Jamanagarમાં PoonamBen Madamની સભામાં ઘૂસી આવ્યા Kshatriya Samajના લોકો, કર્યો વિરોધ, વિરોધ જોતા પૂનમબેન માડમને કહેવું પડ્યું કે.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 10:46:23

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ એક નિવેદન આપે છે.. નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેરઠેર થાય છે.. ઉમેદવાર સામે શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે પાર્ટીના વિરોધમાં પલટાય છે અને પછી ભાજપનો વિરોધ થવાનો શરૂ થાય છે.. ભાજપના અનેક નેતાઓ વિરોધનો સામનો કરી ચૂક્યા છે જ્યારે અનેક ઉમેદવાર હજી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને તો જાણે રોજે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..

 

ભાજપ અને પરષોત્તમ રૂપાલા હાય હાયના લાગ્યા નારા! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ થઈ રહ્યો હતો પરંતુ  ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ચૂંટણી નજીક છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો ગુસ્સો પણ જાણે ચરમસીમા પર પહોંચી ગયો છે.. અનેક ઉમેદવારોની રેલીમાં, રોડ શોમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચી જાય છે.. પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા તો ભાજપ હાય હાયના નારા પણ લગાવાય છે... પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે..   


પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

જેટલો વિરોધ ભાજપના બીજા ઉમેદવારોને કરવો પડી રહ્યો છે તેટલા વિરોધનો સામનો તો કદાચ પરષોત્તમ રૂપાલાને પણ નહીં કરવો પડ્યો હોય... જામનગરથી પ્રતિદિન વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલમાં ગઈકાલે ઉગ્ર વિરોધ થયો. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોનો રોષ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં જે વિરોધ કરી રહેલા ક્ષત્રિય લોકોને કહેતા સંભળાઈ રહ્યા છે કે હવે આ વધારે થઈ રહ્યું છે....


જામનગરમાં પીએમ મોદી કરવાના છે ચૂંટણી પ્રચાર 

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે.. મહત્વનું છે પીએમ મોદી જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે... પીએમ મોદીના પ્રચાર બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાય છે કે વિરોધ યથાવત રહે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.