Surendranagar Loksabhaના ઉમેદવાર Chandu Sihorનાં વિરોધમાં કોળી સમાજના લોકો! ઉમેદવારને બદલવા ઉઠી માગ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-03-27 15:50:37

ભારતીય જનતા પાર્ટીની હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે રોજ સવાર પડે અને નવા ડખા શરૂ થઈ જશે.. વિરોધના વંટોળમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ છે તેવું લાગે છે..! લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તો આંતરિક ચાલતા ડખા ખુલ્લીને બહાર આવી રહ્યા છે. સાબરકાંઠાના ઉમેદવાર બદલાતા વિરોધ થયો, ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને લઈ વિવાદ છેડાયો છે.  

જો ઉમેદવારને નહીં બદલવામાં આવે તો... 

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ તો આ કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બીજેપી તુજશે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં તો વલસાડમાં ઉમેદવાર વિરોધ પત્રિકા કાંડ અને મનસુખ માંડવિયાના વિરોધ પોસ્ટર વોર અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને નહીં બદલે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.   સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે. 


'જો કોંગ્રેસ ટિકીટ આપશે તો...' -સોમાભાઈ ગાંડા

તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. સોમાભાઇ ગાંડાએ સ્પષ્ટતા કરી હતી કે એ ટિકિટ માગવા નહીં જાય પણ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. ઋત્વિક મકવાણાએ પણ તળપદા કોળી સમાજના આગેવાનોની વાત કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી. તો સુરેન્દ્રનગરમાં પણ વિરોધની જવાળા ફાટી છે અને ત્યાં પણ ખેલ પડી શકે છે. 



ભાજપની આ હાલત કોંગ્રેસીકરણને કારણે થઈ છે!

ભાજપ હંમેશાથી પોતાની માઇક્રો પ્લાનિંગ માટે ચર્ચામાં હોય છે. આ વખતે વિસ્તાર પ્રમાણે જાતિગત સમીકરણો પણ ગોઠવ્યા હતા પણ ભાજપની આ વખતે બધી બાજી ઊલટી પડતી દેખાય છે.  ગઈકાલે પણ સાબરકાંઠામાં હજારો લોકો કમલમ પર ભેગા થયા વિરોધ માટે. વિરોધ શેનો તેની વાત કરીએ તો ભીખાજીએ ચૂંટણી લડવાની ના પડી અને શોભના બેનને ટિકિટ આપી. ભીખાજીના સમર્થકો કહી રહ્યા છે કે ભીખાજીને ટિકીટ નહિં તો ભાજપને વોટ નહિ. ત્યારે ભાજપની આ સ્થિતિ અતિશય કોંગ્રેસીકરણ કરવાના કારણે થઈ છે એ સવાલ છે.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .