Sabarkanthaમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ ખાતમુર્હૂર્ત વિધિ કરી ચાલતી પકડી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 14:41:06

અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્થાનિકો ધારાસભ્યનો વિરોધ કરતા હોય, મંત્રીનો વિરોધ કરતા હોય છે. આજકાલ આવા વીડિયો આવવા સામાન્ય બની ગયા છે. ત્યારે આવો જ એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જનતાએ ભાજપના નેતાને પાવર બતાવ્યો અને કહી દીધું કે અહીં ભાજપ કઈ રીતે જીતે છે જોઈશું. મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે પણ ધારાસભ્યે ખાતમુર્હુત કર્યું મહિલાઓ બૂમો પાડતી રહી અને નેતાજીએ ચાલતી પકડી 

મહિલાઓએ નોંધાવ્યો વિરોધ 

સાબરકાંઠાનાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા મહિલાઓનાં રોષનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય વી.ડી.ઝાલા 1 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં ખાતમુર્હત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ ઘટના બની હિંમતનગરનાં રણછોડરાય નગરમાં. છેલ્લા 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 



વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ ચાલું રાખ્યું ખાતમુહુર્ત 

એક તરફ મહિલાઓનો વિરોધ હતો તો બીજી તરફ ખાતમુહુર્ત કરવા માટે ધારાસભ્ય અડીખમ હતા. વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાઓની બુમાબુમ વચ્ચે ધારાસભ્યે ત્રિકમથી ખાતમુહૂર્ત કરીને ચાલતી પકડી હતી. પાલિકા પ્રમુખ સહિત પાલીકાનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. મહિલાઓના રોષ સામે બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.


જનતાની સામે તો કોઈ નેતાનું નહીં ચાલે 

એટલે જ કહીયે છીએ જનતાની સામે તો કોઈ નેતાનું ના ચાલે કામ તો કરવું જ પડશે. કારણ કે આ લોકશાહીનો દેશ છે. અહીં જનતાને ખબર છે કે કોને સિહાંસન પર બેસાડવા છે 




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.