મણિપુર હિંસાને લઈ દેશના અનેક રાજ્યોમાં લોકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ વિરોધમાં નિકળેલી રેલીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-26 10:17:45

મણિપુરમાં દિવસેને દિવસે હિંસા વધતી ગઈ રહી છે. થોડા દિવસો પહેલા મણિપુરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પર બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો. વીડિયો જૂનો હતો પરંતુ વીડિયો સામે આવ્યા બાદ દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વિપક્ષી પાર્ટી ઉપરાંત લોકોએ માગ કરી હતી કે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ મૌન તોડે અને મણિપુરને શાંત કરવા કોઈ પગલા લે. સંસદમાં પણ મણિપુરને લઈ હંગામો થઈ રહ્યો છે. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે મણિપુરમાં થયેલી હિંસાને લઈ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

મણિપુરમાં થયેલી હિંસાના વિરોધમાં નિકળી હતી મોર્ચા રેલી 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ આ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો હતો જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે. ત્યારે ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મણિપુર હિંસાના પીડિતોને પુરજોશમાં સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. 

ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મણિપુરમાં થયેલી હિંસાને લઈ પહેલેથી જ આક્રોશમાં દેખાતા હતા. રવિવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે પણ મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ રેલી નિકાળવામાં આવી હતી. આ મામલે ચૈતર વસાવાએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મહિલાઓને સુરક્ષા આપવાના બદલે મહિલા સુરક્ષાની માગ કરતા આપ કાર્યકર્તાઓની અટકાયત કરનાર બેશરમ ભાજપ સરકાર થોડી શરમ કરો. 

નોર્થ ઈન્ડિયન સ્ટેટમાં લોકોએ નોંધાવ્યો વિરોધ

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાના વિરોધમાં મણિપુર, મિજોરમ, નાગાલેન્ડ સહિત અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મણિપુરમાં આદિવાસી લોકો સાથે થતાં અત્યાચાર વિરૂદ્ધ લોકોએ વિરોધ કર્યો હતો. નોર્થ ઈન્ડિયાના રાજ્યોમાં જનજાતિ સમુદાયે આક્રોશમાં રેલી નિકાળી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.