Sabarkanthaમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ ખાતમુર્હૂર્ત વિધિ કરી ચાલતી પકડી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 14:41:06

અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્થાનિકો ધારાસભ્યનો વિરોધ કરતા હોય, મંત્રીનો વિરોધ કરતા હોય છે. આજકાલ આવા વીડિયો આવવા સામાન્ય બની ગયા છે. ત્યારે આવો જ એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જનતાએ ભાજપના નેતાને પાવર બતાવ્યો અને કહી દીધું કે અહીં ભાજપ કઈ રીતે જીતે છે જોઈશું. મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે પણ ધારાસભ્યે ખાતમુર્હુત કર્યું મહિલાઓ બૂમો પાડતી રહી અને નેતાજીએ ચાલતી પકડી 

મહિલાઓએ નોંધાવ્યો વિરોધ 

સાબરકાંઠાનાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા મહિલાઓનાં રોષનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય વી.ડી.ઝાલા 1 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં ખાતમુર્હત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ ઘટના બની હિંમતનગરનાં રણછોડરાય નગરમાં. છેલ્લા 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 



વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ ચાલું રાખ્યું ખાતમુહુર્ત 

એક તરફ મહિલાઓનો વિરોધ હતો તો બીજી તરફ ખાતમુહુર્ત કરવા માટે ધારાસભ્ય અડીખમ હતા. વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાઓની બુમાબુમ વચ્ચે ધારાસભ્યે ત્રિકમથી ખાતમુહૂર્ત કરીને ચાલતી પકડી હતી. પાલિકા પ્રમુખ સહિત પાલીકાનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. મહિલાઓના રોષ સામે બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.


જનતાની સામે તો કોઈ નેતાનું નહીં ચાલે 

એટલે જ કહીયે છીએ જનતાની સામે તો કોઈ નેતાનું ના ચાલે કામ તો કરવું જ પડશે. કારણ કે આ લોકશાહીનો દેશ છે. અહીં જનતાને ખબર છે કે કોને સિહાંસન પર બેસાડવા છે 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.