Sabarkanthaમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ ખાતમુર્હૂર્ત વિધિ કરી ચાલતી પકડી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 14:41:06

અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્થાનિકો ધારાસભ્યનો વિરોધ કરતા હોય, મંત્રીનો વિરોધ કરતા હોય છે. આજકાલ આવા વીડિયો આવવા સામાન્ય બની ગયા છે. ત્યારે આવો જ એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જનતાએ ભાજપના નેતાને પાવર બતાવ્યો અને કહી દીધું કે અહીં ભાજપ કઈ રીતે જીતે છે જોઈશું. મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે પણ ધારાસભ્યે ખાતમુર્હુત કર્યું મહિલાઓ બૂમો પાડતી રહી અને નેતાજીએ ચાલતી પકડી 

મહિલાઓએ નોંધાવ્યો વિરોધ 

સાબરકાંઠાનાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા મહિલાઓનાં રોષનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય વી.ડી.ઝાલા 1 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં ખાતમુર્હત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ ઘટના બની હિંમતનગરનાં રણછોડરાય નગરમાં. છેલ્લા 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 



વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ ચાલું રાખ્યું ખાતમુહુર્ત 

એક તરફ મહિલાઓનો વિરોધ હતો તો બીજી તરફ ખાતમુહુર્ત કરવા માટે ધારાસભ્ય અડીખમ હતા. વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાઓની બુમાબુમ વચ્ચે ધારાસભ્યે ત્રિકમથી ખાતમુહૂર્ત કરીને ચાલતી પકડી હતી. પાલિકા પ્રમુખ સહિત પાલીકાનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. મહિલાઓના રોષ સામે બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.


જનતાની સામે તો કોઈ નેતાનું નહીં ચાલે 

એટલે જ કહીયે છીએ જનતાની સામે તો કોઈ નેતાનું ના ચાલે કામ તો કરવું જ પડશે. કારણ કે આ લોકશાહીનો દેશ છે. અહીં જનતાને ખબર છે કે કોને સિહાંસન પર બેસાડવા છે 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.