Ayodhya Ram મંદિરની તસવીરો આવી સામે, અલૌકિક અને ભવ્ય મંદિરના ઘર બેઠા કરો દર્શન, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-09 11:50:19

અયોધ્યા... આ શબ્દમાં પણ શ્રદ્ધા છુપાઈ છે તેવી લાગણી અનુભવાતી હોય છે. ભગવાન રામ સાથે લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. નવ નિર્મિત મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. સાધુ સંતો, મઠાધીશ્વરો, અભિનેતાઓ, મોટી હસ્તીઓ સામેલ થવાની છે. આ બધા વચ્ચે રામ મંદિરની વિશેષતાઓ સામે આવી છે. રામ મંદિરની અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે.

 



રામ મંદિરની પ્રથમ ઝલક આવી સામે 

અનેક દાયકાઓ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. જે જગ્યા પર રામ ભગવાનનો જન્મ થયો હતો તે જગ્યા પર ભગવાન રામનું મંદિરનું નિર્માણ થવાનું. આ મંદિરને લઈ અનેક આંદોલનો થયા, કોર્ટ સુધી વાત પહોંચી અને તે બાદ ચૂકાદો આવ્યો. તે આખી વાત આપણે જાણીએ છીએ. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન ક્યારે થશે તે ક્ષણની તેમના ભક્તો આતુરતાથી રાહ જોતા હતા. રામ લલ્લાની મૂર્તિની જ્યારે મંદિરમાં સ્થાપના થશે ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ હશે. ભક્તોને આતુરતા હતી કે રામ મંદિર કેવું લાગતું હશે, તેની ઝાંખી જોવા માટે ભક્તો આતુર હતા ત્યારે તે આતુરતાનો અંત આવ્યો છે. મંદિરના ફોટોઝ, વીડિયો સામે આવ્યા છે જેમાં મંદિર કેવું છે તેના બતાવવામાં આવ્યું છે. 


Image

મંદિરની શું છે વિશેષતાઓ? 

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. નાગર શૈલીને ઉત્તર ભારતીય મંદિર શૈલી કહેવામાં આવે છે. મંદિરની લંબાઈ 380 ફીટ છે, ઉંચાઈ 161 ફીટ છે, પહોળાઈ 250 ફીટ છે. મંદિરમાં કુલ ત્રણ માળ હશે. 392 કુલ સ્તંભ અને 44 દ્વાર હશે તેવી માહિતી સામે આવી છે. મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ બિરાજમાન હશે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ કદાચ તમારી આંખો પણ ખુશીના આંસુ આવી શકે છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.