કલોલ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને લઈ લોકોમાં રોષ, પોલીસના લોક દરબારમાં નાગરિકે ઉઠાવ્યો સવાલ


  • Published By :
  • Published Date : 2023-12-08 21:16:12

રાજ્યના વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અને કૂટણખાનાને રોકવા ગુજરાત પોલીસે મેગા ઝુંબેશ હાથ ધરી હતી પણ આ ઝુંબેશ પૂરી થઈ એટલે બધુ રાબેતા મુજબ જેમ હતું તેમ ફરી શરૂ થઈ ગયું છે. આ જ બાબતે કલોલ પોલીસ દ્વારા યોજવામાં આવેલા દરબારમાં ઉપસ્થિત રહેલા એક જાગૃત નાગરિકે રેન્જ આઇજીને સવાલો કર્યા હતા તેમણે પુછ્યું કે કે ગાંધીનગરના કલોલમાં જાહેરમાં સ્પાના નામે દેહવ્યાપરનો ધંધો ચાલે છે તો પોલીસ તેને બંધ કેમ કરાવતી નથી? આ જાગૃત નાગરિકના સવાલ સાંભળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા.


જાગૃત નાગરિકે રેન્જ આઇજીને કર્યો સવાલ


કલોલમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક દરબારમાં રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવ ઉપસ્થિત હતા અને બધાની ફરિયાદો સાંભળતા હતા તે દરમ્યાન તે લોક દરબારમાં હાજર એક વ્યક્તિએ પોતાનો સવાલ રજુ કર્યો હતો. વિરલ ગિરિ નામની આ વ્યક્તિએ સીધા રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવને ઉદ્દેશીને જ શહેરમાં સ્પા સેન્ટરોના નામે ચાલતા દેહવ્યાપાર અંગે સવાલો કર્યા હતા. વિરલ ગિરિએ   સવાલ કર્યો કે પોલીસને ફોન કરીએ છીએ છતાં પણ પોલીસ આવતી નથી. પોલીસના નજર હેઠળ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે જે બંધ કરાવવામાં આવે. જો કે પોલીસે તેમને આ બાબતે કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો આશા છે કે પોલીસ કાર્યવાહી કરશે. 


સપા સેન્ટરો સામેની ઝુંબેશ નબળી પડી


ગુજરાતનાં અનેક શહેરોમાં આ સપા સેન્ટરોનો ધંધો વ્હાઇટ કોલરનો ધંધો બન્યો હોય તોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ લોકો સપા સેન્ટરનું બોર્ડ લગાવી બહારથી મહિલાઓ અને છોકરીઓ બોલાવી દેહવ્યાપરનો ધંધો કરતાં હોય છે. ગુજરાતનાં યુવાધનને અવળા રસ્તે લઈ જાય છે બરબાદ કરે છે. આવા લોકો બેફામ બન્યા છે કારણ કે પોલીસે લગામ છૂટી મૂકી દીધી છે. અગાઉ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સપાટો બોલાવતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે તે ઝુંબેશ હવે નબળી પડી છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.