આ જિલ્લાઓના લોકોએ વરસાદ માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ શું કરી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-08-01 16:39:47

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. એટલો ભારે વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો હતો કે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદના ત્રણ રાઉન્ડે સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. બંગાળમાં લો  પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર જોવા મળવાની છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા આ અંગેની આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યત્વે ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લામાં મધ્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તરગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારસુધી ચોમાસાનો અનેક ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નવા નીરનું આગમન નદીમાં તેમજ ડેમમાં થયું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.