Thakor સમાજના લોકો Alpesh Thakor પર થયા ગુસ્સે! મહિલાઓ તો જબરજસ્ત બગડી, રોષે ભરાયેલી મહિલાઓએ કહ્યું કે આ બંગડી...


  • Published By :
  • Published Date : 2024-03-08 17:00:16

આશરે એક મહિના પહેલા અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે તેના પડઘા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. જ્યારે ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે સમાજના લોકોને અપેક્ષા હતી કે સત્તા પક્ષ અને એમના સમાજના નેતા અલ્પેશ ઠાકોર એમની મદદ કરે પણ એની જગ્યાએ અલ્પેશ ઠાકોરએ જાહેર મંચ પરથી સમાજના લોકોને સલાહ આપી કે દબાણની જગ્યા ખાલી કરો અને સાથે જ 5 લાખ આપવાની વાત કરી તો હવે સમાજના લોકો બગડ્યા છે.

અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના લોકોને આપી હતી સલાહ!

સ્થાનિકોનો ગુસ્સો અલ્પેશ ઠાકોર પ્રત્યે દેખાઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો જેમાં એ અલ્પેશ ઠાકોરને કહે છે કે આ બંગડીઓ તમારા માટે રાખી છે તમે ગદ્દાર છો સાથે જે ભાષા એ વાપરી રહ્યા છે એ અમે વાપરી નહીં શકીએ. જોકે અલ્પેશ ઠાકોર એક કાર્યક્રમમાં હતા તો તેમણે નિવેદન આપ્યું કે સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.


કઈ ઘટનાને લઈ ફાટી નિકળ્યો હતો લોકોમાં રોષ? 

અમદાવાદના કેશવનગર વિસ્તારની ચાલીમાં ચાલીસ વર્ષ જૂના 150 મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામા આવ્યા હોવાથી સાતસો જેટલા લોકો ઘર વિહોણા બની રસ્તા પર આવી ગયા છે જેને કારણે હાલ ઠાકોર સમાજમાં રોષ છે અને એ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે ને આગળ શું વિરોધ પણ કરવાના છે તો આ સમસ્યાનો ઉકેલ સરકાર લાવે છે કે નહીં તે જોવાનું રહ્યું



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.