Sabarkanthaમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ ખાતમુર્હૂર્ત વિધિ કરી ચાલતી પકડી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 14:41:06

અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્થાનિકો ધારાસભ્યનો વિરોધ કરતા હોય, મંત્રીનો વિરોધ કરતા હોય છે. આજકાલ આવા વીડિયો આવવા સામાન્ય બની ગયા છે. ત્યારે આવો જ એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જનતાએ ભાજપના નેતાને પાવર બતાવ્યો અને કહી દીધું કે અહીં ભાજપ કઈ રીતે જીતે છે જોઈશું. મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે પણ ધારાસભ્યે ખાતમુર્હુત કર્યું મહિલાઓ બૂમો પાડતી રહી અને નેતાજીએ ચાલતી પકડી 

મહિલાઓએ નોંધાવ્યો વિરોધ 

સાબરકાંઠાનાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા મહિલાઓનાં રોષનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય વી.ડી.ઝાલા 1 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં ખાતમુર્હત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ ઘટના બની હિંમતનગરનાં રણછોડરાય નગરમાં. છેલ્લા 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 



વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ ચાલું રાખ્યું ખાતમુહુર્ત 

એક તરફ મહિલાઓનો વિરોધ હતો તો બીજી તરફ ખાતમુહુર્ત કરવા માટે ધારાસભ્ય અડીખમ હતા. વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાઓની બુમાબુમ વચ્ચે ધારાસભ્યે ત્રિકમથી ખાતમુહૂર્ત કરીને ચાલતી પકડી હતી. પાલિકા પ્રમુખ સહિત પાલીકાનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. મહિલાઓના રોષ સામે બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.


જનતાની સામે તો કોઈ નેતાનું નહીં ચાલે 

એટલે જ કહીયે છીએ જનતાની સામે તો કોઈ નેતાનું ના ચાલે કામ તો કરવું જ પડશે. કારણ કે આ લોકશાહીનો દેશ છે. અહીં જનતાને ખબર છે કે કોને સિહાંસન પર બેસાડવા છે 




એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.