કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર વિમાન ક્રેશ. વિમાનમાં સવાર પેસેન્જરોએ તેઓ કેટલા ભયભીત હતા અને શું અનુભવી રહ્યા હતા તે શેર કર્યુ.


  • Published By :
  • Published Date : 2025-02-18 16:54:45

અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા જેમાથી ત્રણની હાલત ગંભીર છે. ક્રેશ થયા બાદ વિમાન પલટી ખાઈને ઉંધુ થઈ ગયુ હતુ જેથી પેસેન્જરો પણ સીટમાં ઉંધા લટકતા હતા. પિઅર્સન કેનેડાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે ત્યારે આવો અકસ્માત સર્જાતા ઘણી ફ્લાઈટ્સ ડિલેય કરવામાં આવી અને 46 જેટલી ફ્લાઈટ્સ ઓટ્ટાવા, મોન્ટ્રીઅલ તેમજ અન્ય એરપોર્ટ્સ પર ડાઇવર્ટ કરવામાં આવી. વિમાન ક્રેશનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પીઅર્સનનનાં ફાયર ચીફ ટોડ ઈટકેને જણાવ્યું હતું કે રનવે સુકાઈ ગયો હતો તેના કારણે અકસ્માત સર્જાયો છે.

દૂર્ઘટનાનાં સમયે એરપોર્ટ પર જે સ્ટાફ મેમ્બર હાજર હતા તેમાનાં પરમિન્દરસિંહ ચૌહાણે કહ્યુ, આ દ્રશ્યો એક ડરામણા સપના જેવા હતા. તમે તેની કલ્પના પણ ન કરી શકો એટલા ભયાવહ દ્રશ્યો હતાં.

ક્રેશ દરમિયાન વિમાનમાં સવાર કાર્લ્સન નામનાં એક પેસેન્જરે એક નાનકડા બાળક, વૃદ્ધ મહિલા તેમજ અન્ય પેસેન્જરોની બહાર નીકળવામાં મદદ કરી તેમજ કાર્લ્સને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, તેણે ઝડપથી તેની પત્નીને મેસેજ કર્યો હતો કે, "હું તને પ્રેમ કરુ છુ, આપણા બાળકોને પ્રેમ કરુ છું." તેણે કહ્યુ, જેવા અમે બચીને બહાર નીકળ્યા અને થોડા દૂર ગયા કે તરત જ વિમાનમાં ધડાકો થયો, અન્ય એક પેસેન્જરે કહ્યુ અમે વિમાનમાં ચામાચિડીયાની જેમ ઉંધા લટકી રહ્યા હતા. એક એ કહ્યુ, મારુ મગજ સાવ ખાલી થઈ ગયુ હતુ,  મને કઈં સમજાતુ ન હતુ કે શુ થઈ રહ્યુ છે અને બચવા માટે હું શુ કરુ.  ક્રેશ થયેલા વિમાનમાં સવાર અનેક પેસેન્જરોએ તેઓ કેટલા ડરની લાગણી અનુભવી રહ્યા હતા અને કેવા ભયાવહ એ દ્રશ્યો હતા તે શેર કર્યુ હતુ.


આ એક જ મહિનાની બીજી વિમાન દૂર્ઘટના છે. આ પહેલા ગત 1 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ વિમાન ક્રેશ થયુ હતુ એ વખતે 6 લોકોનાં મૃત્યુ થયા હતા. ઉડાન ભર્યા પછી થોડીક જ વારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. 


આ ઉપરાંત 29 જાન્યુઆરીનાં રોજ અમેરિકાનાં વોશિંગટનમાં વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા.






ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .