Ayodhya Ram મંદિરની તસવીરો આવી સામે, અલૌકિક અને ભવ્ય મંદિરના ઘર બેઠા કરો દર્શન, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-09 11:50:19

અયોધ્યા... આ શબ્દમાં પણ શ્રદ્ધા છુપાઈ છે તેવી લાગણી અનુભવાતી હોય છે. ભગવાન રામ સાથે લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. નવ નિર્મિત મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. સાધુ સંતો, મઠાધીશ્વરો, અભિનેતાઓ, મોટી હસ્તીઓ સામેલ થવાની છે. આ બધા વચ્ચે રામ મંદિરની વિશેષતાઓ સામે આવી છે. રામ મંદિરની અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે.

 



રામ મંદિરની પ્રથમ ઝલક આવી સામે 

અનેક દાયકાઓ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. જે જગ્યા પર રામ ભગવાનનો જન્મ થયો હતો તે જગ્યા પર ભગવાન રામનું મંદિરનું નિર્માણ થવાનું. આ મંદિરને લઈ અનેક આંદોલનો થયા, કોર્ટ સુધી વાત પહોંચી અને તે બાદ ચૂકાદો આવ્યો. તે આખી વાત આપણે જાણીએ છીએ. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન ક્યારે થશે તે ક્ષણની તેમના ભક્તો આતુરતાથી રાહ જોતા હતા. રામ લલ્લાની મૂર્તિની જ્યારે મંદિરમાં સ્થાપના થશે ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ હશે. ભક્તોને આતુરતા હતી કે રામ મંદિર કેવું લાગતું હશે, તેની ઝાંખી જોવા માટે ભક્તો આતુર હતા ત્યારે તે આતુરતાનો અંત આવ્યો છે. મંદિરના ફોટોઝ, વીડિયો સામે આવ્યા છે જેમાં મંદિર કેવું છે તેના બતાવવામાં આવ્યું છે. 


Image

મંદિરની શું છે વિશેષતાઓ? 

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. નાગર શૈલીને ઉત્તર ભારતીય મંદિર શૈલી કહેવામાં આવે છે. મંદિરની લંબાઈ 380 ફીટ છે, ઉંચાઈ 161 ફીટ છે, પહોળાઈ 250 ફીટ છે. મંદિરમાં કુલ ત્રણ માળ હશે. 392 કુલ સ્તંભ અને 44 દ્વાર હશે તેવી માહિતી સામે આવી છે. મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ બિરાજમાન હશે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ કદાચ તમારી આંખો પણ ખુશીના આંસુ આવી શકે છે.    



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.