જશે.. વિરોધના વંટોળમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ છે તેવું લાગે છે..! લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તો આંતરિક ચાલતા ડખા ખુલ્લીને બહાર આવી રહ્યા છે. સાબરકાંઠાના ઉમેદવાર બદલાતા વિરોધ થયો, ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને લઈ વિવાદ છેડાયો છે.  

જો ઉમેદવારને નહીં બદલવામાં આવે તો... 

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ તો આ કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બીજેપી તુજશે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં તો વલસાડમાં ઉમેદવાર વિરોધ પત્રિકા કાંડ અને મનસુખ માંડવિયાના વિરોધ પોસ્ટર વોર અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને નહીં બદલે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.   સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે. 


'જો કોંગ્રેસ ટિકીટ આપશે તો...' -સોમાભાઈ ગાંડા

તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. સોમાભાઇ ગાંડાએ સ્પષ્ટતા કરી હતી કે એ ટિકિટ માગવા નહીં જાય પણ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. ઋત્વિક મકવાણાએ પણ તળપદા કોળી સમાજના આગેવાનોની વાત કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી. તો સુરેન્દ્રનગરમાં પણ વિરોધની જવાળા ફાટી છે અને ત્યાં પણ ખેલ પડી શકે છે. 



ભાજપની આ હાલત કોંગ્રેસીકરણને કારણે થઈ છે!

ભાજપ હંમેશાથી પોતાની માઇક્રો પ્લાનિંગ માટે ચર્ચામાં હોય છે. આ વખતે વિસ્તાર પ્રમાણે જાતિગત સમીકરણો પણ ગોઠવ્યા હતા પણ ભાજપની આ વખતે બધી બાજી ઊલટી પડતી દેખાય છે.  ગઈકાલે પણ સાબરકાંઠામાં હજારો લોકો કમલમ પર ભેગા થયા વિરોધ માટે. વિરોધ શેનો તેની વાત કરીએ તો ભીખાજીએ ચૂંટણી લડવાની ના પડી અને શોભના બેનને ટિકિટ આપી. ભીખાજીના સમર્થકો કહી રહ્યા છે કે ભીખાજીને ટિકીટ નહિં તો ભાજપને વોટ નહિ. ત્યારે ભાજપની આ સ્થિતિ અતિશય કોંગ્રેસીકરણ કરવાના કારણે થઈ છે એ સવાલ છે.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .