પીવાના પાણીના મુદ્દે રાધનપુરના MLA લવિંગજી ઠાકોર પર લોકો લાલઘુમ, સભા છોડીને નેતાઓ ભાગ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 20:49:58

દેશમાં લોક સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાધીશ ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે લોકો હવે તેમના અધિકારો અને માગણીઓને લઈ વધુ સજાગ બન્યા છે. પાટણ જિલ્લાની રાધનપુર સીટના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. લવિંગજી ઠાકોરનો ગ્રામજનો દ્વારા જાહેર સભામાં જ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


લોકોએ હુરીયો બોલાવ્યો 


પાટણના રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે ભરી સભામાં જ લોકોએ ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓને હુરીયો બોલાવ્યો હતો. બાદરગંજ ગામની એક સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં લવિંગજી ઠાકોરની સભા યોજાઇ હતી. આ ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો. બાદરગંજ ગામના લોકોએ પીવાના મીઠા પાણીના મુદ્દે વિરોધ કર્યો હતો, વિરોધ અને હોબાળો વધતા અંતે લવિંગજી ઠાકોરની સભા વિખેરાઇ ગઇ હતી.  


પીવાના પાણી મુદ્દે જનાક્રોસ


સમી તાલુકાના બાદરગંજ ગામના લોકોએ પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો અને સભા વિખેરાઇ ગઇ હતી. આ જાહેરસભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર પણ સભામાં હાજર હતા, લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાઓનું ભાષણ પણ અટકાવી દીધુ હતુ. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને પલાયન થઈ ગયા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી