કલોલ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને લઈ લોકોમાં રોષ, પોલીસના લોક દરબારમાં નાગરિકે ઉઠાવ્યો સવાલ


  • Published By :
  • Published Date : 2023-12-08 21:16:12

રાજ્યના વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અને કૂટણખાનાને રોકવા ગુજરાત પોલીસે મેગા ઝુંબેશ હાથ ધરી હતી પણ આ ઝુંબેશ પૂરી થઈ એટલે બધુ રાબેતા મુજબ જેમ હતું તેમ ફરી શરૂ થઈ ગયું છે. આ જ બાબતે કલોલ પોલીસ દ્વારા યોજવામાં આવેલા દરબારમાં ઉપસ્થિત રહેલા એક જાગૃત નાગરિકે રેન્જ આઇજીને સવાલો કર્યા હતા તેમણે પુછ્યું કે કે ગાંધીનગરના કલોલમાં જાહેરમાં સ્પાના નામે દેહવ્યાપરનો ધંધો ચાલે છે તો પોલીસ તેને બંધ કેમ કરાવતી નથી? આ જાગૃત નાગરિકના સવાલ સાંભળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા.


જાગૃત નાગરિકે રેન્જ આઇજીને કર્યો સવાલ


કલોલમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક દરબારમાં રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવ ઉપસ્થિત હતા અને બધાની ફરિયાદો સાંભળતા હતા તે દરમ્યાન તે લોક દરબારમાં હાજર એક વ્યક્તિએ પોતાનો સવાલ રજુ કર્યો હતો. વિરલ ગિરિ નામની આ વ્યક્તિએ સીધા રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવને ઉદ્દેશીને જ શહેરમાં સ્પા સેન્ટરોના નામે ચાલતા દેહવ્યાપાર અંગે સવાલો કર્યા હતા. વિરલ ગિરિએ   સવાલ કર્યો કે પોલીસને ફોન કરીએ છીએ છતાં પણ પોલીસ આવતી નથી. પોલીસના નજર હેઠળ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે જે બંધ કરાવવામાં આવે. જો કે પોલીસે તેમને આ બાબતે કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો આશા છે કે પોલીસ કાર્યવાહી કરશે. 


સપા સેન્ટરો સામેની ઝુંબેશ નબળી પડી


ગુજરાતનાં અનેક શહેરોમાં આ સપા સેન્ટરોનો ધંધો વ્હાઇટ કોલરનો ધંધો બન્યો હોય તોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ લોકો સપા સેન્ટરનું બોર્ડ લગાવી બહારથી મહિલાઓ અને છોકરીઓ બોલાવી દેહવ્યાપરનો ધંધો કરતાં હોય છે. ગુજરાતનાં યુવાધનને અવળા રસ્તે લઈ જાય છે બરબાદ કરે છે. આવા લોકો બેફામ બન્યા છે કારણ કે પોલીસે લગામ છૂટી મૂકી દીધી છે. અગાઉ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સપાટો બોલાવતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે તે ઝુંબેશ હવે નબળી પડી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.