Ahmedabad Police Commissionerના નવા આદેશ પર લોકોએ આપી પ્રતિક્રિયા, કોઈએ લખ્યું કે બજેટ વધારો તો કોઈએ કહ્યું કે જો પોલીસવાળા પકડાય તો...


  • Published By :
  • Published Date : 2023-12-23 10:57:12

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. અનેક કિસ્સાઓમાં પોલીસની નિષ્ઠતા પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ત્યારે ગઈકાલથી અમદાવાદ પોલીસ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી તેને લઈ.એ પોસ્ટ હતી  ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટેની. પોસ્ટમાં લખવામાં આવ્યું કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રુપિયા 200 ઈનામ આપવામાં આવશે.

પોલીસવાળાને આપવામાં આવશે 200નું ઈનામ 

એક ચર્ચા તો એવી થઈ કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? બીજી ચર્ચા જે રકમ પોલીસકર્મી માટે નક્કી કરવામાં આવી છે તેની થઈ. આ નિર્ણય કદાચ દારૂબંધીના  કાયદાને પોલીસ ગંભીરતાથી લે, તેનું કડક પાલન થાય અને તેમને 200 રુપિયા મળે તે હેતુથી કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દો તો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે પરંતુ જે રકમ નક્કી જે ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે મજાકનો વિષય બન્યો છે.  આપણામાંથી અનેક એવા લોકો હશે જે દિવસ દરમિયાન 200 રૂપિયા એમનેમ વાપરી નાખતા હશે. ત્યારે આ રકમ જે ઈનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે તે જાણે પોલીસની મજાક કરી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.



આ ઈનામની રકમ તો હમણાં વધી... 

જે પોલીસ વાળા આ નવા આદેશ અંતર્ગત કેસ કરશે તેમના કામગીરીની નોંધ લેવામાં આવશે. ગુડબુકમાં તેમના નામને ઉમેરવામાં આવશે. 200 રુપિયા કદાચ આપણને નાની રકમ લાગતી હશે પરંતુ એ કર્મચારીઓ માટે તો મોટી છે જેમને ઈનામ સ્વરૂપે પહેલા 25 કે 50 રુપિયા મળતા હતા. અનેક પ્રદર્શનો બાદ, અનેક વિરોધ બાદ આ ઈનામની રકમ વધી છે. 


અલગ અલગ યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા X પર જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારે અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા આપી. અનેક લોકોએ એ જ વાત કરી, એવી જ કમેન્ટ કરી કે કેસ ન કરવા માટે 1000 રુપિયા પેલો હસ્તા હસ્તા આપશે. તો કોઈએ લખ્યું કે દારૂ પીધેલ 2000 સીધા આપી દેશે, કોણ કેસ લઈને આવશે સાહેબ? તો કોઈએ લખ્યું 200 રુપિયા માટે પોલીસ કર્મચારી કેસ કરશે અને પછી પોતે પણ કોર્ટના ધક્કા ખાશે? કોઈએ લખ્યું બજેટ વધારો. એક યુઝરે લખ્યું કે બસ 200 રુપિયા...? શું આવે આજના જમાનામાં આ રુપિયામાં? પીવા વાળા રુપિયા 2000 આપીને નીકળી જાય સાહેબ.. બીજી તો આવી ઘણી કમેન્ટ છે.



જો પોલીસવાળા નશાની હાલતમાં પકડાય તો?

તે સિવાય જે બીજી કમેન્ટ છે તેમાં નાગરિકો પૂછી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ મળે છે ખરો? તે ઉપરાંત કોઈએ લખ્યું કે જો પોલીસવાળા જ આવી હાલતમાં મળે તો? એક યુઝરે લખ્યુંકે અને નાગરિક પકડીને કે માહિતી આપે તો.. અમારૂં તો વિચારો સાહેબ... તો કોઈએ લખ્યું કે સાહેબશ્રી, ખૂબ આવકારવા લાયક પગલુ ગુજરાત પોલીસ દ્વારા, ઈ પણ જણવી દયો કે કોઈ પોલીસકર્મચારી દારૂ પીધેલ માલૂમ પડશે તો એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.  




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.