લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા! ચાંગોદરમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આટલા કરોડની નકલી દવા કરાઈ જપ્ત...


  • Published By :
  • Published Date : 2024-02-17 11:09:43

આપણી તબિયત સારી ના હોય ત્યારે સાજા થવા માટે આપણે દવાઓ લેતા હોઈએ છીએ. જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે આપણે સાજા થઈ જઈશું.. પરંતુ તે દવા નકલી હોય તો? વાત સાંભળીને તમને થશે કે નકલી દવાઓ થોડી મળે છે! પરંતુ ના  હવે તો નકલી એન્ટિબાયોટિક દવાઓ ઝડપાઈ છે તેવી માહિતી સામે આવી છે. નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવી તેને સમગ્ર રાજ્યમાં વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભૂજ, ઈડર ખાતેથી બનાવટી દવાઓનો જથ્થો પકડાયો છે ઉપરાંત નકલી દવા બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ છે.



1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક કરાઈ જપ્ત  

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે. કોઈ વખત તો આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. આપણી સમક્ષ એવા અનેક કિસ્સાઓ છે જેમાં નકલી અધિકારીઓ પકડાય છે વગેરે વગેરે... નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો પણ પકડાય છે. ખાદ્યપદાર્થમાં પણ ભેળસેળ થવા લાગી છે ત્યારે હવે નકલી દવાઓનો જથ્થો પકડાયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી દવાઓ બનાવીને તેનું વેચાણ કરતા હતા. અનેક જગ્યાઓ પરથી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. ચાંગોદરમાં બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો ઝડપાયો છે. 



નકલી દવાઓ બનાવવા વાળા કદાચ ભૂલી જાય છે કે.... 

મહત્વનું છે માત્ર થોડા રુપિયા કમાવવા માટે ખાદ્યપદાર્થોમાં, નકલી દવાઓ બનાવે છે. આવું કરીને અનેક લોકોના જીવને તેઓ જોખમમાં નાખે છે. આવું કરનારા લોકો કદાચ ભૂલી જતા હશે કે જે દવાઓ તે માર્કેટમાં વેચે છે તે દવા ઓ કદાચ તેમના પરિવારવાળા પણ સેવન કરી શકે છે.! દવા લેવા વાળાને થોડી ખબર હોય છે કે તે જે દવા લઈ રહ્યો છે તે અસલી છે કે નકલી! દવા બનાવવા વાળા પર વિશ્વાસ રાખીને લોકો દવા લેતા હોય છે એવું માનીને કે દવા લેવાથી તેમની તબિયત સુધરી જશે...  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.