Jamanagarમાં PoonamBen Madamની સભામાં ઘૂસી આવ્યા Kshatriya Samajના લોકો, કર્યો વિરોધ, વિરોધ જોતા પૂનમબેન માડમને કહેવું પડ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-04-30 10:46:23

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ એક નિવેદન આપે છે.. નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેરઠેર થાય છે.. ઉમેદવાર સામે શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે પાર્ટીના વિરોધમાં પલટાય છે અને પછી ભાજપનો વિરોધ થવાનો શરૂ થાય છે.. ભાજપના અનેક નેતાઓ વિરોધનો સામનો કરી ચૂક્યા છે જ્યારે અનેક ઉમેદવાર હજી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને તો જાણે રોજે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..

 

ભાજપ અને પરષોત્તમ રૂપાલા હાય હાયના લાગ્યા નારા! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ થઈ રહ્યો હતો પરંતુ  ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ચૂંટણી નજીક છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો ગુસ્સો પણ જાણે ચરમસીમા પર પહોંચી ગયો છે.. અનેક ઉમેદવારોની રેલીમાં, રોડ શોમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચી જાય છે.. પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા તો ભાજપ હાય હાયના નારા પણ લગાવાય છે... પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે..   


પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

જેટલો વિરોધ ભાજપના બીજા ઉમેદવારોને કરવો પડી રહ્યો છે તેટલા વિરોધનો સામનો તો કદાચ પરષોત્તમ રૂપાલાને પણ નહીં કરવો પડ્યો હોય... જામનગરથી પ્રતિદિન વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલમાં ગઈકાલે ઉગ્ર વિરોધ થયો. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોનો રોષ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં જે વિરોધ કરી રહેલા ક્ષત્રિય લોકોને કહેતા સંભળાઈ રહ્યા છે કે હવે આ વધારે થઈ રહ્યું છે....


જામનગરમાં પીએમ મોદી કરવાના છે ચૂંટણી પ્રચાર 

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે.. મહત્વનું છે પીએમ મોદી જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે... પીએમ મોદીના પ્રચાર બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાય છે કે વિરોધ યથાવત રહે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે