ગુજરાતના આ 18 ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2022-11-13 14:37:17

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે. તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે. જોકે નવસારી વિધાનસભાના 18 ગામોના લોકોએ તમામ પક્ષોની ચિંતા વધારી છે. આ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ગામમાં ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓના આવવા અને પ્રચાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Navsari: રોજગારીને અસર પડતી હોવાથી વિવિધ ટ્રેનને અંચેલીમાં રેલ્વે સ્ટેશનનું  સ્ટોપેજ આપવા માંગણી | TV9 Gujarati

મળતી માહિતી મુજબ, ગ્રામીણો ઘણા સમયથી અંચેલી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનને રોકવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની માંગ સ્વીકારવામાં આવી નથી, જેના કારણે તેઓ નારાજ છે. અંચેલી રેલવે સ્ટેશન અને અન્ય સ્ટેશનો પર ગ્રામજનો વતી બેનરો પણ લગાવવામાં આવ્યા છે. તેમના પર લખેલું છે કે, 'નો ટ્રેન, તો વોટ નહીં'.


ટ્રેનના અભાવે ગ્રામજનો સામે અનેક સમસ્યાઓ

No train, no votes," Navsari's 18 villages call for assembly poll boycott

ગ્રામજનોનું કહેવું છે કે રેલ્વે સ્ટેશન પર ટ્રેન ન રોકાવાને કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યક્તિએ બીજી જગ્યાએ જવા માટે ઓછામાં ઓછા 300 રૂપિયા ખર્ચવા પડે છે. તેમનું કહેવું છે કે ગામમાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણીવાર તેમને કોલેજ જવામાં મોડું થાય છે, જેના કારણે લેક્ચર પણ ચૂકી જાય છે.


કોરોના પહેલા ટ્રેનો રોકાતી હતી

No train, no votes," Navsari's 18 villages call for poll boycott

એક સ્થાનિક રહેવાસીનું કહેવું છે કે અંચેલી રેલવે સ્ટેશન પર 1966થી ટ્રેનો રોકાઈ રહી છે. પહેલા અહીં પેસેન્જર ટ્રેન રોકાતી હતી, બાદમાં તેમની સંખ્યા વધી ગઈ. જો કે, કોરોના રોગચાળાના સમયે, આ સ્ટેશન પર ટ્રેનો રોકવામાં આવી હતી. હવે જ્યારે બધું સામાન્ય થઈ ગયું છે ત્યારે અહીં ટ્રેનો રોકાઈ રહી નથી. ગ્રામજનોનું કહેવું છે કે જો અહીં ટ્રેન નહીં રોકાય તો મતદાનના દિવસે કોઈ મતદાન કરવા જશે નહીં.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.