Ahmedabad Police Commissionerના નવા આદેશ પર લોકોએ આપી પ્રતિક્રિયા, કોઈએ લખ્યું કે બજેટ વધારો તો કોઈએ કહ્યું કે જો પોલીસવાળા પકડાય તો...


  • Published By :
  • Published Date : 2023-12-23 10:57:12

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. અનેક કિસ્સાઓમાં પોલીસની નિષ્ઠતા પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ત્યારે ગઈકાલથી અમદાવાદ પોલીસ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી તેને લઈ.એ પોસ્ટ હતી  ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટેની. પોસ્ટમાં લખવામાં આવ્યું કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રુપિયા 200 ઈનામ આપવામાં આવશે.

પોલીસવાળાને આપવામાં આવશે 200નું ઈનામ 

એક ચર્ચા તો એવી થઈ કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? બીજી ચર્ચા જે રકમ પોલીસકર્મી માટે નક્કી કરવામાં આવી છે તેની થઈ. આ નિર્ણય કદાચ દારૂબંધીના  કાયદાને પોલીસ ગંભીરતાથી લે, તેનું કડક પાલન થાય અને તેમને 200 રુપિયા મળે તે હેતુથી કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દો તો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે પરંતુ જે રકમ નક્કી જે ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે મજાકનો વિષય બન્યો છે.  આપણામાંથી અનેક એવા લોકો હશે જે દિવસ દરમિયાન 200 રૂપિયા એમનેમ વાપરી નાખતા હશે. ત્યારે આ રકમ જે ઈનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે તે જાણે પોલીસની મજાક કરી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.



આ ઈનામની રકમ તો હમણાં વધી... 

જે પોલીસ વાળા આ નવા આદેશ અંતર્ગત કેસ કરશે તેમના કામગીરીની નોંધ લેવામાં આવશે. ગુડબુકમાં તેમના નામને ઉમેરવામાં આવશે. 200 રુપિયા કદાચ આપણને નાની રકમ લાગતી હશે પરંતુ એ કર્મચારીઓ માટે તો મોટી છે જેમને ઈનામ સ્વરૂપે પહેલા 25 કે 50 રુપિયા મળતા હતા. અનેક પ્રદર્શનો બાદ, અનેક વિરોધ બાદ આ ઈનામની રકમ વધી છે. 


અલગ અલગ યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા X પર જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારે અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા આપી. અનેક લોકોએ એ જ વાત કરી, એવી જ કમેન્ટ કરી કે કેસ ન કરવા માટે 1000 રુપિયા પેલો હસ્તા હસ્તા આપશે. તો કોઈએ લખ્યું કે દારૂ પીધેલ 2000 સીધા આપી દેશે, કોણ કેસ લઈને આવશે સાહેબ? તો કોઈએ લખ્યું 200 રુપિયા માટે પોલીસ કર્મચારી કેસ કરશે અને પછી પોતે પણ કોર્ટના ધક્કા ખાશે? કોઈએ લખ્યું બજેટ વધારો. એક યુઝરે લખ્યું કે બસ 200 રુપિયા...? શું આવે આજના જમાનામાં આ રુપિયામાં? પીવા વાળા રુપિયા 2000 આપીને નીકળી જાય સાહેબ.. બીજી તો આવી ઘણી કમેન્ટ છે.



જો પોલીસવાળા નશાની હાલતમાં પકડાય તો?

તે સિવાય જે બીજી કમેન્ટ છે તેમાં નાગરિકો પૂછી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ મળે છે ખરો? તે ઉપરાંત કોઈએ લખ્યું કે જો પોલીસવાળા જ આવી હાલતમાં મળે તો? એક યુઝરે લખ્યુંકે અને નાગરિક પકડીને કે માહિતી આપે તો.. અમારૂં તો વિચારો સાહેબ... તો કોઈએ લખ્યું કે સાહેબશ્રી, ખૂબ આવકારવા લાયક પગલુ ગુજરાત પોલીસ દ્વારા, ઈ પણ જણવી દયો કે કોઈ પોલીસકર્મચારી દારૂ પીધેલ માલૂમ પડશે તો એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.