Kshatriya Samajના લોકોમાં રોષ યથાવત! ક્ષત્રિય સમાજના સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મેં ફોન કર્યો પણ... સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-05-04 12:20:30

એક તરફ ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો કરવામાં આવી રહ્યા છે.... પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો આ વિવાદ ભાજપના વિવાદમાં ફેરવાઈ ગયો... ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોળકાના ચંડીસર ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે ભાજપનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો...

ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત!

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા છે.... પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે... ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેની કોઈ અસર હજી સુધી દેખાઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..  ક્ષત્રિય સમાજના લોકોએ પોતાની લડાઈ ચાલૂ રાખી છે..! અનેક જગ્યાઓ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા.. ત્યારે થોડા દિવસ પહેલા યોજાયેલા સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે નિવેદન આપ્યું હતું.. 


શંકરસિંહ વાઘેલાએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ!

પોતાના નિવેદનમાં તેમણે સમાજની વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે સી.આર.પાટીલના ફોનની વાત કરી હતી. ઉમેદવારને બદલવામાં આવે તે માટે તેમણે રજૂઆત કરી પરંતુ ઉમેદવાર બદલવામાં આવ્યો નહીં તેવું તેમણે કહ્યું.. ક્ષત્રિય સમાજની માગ હતી કે ઉમેદવાર બદલવામાં આવે અને નથી બદલવામાં આવ્યો તો તે તેનો વાંક નથી, પાર્ટીનો વાંક છે તેવી પણ વાત તેમણે સંબોધનમાં કરી હતી.. મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં  મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.