Jamanagarમાં PoonamBen Madamની સભામાં ઘૂસી આવ્યા Kshatriya Samajના લોકો, કર્યો વિરોધ, વિરોધ જોતા પૂનમબેન માડમને કહેવું પડ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-04-30 10:46:23

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ એક નિવેદન આપે છે.. નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાય છે... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેરઠેર થાય છે.. ઉમેદવાર સામે શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે પાર્ટીના વિરોધમાં પલટાય છે અને પછી ભાજપનો વિરોધ થવાનો શરૂ થાય છે.. ભાજપના અનેક નેતાઓ વિરોધનો સામનો કરી ચૂક્યા છે જ્યારે અનેક ઉમેદવાર હજી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને તો જાણે રોજે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..

 

ભાજપ અને પરષોત્તમ રૂપાલા હાય હાયના લાગ્યા નારા! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ થઈ રહ્યો હતો પરંતુ  ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ચૂંટણી નજીક છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો ગુસ્સો પણ જાણે ચરમસીમા પર પહોંચી ગયો છે.. અનેક ઉમેદવારોની રેલીમાં, રોડ શોમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચી જાય છે.. પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા તો ભાજપ હાય હાયના નારા પણ લગાવાય છે... પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે..   


પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

જેટલો વિરોધ ભાજપના બીજા ઉમેદવારોને કરવો પડી રહ્યો છે તેટલા વિરોધનો સામનો તો કદાચ પરષોત્તમ રૂપાલાને પણ નહીં કરવો પડ્યો હોય... જામનગરથી પ્રતિદિન વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલમાં ગઈકાલે ઉગ્ર વિરોધ થયો. પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોનો રોષ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં જે વિરોધ કરી રહેલા ક્ષત્રિય લોકોને કહેતા સંભળાઈ રહ્યા છે કે હવે આ વધારે થઈ રહ્યું છે....


જામનગરમાં પીએમ મોદી કરવાના છે ચૂંટણી પ્રચાર 

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે.. મહત્વનું છે પીએમ મોદી જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે... પીએમ મોદીના પ્રચાર બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાય છે કે વિરોધ યથાવત રહે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .