કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર વિમાન ક્રેશ. વિમાનમાં સવાર પેસેન્જરોએ તેઓ કેટલા ભયભીત હતા અને શું અનુભવી રહ્યા હતા તે શેર કર્યુ.


  • Published By :
  • Published Date : 2025-02-18 16:54:45

અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા જેમાથી ત્રણની હાલત ગંભીર છે. ક્રેશ થયા બાદ વિમાન પલટી ખાઈને ઉંધુ થઈ ગયુ હતુ જેથી પેસેન્જરો પણ સીટમાં ઉંધા લટકતા હતા. પિઅર્સન કેનેડાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે ત્યારે આવો અકસ્માત સર્જાતા ઘણી ફ્લાઈટ્સ ડિલેય કરવામાં આવી અને 46 જેટલી ફ્લાઈટ્સ ઓટ્ટાવા, મોન્ટ્રીઅલ તેમજ અન્ય એરપોર્ટ્સ પર ડાઇવર્ટ કરવામાં આવી. વિમાન ક્રેશનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પીઅર્સનનનાં ફાયર ચીફ ટોડ ઈટકેને જણાવ્યું હતું કે રનવે સુકાઈ ગયો હતો તેના કારણે અકસ્માત સર્જાયો છે.

દૂર્ઘટનાનાં સમયે એરપોર્ટ પર જે સ્ટાફ મેમ્બર હાજર હતા તેમાનાં પરમિન્દરસિંહ ચૌહાણે કહ્યુ, આ દ્રશ્યો એક ડરામણા સપના જેવા હતા. તમે તેની કલ્પના પણ ન કરી શકો એટલા ભયાવહ દ્રશ્યો હતાં.

ક્રેશ દરમિયાન વિમાનમાં સવાર કાર્લ્સન નામનાં એક પેસેન્જરે એક નાનકડા બાળક, વૃદ્ધ મહિલા તેમજ અન્ય પેસેન્જરોની બહાર નીકળવામાં મદદ કરી તેમજ કાર્લ્સને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, તેણે ઝડપથી તેની પત્નીને મેસેજ કર્યો હતો કે, "હું તને પ્રેમ કરુ છુ, આપણા બાળકોને પ્રેમ કરુ છું." તેણે કહ્યુ, જેવા અમે બચીને બહાર નીકળ્યા અને થોડા દૂર ગયા કે તરત જ વિમાનમાં ધડાકો થયો, અન્ય એક પેસેન્જરે કહ્યુ અમે વિમાનમાં ચામાચિડીયાની જેમ ઉંધા લટકી રહ્યા હતા. એક એ કહ્યુ, મારુ મગજ સાવ ખાલી થઈ ગયુ હતુ,  મને કઈં સમજાતુ ન હતુ કે શુ થઈ રહ્યુ છે અને બચવા માટે હું શુ કરુ.  ક્રેશ થયેલા વિમાનમાં સવાર અનેક પેસેન્જરોએ તેઓ કેટલા ડરની લાગણી અનુભવી રહ્યા હતા અને કેવા ભયાવહ એ દ્રશ્યો હતા તે શેર કર્યુ હતુ.


આ એક જ મહિનાની બીજી વિમાન દૂર્ઘટના છે. આ પહેલા ગત 1 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ વિમાન ક્રેશ થયુ હતુ એ વખતે 6 લોકોનાં મૃત્યુ થયા હતા. ઉડાન ભર્યા પછી થોડીક જ વારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. 


આ ઉપરાંત 29 જાન્યુઆરીનાં રોજ અમેરિકાનાં વોશિંગટનમાં વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા.






ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .