કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર વિમાન ક્રેશ. વિમાનમાં સવાર પેસેન્જરોએ તેઓ કેટલા ભયભીત હતા અને શું અનુભવી રહ્યા હતા તે શેર કર્યુ.


  • Published By :
  • Published Date : 2025-02-18 16:54:45

અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા જેમાથી ત્રણની હાલત ગંભીર છે. ક્રેશ થયા બાદ વિમાન પલટી ખાઈને ઉંધુ થઈ ગયુ હતુ જેથી પેસેન્જરો પણ સીટમાં ઉંધા લટકતા હતા. પિઅર્સન કેનેડાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે ત્યારે આવો અકસ્માત સર્જાતા ઘણી ફ્લાઈટ્સ ડિલેય કરવામાં આવી અને 46 જેટલી ફ્લાઈટ્સ ઓટ્ટાવા, મોન્ટ્રીઅલ તેમજ અન્ય એરપોર્ટ્સ પર ડાઇવર્ટ કરવામાં આવી. વિમાન ક્રેશનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પીઅર્સનનનાં ફાયર ચીફ ટોડ ઈટકેને જણાવ્યું હતું કે રનવે સુકાઈ ગયો હતો તેના કારણે અકસ્માત સર્જાયો છે.

દૂર્ઘટનાનાં સમયે એરપોર્ટ પર જે સ્ટાફ મેમ્બર હાજર હતા તેમાનાં પરમિન્દરસિંહ ચૌહાણે કહ્યુ, આ દ્રશ્યો એક ડરામણા સપના જેવા હતા. તમે તેની કલ્પના પણ ન કરી શકો એટલા ભયાવહ દ્રશ્યો હતાં.

ક્રેશ દરમિયાન વિમાનમાં સવાર કાર્લ્સન નામનાં એક પેસેન્જરે એક નાનકડા બાળક, વૃદ્ધ મહિલા તેમજ અન્ય પેસેન્જરોની બહાર નીકળવામાં મદદ કરી તેમજ કાર્લ્સને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, તેણે ઝડપથી તેની પત્નીને મેસેજ કર્યો હતો કે, "હું તને પ્રેમ કરુ છુ, આપણા બાળકોને પ્રેમ કરુ છું." તેણે કહ્યુ, જેવા અમે બચીને બહાર નીકળ્યા અને થોડા દૂર ગયા કે તરત જ વિમાનમાં ધડાકો થયો, અન્ય એક પેસેન્જરે કહ્યુ અમે વિમાનમાં ચામાચિડીયાની જેમ ઉંધા લટકી રહ્યા હતા. એક એ કહ્યુ, મારુ મગજ સાવ ખાલી થઈ ગયુ હતુ,  મને કઈં સમજાતુ ન હતુ કે શુ થઈ રહ્યુ છે અને બચવા માટે હું શુ કરુ.  ક્રેશ થયેલા વિમાનમાં સવાર અનેક પેસેન્જરોએ તેઓ કેટલા ડરની લાગણી અનુભવી રહ્યા હતા અને કેવા ભયાવહ એ દ્રશ્યો હતા તે શેર કર્યુ હતુ.


આ એક જ મહિનાની બીજી વિમાન દૂર્ઘટના છે. આ પહેલા ગત 1 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ વિમાન ક્રેશ થયુ હતુ એ વખતે 6 લોકોનાં મૃત્યુ થયા હતા. ઉડાન ભર્યા પછી થોડીક જ વારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. 


આ ઉપરાંત 29 જાન્યુઆરીનાં રોજ અમેરિકાનાં વોશિંગટનમાં વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા.






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.