દેશભરમાં દરરોજ 450 લોકો કરે છે આત્મહત્યા: NCRB રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:55:10

દેશભરમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે કે NCRBની રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં દેશભરમાં 1.64 લાખથી પણ વધુ લોકોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આ આંકડો વર્ષ 2020ની તુલનામાં 7.2 ટકા વધુ છે. 2020માં 1.53 લોકોએ આત્મહત્યા કરી હતી.


શા માટે લોકો આત્મહત્યા કરે છે?


દેશમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, હવે સવાલ એ થાય છે કે લોકો શા માટે આત્મહત્યા કરવા પ્રેરાય છે. નિષ્ણાતોના મતે ડિપ્રેશન, ફેમિલી પ્રોબ્લેમ, બીમારી, લવ અફેયર્સ,દેવુ,બેકારી,ગરીબી,સંપત્તી વિવાદ,પરીક્ષામાં નિષ્ફળતા, નજીકના પરિવારજનની વિદાય સહિતના પરિબળો આત્મહત્યા માટે જવાબદાર છે. 15થી 29 વર્ષની વયના લોકોમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ ચિંતાજનક છે. 


રિપોર્ટની મહત્વની બાબતો

દેશભરમાં સૌથી વધુ આત્મહત્યા મુંબઈ,તમિલનાડુ,મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં થાય છે. 

દેશમાં 18થી 30 વર્ષના 56,543 યુવાનોએ આત્મહત્યા કરી હતી, આત્મઘાત કરનારા 24 ટકા 100-12 ધોરણ સુધી ભણ્યા હતા. જ્યારે 11 ટકા અભણ અને 14 ટકા ગૃહિણી હતી,

આત્મહત્યા કરનારા 64 ટકા લોકોની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી હતી.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .