ગુજરાત સરકાર દ્વારા GIFT Cityમાં આપવામાં આવેલી વાઈન અને ડાઈનની છૂટને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-16 17:23:19

ગજરાતમાં દારૂબંદી છે. આ વાંચ્યા પછી તમે કહેશો કે માત્ર કાગળ પર.. ભલે કાગળ પર દારૂબંદીનો કાયદો હોય પરંતુ તે કાયદો છે ખરો... ત્યારે થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈનની પરવાનગી આપવામાં આવી છે. અનેક નિયમો અંતર્ગત ગિફ્ટ સીટીમાં દારૂ પિરસવામાં આવશે તેવી માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ છે. 

The Gujarat High Court Advocate Association made a representation to the  Chief Justice regarding security in the court | હાઇકોર્ટમાં ફિનાઇલ પીવાની  ઘટનાનો પડઘો: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ ...


અરજદાર પક્ષ દ્વારા અરજીમાં કરવામાં આવી વાત!

ગિફ્ટ સીટીમાં આપવામાં આવેલી પરમિશનને લઈ વિવાદ છેડાયો હતો. એવું કહેવામાં આવતું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ કેવી રીતે આપવામાં આવી શકે? વિવાદો વચ્ચે પણ સરકાર પોતાની વાત પર મક્કમ રહી અને ગિફ્ટ સીટીમાં છૂટ આપી. તે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ગિફ્ટ સીટીમાં દારૂ પીને બહાર નીકળનાર વ્યક્તિ જો અકસ્માત કરે તો શું? તેની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવાનો કે નહીં? તે ઉપરાંત એવું પણ અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દારૂ પીને યુવતીઓ- મહિલાઓની છેડતી કે અઘટિત ઘટનાઓ બને તો તે માટે જવાબદાર કોણ? 



હાઈકોર્ટમાં કરવામાં આવી જાહેર હિતની અરજી 

અરજદાર પક્ષ તરફથી ગિફ્ટ સીટીમાં આપવામાં આવેલી પરવાનગીને લઈ, દારૂ પીવાની પરવાનગી આપતા વિવાદીત જાહેરનામાને રદબાતલ ઠરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. એવો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે કે સરકાર ધનાઢ્ય લોકોને હાથો બની ગઈ છે.. અરજી અનુસાર માત્ર 500 કરોડની મિલ્કતના સોદાઓ અને 108 કરોડની કલબ મેમ્બરશીપ માટે સંપન્ન વ્યકિતઓના હિત માટે અને તેઓના લાભ માટે સરકારના સત્તાવાળાઓ દ્વારા આવો ગેરકાયદે નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે હવે સરકારના જાહેરનામાને રદ્દ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે સરકારે ડિસેમ્બર 2023માં આ અંગેની છૂટ આપી હતી. આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં થઈ શકે છે તેવી સંભાવનાઓ છે.       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.