મણિપુર હિંસાને લઈ દેશના અનેક રાજ્યોમાં લોકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ વિરોધમાં નિકળેલી રેલીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-26 10:17:45

મણિપુરમાં દિવસેને દિવસે હિંસા વધતી ગઈ રહી છે. થોડા દિવસો પહેલા મણિપુરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પર બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો. વીડિયો જૂનો હતો પરંતુ વીડિયો સામે આવ્યા બાદ દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વિપક્ષી પાર્ટી ઉપરાંત લોકોએ માગ કરી હતી કે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ મૌન તોડે અને મણિપુરને શાંત કરવા કોઈ પગલા લે. સંસદમાં પણ મણિપુરને લઈ હંગામો થઈ રહ્યો છે. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે મણિપુરમાં થયેલી હિંસાને લઈ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

મણિપુરમાં થયેલી હિંસાના વિરોધમાં નિકળી હતી મોર્ચા રેલી 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ આ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો હતો જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે. ત્યારે ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મણિપુર હિંસાના પીડિતોને પુરજોશમાં સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. 

ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મણિપુરમાં થયેલી હિંસાને લઈ પહેલેથી જ આક્રોશમાં દેખાતા હતા. રવિવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે પણ મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ રેલી નિકાળવામાં આવી હતી. આ મામલે ચૈતર વસાવાએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મહિલાઓને સુરક્ષા આપવાના બદલે મહિલા સુરક્ષાની માગ કરતા આપ કાર્યકર્તાઓની અટકાયત કરનાર બેશરમ ભાજપ સરકાર થોડી શરમ કરો. 

નોર્થ ઈન્ડિયન સ્ટેટમાં લોકોએ નોંધાવ્યો વિરોધ

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાના વિરોધમાં મણિપુર, મિજોરમ, નાગાલેન્ડ સહિત અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મણિપુરમાં આદિવાસી લોકો સાથે થતાં અત્યાચાર વિરૂદ્ધ લોકોએ વિરોધ કર્યો હતો. નોર્થ ઈન્ડિયાના રાજ્યોમાં જનજાતિ સમુદાયે આક્રોશમાં રેલી નિકાળી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .