કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર વિમાન ક્રેશ. વિમાનમાં સવાર પેસેન્જરોએ તેઓ કેટલા ભયભીત હતા અને શું અનુભવી રહ્યા હતા તે શેર કર્યુ.


  • Published By :
  • Published Date : 2025-02-18 16:54:45

અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા જેમાથી ત્રણની હાલત ગંભીર છે. ક્રેશ થયા બાદ વિમાન પલટી ખાઈને ઉંધુ થઈ ગયુ હતુ જેથી પેસેન્જરો પણ સીટમાં ઉંધા લટકતા હતા. પિઅર્સન કેનેડાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે ત્યારે આવો અકસ્માત સર્જાતા ઘણી ફ્લાઈટ્સ ડિલેય કરવામાં આવી અને 46 જેટલી ફ્લાઈટ્સ ઓટ્ટાવા, મોન્ટ્રીઅલ તેમજ અન્ય એરપોર્ટ્સ પર ડાઇવર્ટ કરવામાં આવી. વિમાન ક્રેશનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પીઅર્સનનનાં ફાયર ચીફ ટોડ ઈટકેને જણાવ્યું હતું કે રનવે સુકાઈ ગયો હતો તેના કારણે અકસ્માત સર્જાયો છે.

દૂર્ઘટનાનાં સમયે એરપોર્ટ પર જે સ્ટાફ મેમ્બર હાજર હતા તેમાનાં પરમિન્દરસિંહ ચૌહાણે કહ્યુ, આ દ્રશ્યો એક ડરામણા સપના જેવા હતા. તમે તેની કલ્પના પણ ન કરી શકો એટલા ભયાવહ દ્રશ્યો હતાં.

ક્રેશ દરમિયાન વિમાનમાં સવાર કાર્લ્સન નામનાં એક પેસેન્જરે એક નાનકડા બાળક, વૃદ્ધ મહિલા તેમજ અન્ય પેસેન્જરોની બહાર નીકળવામાં મદદ કરી તેમજ કાર્લ્સને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, તેણે ઝડપથી તેની પત્નીને મેસેજ કર્યો હતો કે, "હું તને પ્રેમ કરુ છુ, આપણા બાળકોને પ્રેમ કરુ છું." તેણે કહ્યુ, જેવા અમે બચીને બહાર નીકળ્યા અને થોડા દૂર ગયા કે તરત જ વિમાનમાં ધડાકો થયો, અન્ય એક પેસેન્જરે કહ્યુ અમે વિમાનમાં ચામાચિડીયાની જેમ ઉંધા લટકી રહ્યા હતા. એક એ કહ્યુ, મારુ મગજ સાવ ખાલી થઈ ગયુ હતુ,  મને કઈં સમજાતુ ન હતુ કે શુ થઈ રહ્યુ છે અને બચવા માટે હું શુ કરુ.  ક્રેશ થયેલા વિમાનમાં સવાર અનેક પેસેન્જરોએ તેઓ કેટલા ડરની લાગણી અનુભવી રહ્યા હતા અને કેવા ભયાવહ એ દ્રશ્યો હતા તે શેર કર્યુ હતુ.


આ એક જ મહિનાની બીજી વિમાન દૂર્ઘટના છે. આ પહેલા ગત 1 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ વિમાન ક્રેશ થયુ હતુ એ વખતે 6 લોકોનાં મૃત્યુ થયા હતા. ઉડાન ભર્યા પછી થોડીક જ વારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. 


આ ઉપરાંત 29 જાન્યુઆરીનાં રોજ અમેરિકાનાં વોશિંગટનમાં વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા.






આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.