લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા! ચાંગોદરમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આટલા કરોડની નકલી દવા કરાઈ જપ્ત...


  • Published By :
  • Published Date : 2024-02-17 11:09:43

આપણી તબિયત સારી ના હોય ત્યારે સાજા થવા માટે આપણે દવાઓ લેતા હોઈએ છીએ. જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે આપણે સાજા થઈ જઈશું.. પરંતુ તે દવા નકલી હોય તો? વાત સાંભળીને તમને થશે કે નકલી દવાઓ થોડી મળે છે! પરંતુ ના  હવે તો નકલી એન્ટિબાયોટિક દવાઓ ઝડપાઈ છે તેવી માહિતી સામે આવી છે. નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવી તેને સમગ્ર રાજ્યમાં વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભૂજ, ઈડર ખાતેથી બનાવટી દવાઓનો જથ્થો પકડાયો છે ઉપરાંત નકલી દવા બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ છે.



1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક કરાઈ જપ્ત  

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે. કોઈ વખત તો આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. આપણી સમક્ષ એવા અનેક કિસ્સાઓ છે જેમાં નકલી અધિકારીઓ પકડાય છે વગેરે વગેરે... નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો પણ પકડાય છે. ખાદ્યપદાર્થમાં પણ ભેળસેળ થવા લાગી છે ત્યારે હવે નકલી દવાઓનો જથ્થો પકડાયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી દવાઓ બનાવીને તેનું વેચાણ કરતા હતા. અનેક જગ્યાઓ પરથી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. ચાંગોદરમાં બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો ઝડપાયો છે. 



નકલી દવાઓ બનાવવા વાળા કદાચ ભૂલી જાય છે કે.... 

મહત્વનું છે માત્ર થોડા રુપિયા કમાવવા માટે ખાદ્યપદાર્થોમાં, નકલી દવાઓ બનાવે છે. આવું કરીને અનેક લોકોના જીવને તેઓ જોખમમાં નાખે છે. આવું કરનારા લોકો કદાચ ભૂલી જતા હશે કે જે દવાઓ તે માર્કેટમાં વેચે છે તે દવા ઓ કદાચ તેમના પરિવારવાળા પણ સેવન કરી શકે છે.! દવા લેવા વાળાને થોડી ખબર હોય છે કે તે જે દવા લઈ રહ્યો છે તે અસલી છે કે નકલી! દવા બનાવવા વાળા પર વિશ્વાસ રાખીને લોકો દવા લેતા હોય છે એવું માનીને કે દવા લેવાથી તેમની તબિયત સુધરી જશે...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.