દિવાળી પહેલા જનતાને વધુ એક ઝટકો: પ્લેટફોર્મ ટિકિટના ભાવ થયા બમણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:25:38

મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની જનતા માટે કેન્દ્ર સરકારે મોટો ઝટકો આપ્યો છે. સરકારે ફરી એકવાર તમારે પ્લેટફોર્મ ટિકિટમાં વધારો કર્યો છે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે પ્લેટફોર્મ ટિકિટના ભાવ બમણા કરવામાં આવી રહ્યા છે. પહેલા જ્યાં તમારે પ્લેટફોર્મ ટિકિટ પેટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા તેના બદલે હવે તમારે તેના માટે 20 રૂપિયા ખર્ચવા પડશે. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન ભીડને ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

1 ઓક્ટોબરથી પ્લેટફોર્મ ટિકિટમાં વધારો અમલી બનશે

દક્ષિણ રેલવેએ જણાવ્યું છે કે આ નવી કિંમતો 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2023 સુધી લાગુ રહેશે. ચેન્નાઈ ડિવિઝનમાં આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 8 રેલવે સ્ટેશન આ હેઠળ આવશે. રેલવેએ કહ્યું છે કે આનાથી મુસાફરોને સુવિધા મળશે અને પ્લેટફોર્મ પર વધારાની ભીડને ટાળી શકાશે.

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો અનેક વખત થયો વધારો

અત્રે ઉલ્લેખનિય છે કે રેલવે દ્વારા ઘણી વખત પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો. આ ઉપરાંત દર વખતે તહેવારો નિમિત્તે જુદા જુદા ઝોનમાં ભાવમાં વધારો કરવામાં આવે છે. ભલે તે ભીડ ઘટાડવા માટે કરવામાં આવે છે, પરંતુ તેની અસર ગરીબોના ખિસ્સા પર પણ પડે છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં કાચેગુડા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ દશેરાના તહેવારને કારણે વધારો કરવામાં આવ્યો હતો. રેલવેએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવે વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તહેવારોને કારણે દેશના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે