પીવાના પાણીના મુદ્દે રાધનપુરના MLA લવિંગજી ઠાકોર પર લોકો લાલઘુમ, સભા છોડીને નેતાઓ ભાગ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 20:49:58

દેશમાં લોક સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાધીશ ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે લોકો હવે તેમના અધિકારો અને માગણીઓને લઈ વધુ સજાગ બન્યા છે. પાટણ જિલ્લાની રાધનપુર સીટના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. લવિંગજી ઠાકોરનો ગ્રામજનો દ્વારા જાહેર સભામાં જ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


લોકોએ હુરીયો બોલાવ્યો 


પાટણના રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે ભરી સભામાં જ લોકોએ ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓને હુરીયો બોલાવ્યો હતો. બાદરગંજ ગામની એક સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં લવિંગજી ઠાકોરની સભા યોજાઇ હતી. આ ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો. બાદરગંજ ગામના લોકોએ પીવાના મીઠા પાણીના મુદ્દે વિરોધ કર્યો હતો, વિરોધ અને હોબાળો વધતા અંતે લવિંગજી ઠાકોરની સભા વિખેરાઇ ગઇ હતી.  


પીવાના પાણી મુદ્દે જનાક્રોસ


સમી તાલુકાના બાદરગંજ ગામના લોકોએ પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો અને સભા વિખેરાઇ ગઇ હતી. આ જાહેરસભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર પણ સભામાં હાજર હતા, લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાઓનું ભાષણ પણ અટકાવી દીધુ હતુ. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને પલાયન થઈ ગયા હતા.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.