Jamanagarમાં PoonamBen Madamની સભામાં ઘૂસી આવ્યા Kshatriya Samajના લોકો, કર્યો વિરોધ, વિરોધ જોતા પૂનમબેન માડમને કહેવું પડ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-04-30 10:46:23

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ એક નિવેદન આપે છે.. નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેરઠેર થાય છે.. ઉમેદવાર સામે શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે પાર્ટીના વિરોધમાં પલટાય છે અને પછી ભાજપનો વિરોધ થવાનો શરૂ થાય છે.. ભાજપના અનેક નેતાઓ વિરોધનો સામનો કરી ચૂક્યા છે જ્યારે અનેક ઉમેદવાર હજી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને તો જાણે રોજે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..

 

ભાજપ અને પરષોત્તમ રૂપાલા હાય હાયના લાગ્યા નારા! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ થઈ રહ્યો હતો પરંતુ  ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ચૂંટણી નજીક છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો ગુસ્સો પણ જાણે ચરમસીમા પર પહોંચી ગયો છે.. અનેક ઉમેદવારોની રેલીમાં, રોડ શોમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચી જાય છે.. પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા તો ભાજપ હાય હાયના નારા પણ લગાવાય છે... પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે..   


પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

જેટલો વિરોધ ભાજપના બીજા ઉમેદવારોને કરવો પડી રહ્યો છે તેટલા વિરોધનો સામનો તો કદાચ પરષોત્તમ રૂપાલાને પણ નહીં કરવો પડ્યો હોય... જામનગરથી પ્રતિદિન વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલમાં ગઈકાલે ઉગ્ર વિરોધ થયો. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોનો રોષ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં જે વિરોધ કરી રહેલા ક્ષત્રિય લોકોને કહેતા સંભળાઈ રહ્યા છે કે હવે આ વધારે થઈ રહ્યું છે....


જામનગરમાં પીએમ મોદી કરવાના છે ચૂંટણી પ્રચાર 

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે.. મહત્વનું છે પીએમ મોદી જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે... પીએમ મોદીના પ્રચાર બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાય છે કે વિરોધ યથાવત રહે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.