આ જિલ્લાઓના લોકોએ વરસાદ માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ શું કરી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-08-01 16:39:47

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. એટલો ભારે વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો હતો કે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદના ત્રણ રાઉન્ડે સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. બંગાળમાં લો  પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર જોવા મળવાની છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા આ અંગેની આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યત્વે ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લામાં મધ્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તરગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારસુધી ચોમાસાનો અનેક ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નવા નીરનું આગમન નદીમાં તેમજ ડેમમાં થયું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.