પાકિસ્તાનમાં 290 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું પેટ્રોલ, સરકારે અડધી રાતે ભાવ વધારો કરતા હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-08-16 17:48:23

પાકિસ્તાનમાં વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતા હાહાકાર મચી ગયો છે. આઝાદીની ઉજવણી બાદ કિંમતોમાં વધારો કરાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. સરકારે  પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટરની વૃધ્ધી કરી છે. આ પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.    


 આજથી ભાવ વધારો અમલી


પાકિસ્તાનમાં નવા ભાવ વધારા બાદ પેટ્રોલ  17.50 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. નવી કિંમતો આજથી અમલી બની છે. આ ભાવ વધારા બાદ પેટ્રોલ 290.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 293 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ અગાઉ 1 ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો.    


અર્થતંત્ર બેહાલ સ્થિતીમાં


પાકિસ્તાનમાં હાલ આર્થિક નાદારીનો સામનો કરી રહ્યું છે. કોવિડ-19 મહામારી, યુક્રેન-રશિયા યુધ્ધ, પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઉછાળો તથા દેશવ્યાપી ભયાનક પૂરના કારણે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તુટી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તામાં આવેલી સરકારોએ દેશની આર્થિક  સ્થિતી પર ધ્યાન ન આપતા તથા સતત કૌભાંડોના કારણે હાલ આ પરિસ્થિતી સર્જાઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.