મોંઘા પેટ્રોલ-ડીઝલથી ચિંતિંત છો? હજુ 6 મહિના સુધી નહીં મળે રાહત, જાણો કારણ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:17:29


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ ઘણા લોકોનું બજેટ બગાડ્યું છે. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે લોકોને તેમના અન્ય ઘણા ખર્ચાઓમાં કાપ મૂકવો પડી રહ્યો છે. જો તમે પણ આગામી થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છો, તો તમે ચોક્કસપણે નિરાશ થશો. એવું લાગી રહ્યું છે કે આગામી 6 મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા નથી. 


OPECની ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપની જાહેરાત


ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) એ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમત જળવાઈ રહે. OPEC દેશોના આ નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત વધવા લાગી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યું છે.


ભારત 85% ક્રૂડની આયાત કરે છે


હવે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થવાની સંભાવના છે. થોડી કસર બાકી રહી હતી તે અમેરિકાના ડોલર સામે રૂપિયાની નબળાઈએ પુરી કરી દીધી છે. ભારત તેની ક્રૂડની જરૂરિયાતના 85% આયાત કરે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર પડે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.