Banaskanthaના Jadiyaમાં આવેલી આફ્તે આ વેપારીઓનું બધું છિનવી લીધું,સરકારે ન તો સર્વે કર્યો ન તો સહાય, સાંભળો તેમની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-18 13:53:26

જ્યારે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય છે. જ્યારે ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે સરકાર સર્વે કરાવે છે. સહાય આપવાની પણ જાહેરાત કરે છે. ત્યારે જમાવટમાં એક દર્શકે પોતાની વેદના રજૂ કરી હતી. એક વીડિયો શેર કર્યો હતો જેમાં વેપારી કહી રહ્યા છે, "નમસ્કાર જ્યારે કંઈ પણ આપત્તિ આવે ત્યારે લોકોના ઘર, રોજી રોટી બધુ છીનવાઇ જતું હોય છે. જો કોઈનું ઘર તૂટે ઘરવખરીને નુકશાન થાય કે પછી જો કોઈ ખેડૂતોને નુકશાન થાય તો સરકાર તે લોકોને સહાય કરે છે પણ જ્યારે કોઈ સામાન્ય વેપારીને નુકશાન થાય જે 2 કે 3 લાખનો સમાન લઈને વેપાર કરતો હોય તો એનું શું?

જડિયામાં દુકાનદાર ચલાવે છે દુકાન 

ખેડૂતોને જ્યારે જ્યારે કુદરતી આફતનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર તેમને સહાય આપે છે. પરંતુ જ્યારે કોઈ વેપારીને કુદરતી આફતને કારણે નુકસાન થાય છે ત્યારે તેને કોઈ સહાય આપવામાં આવતી નથી. આ વાતની રજૂઆત કરવા માટે અમારે ત્યાં એક ભાઈનો ફોન આવ્યો. તેમનું નામ છે ગોકુલ પુરોહિત. એ જડિયામાં રહે છે, ત્યાં આશાપુરા ફેશન, ફુટવેર, કટલરી તેમજ સ્ટેશનરી સ્ટોસૅ શોપિંગ સેન્ટર નામની તેમની દુકાન છે જે એ ભાડે રાખીને ચલાવે છે.


દુકાનદારને થયેલા નુકસાન અંગે નથી કરાયો સર્વે 

જ્યારે જૂનમાં બનાસકાંઠા અને ઉપરવાસમાં અતિ ભારે વરસાદ પડ્યો ત્યારે તેમની દુકાનમાં રહેલો માલ જેની કિંમત ૩થી૪ લાખ સુધીનો હતો, જેને  નુકશાન થયું છે. તેમની પાસે મોટા ભાગે પુસ્તકો, સ્ટેશનરી આઈટમો હતી જે તહેશ નહેશ થઈ ગઈ છે. તેમણે અમને એક પ્રશ્ન કર્યો કે આ પુરમાં જેમની ઘરવખરી નાશ પામી છે તેનુ, જેમની જમીન ધોવાણ થયું છે, જેમના પશુ મૃત પામ્યા છે, જેમનો પાક નાશ પામ્યો છે તે અંગેનો સર્વે કરવામાં આવ્યો છે. જયારે દુકાનદારોના નુકશાન માટે સર્વે થયો નથી તો અમારું શું? 

વેપારીઓને પણ સહાય ચૂકવાય તે માટે વેપારીઓએ કરી અનેક રજૂઆત  

હવે આ પ્રશ્ન અમે પણ પૂછી રહ્યા છીએ કે જે નાના નાના વેપારીઓ આપણાં અર્થતંત્રને મજબૂત કરે છે જ્યારે કોઈ આપતી આવે ત્યારે તે લોકોના નુકશાનનું શું જો એ લોકોનો સર્વે થાય કે પછી ગણતરી કરવામાં આવે તો ખ્યાલ આવે કે કેટલું નુકશાન થયું છે? એ ભાઈ એમ કહે છે કે અમને લાગતું નથી કે સર્વે થશે, તો વેપારીઓ સાથે આવો અન્યાય કેમ? ત્યાં આવી 20 થી 25 એવી દુકાન છે જેને આટલું નુકશાન થયું છે. મહત્વનું છે સર્વે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તેમની રજૂઆતનો ઉકેલ આવ્યો નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.