આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણાની જનતા આપશે ચુકાદો, જમાવટ પર જુઓ પરિણામોની તમામ અપડેટ્સ


  • Published By :
  • Published Date : 2023-12-03 09:23:38

દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમના મતદારોએ નવેમ્બરમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે  ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મિઝોરમમાં 4 ડિસેમ્બરે મતગણતરી થશે. આ રાજ્યોમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 200, તેલંગાણામાં 119 અને છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો છે. આ ચાર રાજ્યોમાંથી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. 


આજે 8 વાગ્યાથી મતગણતરી શરૂ 


પાંચ રાજ્યોમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. ચાર રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ત્યારબાદ અપડેટ સામે આવવા લાગશે. મિઝોરમમાં મત ગણતરી એક દિવસ આગળ વધી છે. એટલે કે હવે પરિણામ 4 ડિસેમ્બરે આવશે.હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે, જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો છે અને અનુક્રમે ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. ત્યારે તેલંગાણામાં બીઆરએસ સરકાર છે અને કે ચંદ્રશેખર રાવ સીએમ છે. આવી સ્થિતિમાં આ ચારેય મુખ્યમંત્રીઓના રાજકીય ભવિષ્ય અંગે આજે જનતા પોતાનો ચુકાદો આપશે.  

 

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી  ટક્કર


આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે, કે. ચંદ્રશેખર રાવ (KCR)ની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેલંગાણામાં 'હેટ્રિક' ફટકારવા માંગે છે. વિવિધ એક્ઝિટ પોલે પોતાના અનુમાનો આપ્યા છે. એક્ઝિટ પોલ કેટલા સચોટ સાબિત થશે તે આજે બપોર સુધીમાં ખબર પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મત ગણતરી સંબંધિત તમામ અપડેટ્સ માટે જમાવટ સાથે જોડાયેલા રહો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.