પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારીને મોદી સરકારે 'બમ્પર' કમાણી કરી, ત્રણ ગણી આવક વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:40:06


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વધારીને કેન્દ્ર સરકારે બંપર કમાણી કરી છે. નાણાકિય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની આવકનો સૌથી મોટો સોર્સ ઈનડાયરેક્ટ ટેક્સ છે. ટેક્સ રેવન્યુમાં ઈનડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 50 ટકાથી પણ વધુ છે. અપ્રત્યક્ષ ટેક્સથી સરકારી ખજાનો ભરાવા પાછળ સૌથી મોટું યોગદાન પેટ્રોલિયમ  પેદાશો પર લગાવેલા ટેક્સનું પણ છે. કસ્ટમ, એક્સાઈઝ જેવા ઈનડાયરેક્ટ ટેક્સનો ભાર અમીર હોય કે ગરીબ તમામે ચૂકવવો પડે છે. વર્ષ 2014-15થી 2020-21 વચ્ચે પેટ્રોલિયમ ટેક્સથી રેવન્યુમાં ત્રણગણો ઉછાળો નોંધાયો છે.


પેટ્રોલિયમ ટેક્સની આવક ત્રણ ગણી વધી 


આંકડા  પર નજર કરીએ તો ખબર પડશે કે ઈનડાયરેક્ટ ટેક્સ રેવેન્યૂમાં પેટ્રોલિયમ ટેક્સનો હિસ્સો દોઢ ગણો વધ્યો છે. 2014-15માં પેટ્રોલિયમ પરના ટેક્સથી રૂ. 1.3 લાખ કરોડ આવક થઈ હતી, જ્યારે 2021-22માં આવક રૂ. 4.3 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2014-15માં ઈનડાયરેક્ટ ટેક્સમાં પેટ્રોલિયમનો હિસ્સો 22.8% હતો જે 2021-22માં વધીને 34.3% થયો હતો.


પેટ્રોલિયમની કિંમતોમાં કેવો રહ્યો છે મોદી સરકારનો રેકોર્ડ?


વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ સત્તાની ધુરા સંભાળી ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો રેટ 71.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 57.28 રૂપિયા પ્રતિ લીટર હતો. આજની તારીખમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા નહીં કેમ કે મોદી સરકારે ટેક્સ દર વધારી દીધી હતી. સપ્ટેમ્બર 2022માં પેટ્રોલની કિંમતો પર કેન્દ્ર સરકારનો ટેક્સ રેટ 20 ટકા અને રાજ્યોનો ટેક્સ રેટ 16 ટકા જેટલો હતો.  જ્યારે 2013-14માં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ટેક્સ, ડ્યૂટી અને અન્ય લેવીથી   1259 અબજ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. હવે જ્યારે વર્ષ 2020-21માં મોદી સરકાર છે ત્યારે પેટ્રોલિયમ ટેક્સમાં 290 ટકાનો વધારો થયો છે અને ટેક્સ કલેક્સન વધીને 4923 અબજ રૂપિયા થઈ ગયું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.