કલોલ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને લઈ લોકોમાં રોષ, પોલીસના લોક દરબારમાં નાગરિકે ઉઠાવ્યો સવાલ


  • Published By :
  • Published Date : 2023-12-08 21:16:12

રાજ્યના વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અને કૂટણખાનાને રોકવા ગુજરાત પોલીસે મેગા ઝુંબેશ હાથ ધરી હતી પણ આ ઝુંબેશ પૂરી થઈ એટલે બધુ રાબેતા મુજબ જેમ હતું તેમ ફરી શરૂ થઈ ગયું છે. આ જ બાબતે કલોલ પોલીસ દ્વારા યોજવામાં આવેલા દરબારમાં ઉપસ્થિત રહેલા એક જાગૃત નાગરિકે રેન્જ આઇજીને સવાલો કર્યા હતા તેમણે પુછ્યું કે કે ગાંધીનગરના કલોલમાં જાહેરમાં સ્પાના નામે દેહવ્યાપરનો ધંધો ચાલે છે તો પોલીસ તેને બંધ કેમ કરાવતી નથી? આ જાગૃત નાગરિકના સવાલ સાંભળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા.


જાગૃત નાગરિકે રેન્જ આઇજીને કર્યો સવાલ


કલોલમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક દરબારમાં રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવ ઉપસ્થિત હતા અને બધાની ફરિયાદો સાંભળતા હતા તે દરમ્યાન તે લોક દરબારમાં હાજર એક વ્યક્તિએ પોતાનો સવાલ રજુ કર્યો હતો. વિરલ ગિરિ નામની આ વ્યક્તિએ સીધા રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવને ઉદ્દેશીને જ શહેરમાં સ્પા સેન્ટરોના નામે ચાલતા દેહવ્યાપાર અંગે સવાલો કર્યા હતા. વિરલ ગિરિએ   સવાલ કર્યો કે પોલીસને ફોન કરીએ છીએ છતાં પણ પોલીસ આવતી નથી. પોલીસના નજર હેઠળ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે જે બંધ કરાવવામાં આવે. જો કે પોલીસે તેમને આ બાબતે કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો આશા છે કે પોલીસ કાર્યવાહી કરશે. 


સપા સેન્ટરો સામેની ઝુંબેશ નબળી પડી


ગુજરાતનાં અનેક શહેરોમાં આ સપા સેન્ટરોનો ધંધો વ્હાઇટ કોલરનો ધંધો બન્યો હોય તોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ લોકો સપા સેન્ટરનું બોર્ડ લગાવી બહારથી મહિલાઓ અને છોકરીઓ બોલાવી દેહવ્યાપરનો ધંધો કરતાં હોય છે. ગુજરાતનાં યુવાધનને અવળા રસ્તે લઈ જાય છે બરબાદ કરે છે. આવા લોકો બેફામ બન્યા છે કારણ કે પોલીસે લગામ છૂટી મૂકી દીધી છે. અગાઉ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સપાટો બોલાવતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે તે ઝુંબેશ હવે નબળી પડી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.