લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા! ચાંગોદરમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, આટલા કરોડની નકલી દવા કરાઈ જપ્ત...


  • Published By :
  • Published Date : 2024-02-17 11:09:43

આપણી તબિયત સારી ના હોય ત્યારે સાજા થવા માટે આપણે દવાઓ લેતા હોઈએ છીએ. જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યારે આપણે માનીએ છીએ કે આપણે સાજા થઈ જઈશું.. પરંતુ તે દવા નકલી હોય તો? વાત સાંભળીને તમને થશે કે નકલી દવાઓ થોડી મળે છે! પરંતુ ના  હવે તો નકલી એન્ટિબાયોટિક દવાઓ ઝડપાઈ છે તેવી માહિતી સામે આવી છે. નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવી તેને સમગ્ર રાજ્યમાં વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભૂજ, ઈડર ખાતેથી બનાવટી દવાઓનો જથ્થો પકડાયો છે ઉપરાંત નકલી દવા બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ છે.



1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક કરાઈ જપ્ત  

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે. કોઈ વખત તો આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. આપણી સમક્ષ એવા અનેક કિસ્સાઓ છે જેમાં નકલી અધિકારીઓ પકડાય છે વગેરે વગેરે... નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો પણ પકડાય છે. ખાદ્યપદાર્થમાં પણ ભેળસેળ થવા લાગી છે ત્યારે હવે નકલી દવાઓનો જથ્થો પકડાયો છે. ગુજરાત ખોરાક અને ઓષધ નિયમન કમિશનરે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી દવાઓ બનાવીને તેનું વેચાણ કરતા હતા. અનેક જગ્યાઓ પરથી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે. ચાંગોદરમાં બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. 1.75 કરોડની નકલી એન્ટિબાયોટિક દવાઓનો જથ્થો ઝડપાયો છે. 



નકલી દવાઓ બનાવવા વાળા કદાચ ભૂલી જાય છે કે.... 

મહત્વનું છે માત્ર થોડા રુપિયા કમાવવા માટે ખાદ્યપદાર્થોમાં, નકલી દવાઓ બનાવે છે. આવું કરીને અનેક લોકોના જીવને તેઓ જોખમમાં નાખે છે. આવું કરનારા લોકો કદાચ ભૂલી જતા હશે કે જે દવાઓ તે માર્કેટમાં વેચે છે તે દવા ઓ કદાચ તેમના પરિવારવાળા પણ સેવન કરી શકે છે.! દવા લેવા વાળાને થોડી ખબર હોય છે કે તે જે દવા લઈ રહ્યો છે તે અસલી છે કે નકલી! દવા બનાવવા વાળા પર વિશ્વાસ રાખીને લોકો દવા લેતા હોય છે એવું માનીને કે દવા લેવાથી તેમની તબિયત સુધરી જશે...  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે