પાકિસ્તાનમાં 290 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું પેટ્રોલ, સરકારે અડધી રાતે ભાવ વધારો કરતા હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-08-16 17:48:23

પાકિસ્તાનમાં વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતા હાહાકાર મચી ગયો છે. આઝાદીની ઉજવણી બાદ કિંમતોમાં વધારો કરાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. સરકારે  પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટરની વૃધ્ધી કરી છે. આ પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.    


 આજથી ભાવ વધારો અમલી


પાકિસ્તાનમાં નવા ભાવ વધારા બાદ પેટ્રોલ  17.50 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. નવી કિંમતો આજથી અમલી બની છે. આ ભાવ વધારા બાદ પેટ્રોલ 290.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 293 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ અગાઉ 1 ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો.    


અર્થતંત્ર બેહાલ સ્થિતીમાં


પાકિસ્તાનમાં હાલ આર્થિક નાદારીનો સામનો કરી રહ્યું છે. કોવિડ-19 મહામારી, યુક્રેન-રશિયા યુધ્ધ, પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઉછાળો તથા દેશવ્યાપી ભયાનક પૂરના કારણે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તુટી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તામાં આવેલી સરકારોએ દેશની આર્થિક  સ્થિતી પર ધ્યાન ન આપતા તથા સતત કૌભાંડોના કારણે હાલ આ પરિસ્થિતી સર્જાઈ છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?