Kshatriya Samajના લોકોમાં રોષ યથાવત! ક્ષત્રિય સમાજના સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મેં ફોન કર્યો પણ... સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-05-04 12:20:30

એક તરફ ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો કરવામાં આવી રહ્યા છે.... પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો આ વિવાદ ભાજપના વિવાદમાં ફેરવાઈ ગયો... ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોળકાના ચંડીસર ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે ભાજપનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો...

ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત!

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા છે.... પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે... ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેની કોઈ અસર હજી સુધી દેખાઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..  ક્ષત્રિય સમાજના લોકોએ પોતાની લડાઈ ચાલૂ રાખી છે..! અનેક જગ્યાઓ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા.. ત્યારે થોડા દિવસ પહેલા યોજાયેલા સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે નિવેદન આપ્યું હતું.. 


શંકરસિંહ વાઘેલાએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ!

પોતાના નિવેદનમાં તેમણે સમાજની વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે સી.આર.પાટીલના ફોનની વાત કરી હતી. ઉમેદવારને બદલવામાં આવે તે માટે તેમણે રજૂઆત કરી પરંતુ ઉમેદવાર બદલવામાં આવ્યો નહીં તેવું તેમણે કહ્યું.. ક્ષત્રિય સમાજની માગ હતી કે ઉમેદવાર બદલવામાં આવે અને નથી બદલવામાં આવ્યો તો તે તેનો વાંક નથી, પાર્ટીનો વાંક છે તેવી પણ વાત તેમણે સંબોધનમાં કરી હતી.. મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં  મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા..   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે