પીવાના પાણીના મુદ્દે રાધનપુરના MLA લવિંગજી ઠાકોર પર લોકો લાલઘુમ, સભા છોડીને નેતાઓ ભાગ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 20:49:58

દેશમાં લોક સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાધીશ ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે લોકો હવે તેમના અધિકારો અને માગણીઓને લઈ વધુ સજાગ બન્યા છે. પાટણ જિલ્લાની રાધનપુર સીટના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. લવિંગજી ઠાકોરનો ગ્રામજનો દ્વારા જાહેર સભામાં જ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


લોકોએ હુરીયો બોલાવ્યો 


પાટણના રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે ભરી સભામાં જ લોકોએ ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓને હુરીયો બોલાવ્યો હતો. બાદરગંજ ગામની એક સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં લવિંગજી ઠાકોરની સભા યોજાઇ હતી. આ ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો. બાદરગંજ ગામના લોકોએ પીવાના મીઠા પાણીના મુદ્દે વિરોધ કર્યો હતો, વિરોધ અને હોબાળો વધતા અંતે લવિંગજી ઠાકોરની સભા વિખેરાઇ ગઇ હતી.  


પીવાના પાણી મુદ્દે જનાક્રોસ


સમી તાલુકાના બાદરગંજ ગામના લોકોએ પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો અને સભા વિખેરાઇ ગઇ હતી. આ જાહેરસભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર પણ સભામાં હાજર હતા, લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાઓનું ભાષણ પણ અટકાવી દીધુ હતુ. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને પલાયન થઈ ગયા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.