પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારીને મોદી સરકારે 'બમ્પર' કમાણી કરી, ત્રણ ગણી આવક વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:40:06


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વધારીને કેન્દ્ર સરકારે બંપર કમાણી કરી છે. નાણાકિય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની આવકનો સૌથી મોટો સોર્સ ઈનડાયરેક્ટ ટેક્સ છે. ટેક્સ રેવન્યુમાં ઈનડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 50 ટકાથી પણ વધુ છે. અપ્રત્યક્ષ ટેક્સથી સરકારી ખજાનો ભરાવા પાછળ સૌથી મોટું યોગદાન પેટ્રોલિયમ  પેદાશો પર લગાવેલા ટેક્સનું પણ છે. કસ્ટમ, એક્સાઈઝ જેવા ઈનડાયરેક્ટ ટેક્સનો ભાર અમીર હોય કે ગરીબ તમામે ચૂકવવો પડે છે. વર્ષ 2014-15થી 2020-21 વચ્ચે પેટ્રોલિયમ ટેક્સથી રેવન્યુમાં ત્રણગણો ઉછાળો નોંધાયો છે.


પેટ્રોલિયમ ટેક્સની આવક ત્રણ ગણી વધી 


આંકડા  પર નજર કરીએ તો ખબર પડશે કે ઈનડાયરેક્ટ ટેક્સ રેવેન્યૂમાં પેટ્રોલિયમ ટેક્સનો હિસ્સો દોઢ ગણો વધ્યો છે. 2014-15માં પેટ્રોલિયમ પરના ટેક્સથી રૂ. 1.3 લાખ કરોડ આવક થઈ હતી, જ્યારે 2021-22માં આવક રૂ. 4.3 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2014-15માં ઈનડાયરેક્ટ ટેક્સમાં પેટ્રોલિયમનો હિસ્સો 22.8% હતો જે 2021-22માં વધીને 34.3% થયો હતો.


પેટ્રોલિયમની કિંમતોમાં કેવો રહ્યો છે મોદી સરકારનો રેકોર્ડ?


વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ સત્તાની ધુરા સંભાળી ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો રેટ 71.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 57.28 રૂપિયા પ્રતિ લીટર હતો. આજની તારીખમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા નહીં કેમ કે મોદી સરકારે ટેક્સ દર વધારી દીધી હતી. સપ્ટેમ્બર 2022માં પેટ્રોલની કિંમતો પર કેન્દ્ર સરકારનો ટેક્સ રેટ 20 ટકા અને રાજ્યોનો ટેક્સ રેટ 16 ટકા જેટલો હતો.  જ્યારે 2013-14માં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ટેક્સ, ડ્યૂટી અને અન્ય લેવીથી   1259 અબજ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. હવે જ્યારે વર્ષ 2020-21માં મોદી સરકાર છે ત્યારે પેટ્રોલિયમ ટેક્સમાં 290 ટકાનો વધારો થયો છે અને ટેક્સ કલેક્સન વધીને 4923 અબજ રૂપિયા થઈ ગયું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .