આગ સાથે રમત કરવી યુવકને પડી ભારે!!! ફાયર હેરકટિંગ કરાવતી વખતે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-10-27 13:00:08

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ રચ્યાપચ્યા જોવા મળે છે. રીલ્સ તેમજ વીડિયો પોસ્ટ કરી લાઈક્સ માટે તેઓ અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક વાળ કપાવવા જાય છે. પરંતુ કાતરની જગ્યાએ તે જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ કરે છે પરંતુ યુવક આગમાં લપેટાઈ જાય છે. વલસાડના વાપીના યુવકનો આ વીડિયો છે. યુવકના માથાના ભાગમાં આગ લાગી હતી. જેને કારણે તે દાઝી ગયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

વાળ કપાવતી વખતે માથું ભડભડ બળવા લાગ્યું

બદલાતા સમય સાથે પદ્ધતિમાં અનેક ફેરફાર આવ્યો છે. વાળ કપાવતી સમયે એક યુવકે કાતરની બદલીમાં ફાયરની મદદથી વાળ કપાવાનું નક્કી કર્યું હતું. જેને કારણે તેની સાથે દુર્ઘટના સર્જાઈ હતી. નવી સ્ટાઈલથી વાળ કપાવવાની હોશિયારી યુવકને ભારે પડી છે. જ્યારે તે આગની મદદથી વાળ કપાવતો હતો તે સમયે અચાનક યુવકના માથાના ભાગમાં આગ લાગી. જેથી યુવક દાઝી ગયો હતો. જેને કારણે યુવકના વાળ બળવા લાગ્યા હતા. યુવક ચીસો પાડીને દુકાનની બહાર ભાગી ગયો. યુવકને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે