આ જિલ્લાઓના લોકોએ વરસાદ માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ શું કરી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-08-01 16:39:47

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. એટલો ભારે વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો હતો કે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદના ત્રણ રાઉન્ડે સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. બંગાળમાં લો  પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર જોવા મળવાની છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા આ અંગેની આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યત્વે ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લામાં મધ્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તરગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારસુધી ચોમાસાનો અનેક ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નવા નીરનું આગમન નદીમાં તેમજ ડેમમાં થયું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.