Thakor સમાજના લોકો Alpesh Thakor પર થયા ગુસ્સે! મહિલાઓ તો જબરજસ્ત બગડી, રોષે ભરાયેલી મહિલાઓએ કહ્યું કે આ બંગડી...


  • Published By :
  • Published Date : 2024-03-08 17:00:16

આશરે એક મહિના પહેલા અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે તેના પડઘા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. જ્યારે ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે સમાજના લોકોને અપેક્ષા હતી કે સત્તા પક્ષ અને એમના સમાજના નેતા અલ્પેશ ઠાકોર એમની મદદ કરે પણ એની જગ્યાએ અલ્પેશ ઠાકોરએ જાહેર મંચ પરથી સમાજના લોકોને સલાહ આપી કે દબાણની જગ્યા ખાલી કરો અને સાથે જ 5 લાખ આપવાની વાત કરી તો હવે સમાજના લોકો બગડ્યા છે.

અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના લોકોને આપી હતી સલાહ!

સ્થાનિકોનો ગુસ્સો અલ્પેશ ઠાકોર પ્રત્યે દેખાઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો જેમાં એ અલ્પેશ ઠાકોરને કહે છે કે આ બંગડીઓ તમારા માટે રાખી છે તમે ગદ્દાર છો સાથે જે ભાષા એ વાપરી રહ્યા છે એ અમે વાપરી નહીં શકીએ. જોકે અલ્પેશ ઠાકોર એક કાર્યક્રમમાં હતા તો તેમણે નિવેદન આપ્યું કે સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.


કઈ ઘટનાને લઈ ફાટી નિકળ્યો હતો લોકોમાં રોષ? 

અમદાવાદના કેશવનગર વિસ્તારની ચાલીમાં ચાલીસ વર્ષ જૂના 150 મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામા આવ્યા હોવાથી સાતસો જેટલા લોકો ઘર વિહોણા બની રસ્તા પર આવી ગયા છે જેને કારણે હાલ ઠાકોર સમાજમાં રોષ છે અને એ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે ને આગળ શું વિરોધ પણ કરવાના છે તો આ સમસ્યાનો ઉકેલ સરકાર લાવે છે કે નહીં તે જોવાનું રહ્યું



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે