દિવાળી પહેલા જનતાને વધુ એક ઝટકો: પ્લેટફોર્મ ટિકિટના ભાવ થયા બમણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:25:38

મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની જનતા માટે કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. સરકારે ફરી એકવાર તમારે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કર્યો છે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે પ્લેટફોર્મ ટિકિટના ભાવ બમણા કરવામાં આવી રહ્યા છે. પહેલા જ્યાં તમારે પ્લેટફોર્મ ટિકિટ પેટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા તેના બદલે હવે તમારે તેના માટે 20 રૂપિયા ખર્ચવા પડશે. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન ભીડને ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

1 ઓક્ટોબરથી પ્લેટફોર્મ ટિકિટમાં વધારો અમલી બનશે

દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે આ નવી કિંમતો 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2023 સુધી લાગુ રહેશે. ચેન્નાઈ ડિવિઝનમાં આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 8 રેલવે સ્ટેશન આ હેઠળ આવશે. રેલવેએ કહ્યું છે કે આનાથી મુસાફરોને સુવિધા મળશે અને પ્લેટફોર્મ પર વધારાની ભીડને ટાળી શકાશે.

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો અનેક વખત થયો વધારો

અત્રે ઉલ્લેખનિય છે કે રેલવે દ્વારા ઘણી વખત પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત દર વખતે તહેવારો નિમિત્તે જુદા જુદા ઝોનમાં ભાવમાં વધારો કરવામાં આવે છે. ભલે તે ભીડ ઘટાડવા માટે કરવામાં આવે છે, પરંતુ તેની અસર ગરીબોના ખિસ્સા પર પણ પડે છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં કાચેગુડા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ દશેરાના તહેવારને કારણે વધારો કરવામાં આવ્યો હતો. રેલવેએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવે વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તહેવારોને કારણે દેશના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.


દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.