Thakor સમાજના લોકો Alpesh Thakor પર થયા ગુસ્સે! મહિલાઓ તો જબરજસ્ત બગડી, રોષે ભરાયેલી મહિલાઓએ કહ્યું કે આ બંગડી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 17:00:16

આશરે એક મહિના પહેલા અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે તેના પડઘા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. જ્યારે ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે સમાજના લોકોને અપેક્ષા હતી કે સત્તા પક્ષ અને એમના સમાજના નેતા અલ્પેશ ઠાકોર એમની મદદ કરે પણ એની જગ્યાએ અલ્પેશ ઠાકોરએ જાહેર મંચ પરથી સમાજના લોકોને સલાહ આપી કે દબાણની જગ્યા ખાલી કરો અને સાથે જ 5 લાખ આપવાની વાત કરી તો હવે સમાજના લોકો બગડ્યા છે.

અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના લોકોને આપી હતી સલાહ!

સ્થાનિકોનો ગુસ્સો અલ્પેશ ઠાકોર પ્રત્યે દેખાઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો જેમાં એ અલ્પેશ ઠાકોરને કહે છે કે આ બંગડીઓ તમારા માટે રાખી છે તમે ગદ્દાર છો સાથે જે ભાષા એ વાપરી રહ્યા છે એ અમે વાપરી નહીં શકીએ. જોકે અલ્પેશ ઠાકોર એક કાર્યક્રમમાં હતા તો તેમણે નિવેદન આપ્યું કે સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.


કઈ ઘટનાને લઈ ફાટી નિકળ્યો હતો લોકોમાં રોષ? 

અમદાવાદના કેશવનગર વિસ્તારની ચાલીમાં ચાલીસ વર્ષ જૂના 150 મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામા આવ્યા હોવાથી સાતસો જેટલા લોકો ઘર વિહોણા બની રસ્તા પર આવી ગયા છે જેને કારણે હાલ ઠાકોર સમાજમાં રોષ છે અને એ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે ને આગળ શું વિરોધ પણ કરવાના છે તો આ સમસ્યાનો ઉકેલ સરકાર લાવે છે કે નહીં તે જોવાનું રહ્યું



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.