દિવાળી પહેલા જનતાને વધુ એક ઝટકો: પ્લેટફોર્મ ટિકિટના ભાવ થયા બમણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:25:38

મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની જનતા માટે કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. સરકારે ફરી એકવાર તમારે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કર્યો છે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે પ્લેટફોર્મ ટિકિટના ભાવ બમણા કરવામાં આવી રહ્યા છે. પહેલા જ્યાં તમારે પ્લેટફોર્મ ટિકિટ પેટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા તેના બદલે હવે તમારે તેના માટે 20 રૂપિયા ખર્ચવા પડશે. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન ભીડને ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

1 ઓક્ટોબરથી પ્લેટફોર્મ ટિકિટમાં વધારો અમલી બનશે

દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે આ નવી કિંમતો 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2023 સુધી લાગુ રહેશે. ચેન્નાઈ ડિવિઝનમાં આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 8 રેલવે સ્ટેશન આ હેઠળ આવશે. રેલવેએ કહ્યું છે કે આનાથી મુસાફરોને સુવિધા મળશે અને પ્લેટફોર્મ પર વધારાની ભીડને ટાળી શકાશે.

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો અનેક વખત થયો વધારો

અત્રે ઉલ્લેખનિય છે કે રેલવે દ્વારા ઘણી વખત પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત દર વખતે તહેવારો નિમિત્તે જુદા જુદા ઝોનમાં ભાવમાં વધારો કરવામાં આવે છે. ભલે તે ભીડ ઘટાડવા માટે કરવામાં આવે છે, પરંતુ તેની અસર ગરીબોના ખિસ્સા પર પણ પડે છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં કાચેગુડા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ દશેરાના તહેવારને કારણે વધારો કરવામાં આવ્યો હતો. રેલવેએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવે વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તહેવારોને કારણે દેશના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.