Surendranagar Loksabhaના ઉમેદવાર Chandu Sihorનાં વિરોધમાં કોળી સમાજના લોકો! ઉમેદવારને બદલવા ઉઠી માગ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-03-27 15:50:37

ભારતીય જનતા પાર્ટીની હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે રોજ સવાર પડે અને નવા ડખા શરૂ થઈ જશે.. વિરોધના વંટોળમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ છે તેવું લાગે છે..! લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તો આંતરિક ચાલતા ડખા ખુલ્લીને બહાર આવી રહ્યા છે. સાબરકાંઠાના ઉમેદવાર બદલાતા વિરોધ થયો, ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને લઈ વિવાદ છેડાયો છે.  

જો ઉમેદવારને નહીં બદલવામાં આવે તો... 

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ તો આ કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બીજેપી તુજશે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં તો વલસાડમાં ઉમેદવાર વિરોધ પત્રિકા કાંડ અને મનસુખ માંડવિયાના વિરોધ પોસ્ટર વોર અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને નહીં બદલે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.   સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે. 


'જો કોંગ્રેસ ટિકીટ આપશે તો...' -સોમાભાઈ ગાંડા

તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. સોમાભાઇ ગાંડાએ સ્પષ્ટતા કરી હતી કે એ ટિકિટ માગવા નહીં જાય પણ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. ઋત્વિક મકવાણાએ પણ તળપદા કોળી સમાજના આગેવાનોની વાત કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી. તો સુરેન્દ્રનગરમાં પણ વિરોધની જવાળા ફાટી છે અને ત્યાં પણ ખેલ પડી શકે છે. 



ભાજપની આ હાલત કોંગ્રેસીકરણને કારણે થઈ છે!

ભાજપ હંમેશાથી પોતાની માઇક્રો પ્લાનિંગ માટે ચર્ચામાં હોય છે. આ વખતે વિસ્તાર પ્રમાણે જાતિગત સમીકરણો પણ ગોઠવ્યા હતા પણ ભાજપની આ વખતે બધી બાજી ઊલટી પડતી દેખાય છે.  ગઈકાલે પણ સાબરકાંઠામાં હજારો લોકો કમલમ પર ભેગા થયા વિરોધ માટે. વિરોધ શેનો તેની વાત કરીએ તો ભીખાજીએ ચૂંટણી લડવાની ના પડી અને શોભના બેનને ટિકિટ આપી. ભીખાજીના સમર્થકો કહી રહ્યા છે કે ભીખાજીને ટિકીટ નહિં તો ભાજપને વોટ નહિ. ત્યારે ભાજપની આ સ્થિતિ અતિશય કોંગ્રેસીકરણ કરવાના કારણે થઈ છે એ સવાલ છે.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.