મોંઘા પેટ્રોલ-ડીઝલથી ચિંતિંત છો? હજુ 6 મહિના સુધી નહીં મળે રાહત, જાણો કારણ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:17:29


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ ઘણા લોકોનું બજેટ બગાડ્યું છે. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે લોકોને તેમના અન્ય ઘણા ખર્ચાઓમાં કાપ મૂકવો પડી રહ્યો છે. જો તમે પણ આગામી થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છો, તો તમે ચોક્કસપણે નિરાશ થશો. એવું લાગી રહ્યું છે કે આગામી 6 મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા નથી. 


OPECની ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપની જાહેરાત


ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) એ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમત જળવાઈ રહે. OPEC દેશોના આ નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત વધવા લાગી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યું છે.


ભારત 85% ક્રૂડની આયાત કરે છે


હવે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થવાની સંભાવના છે. થોડી કસર બાકી રહી હતી તે અમેરિકાના ડોલર સામે રૂપિયાની નબળાઈએ પુરી કરી દીધી છે. ભારત તેની ક્રૂડની જરૂરિયાતના 85% આયાત કરે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર પડે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .