Ayodhya Ram મંદિરની તસવીરો આવી સામે, અલૌકિક અને ભવ્ય મંદિરના ઘર બેઠા કરો દર્શન, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-09 11:50:19

અયોધ્યા... આ શબ્દમાં પણ શ્રદ્ધા છુપાઈ છે તેવી લાગણી અનુભવાતી હોય છે. ભગવાન રામ સાથે લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. નવ નિર્મિત મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. સાધુ સંતો, મઠાધીશ્વરો, અભિનેતાઓ, મોટી હસ્તીઓ સામેલ થવાની છે. આ બધા વચ્ચે રામ મંદિરની વિશેષતાઓ સામે આવી છે. રામ મંદિરની અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે.

 



રામ મંદિરની પ્રથમ ઝલક આવી સામે 

અનેક દાયકાઓ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. જે જગ્યા પર રામ ભગવાનનો જન્મ થયો હતો તે જગ્યા પર ભગવાન રામનું મંદિરનું નિર્માણ થવાનું. આ મંદિરને લઈ અનેક આંદોલનો થયા, કોર્ટ સુધી વાત પહોંચી અને તે બાદ ચૂકાદો આવ્યો. તે આખી વાત આપણે જાણીએ છીએ. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન ક્યારે થશે તે ક્ષણની તેમના ભક્તો આતુરતાથી રાહ જોતા હતા. રામ લલ્લાની મૂર્તિની જ્યારે મંદિરમાં સ્થાપના થશે ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ હશે. ભક્તોને આતુરતા હતી કે રામ મંદિર કેવું લાગતું હશે, તેની ઝાંખી જોવા માટે ભક્તો આતુર હતા ત્યારે તે આતુરતાનો અંત આવ્યો છે. મંદિરના ફોટોઝ, વીડિયો સામે આવ્યા છે જેમાં મંદિર કેવું છે તેના બતાવવામાં આવ્યું છે. 


Image

મંદિરની શું છે વિશેષતાઓ? 

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. નાગર શૈલીને ઉત્તર ભારતીય મંદિર શૈલી કહેવામાં આવે છે. મંદિરની લંબાઈ 380 ફીટ છે, ઉંચાઈ 161 ફીટ છે, પહોળાઈ 250 ફીટ છે. મંદિરમાં કુલ ત્રણ માળ હશે. 392 કુલ સ્તંભ અને 44 દ્વાર હશે તેવી માહિતી સામે આવી છે. મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ બિરાજમાન હશે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ કદાચ તમારી આંખો પણ ખુશીના આંસુ આવી શકે છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે