આગ સાથે રમત કરવી યુવકને પડી ભારે!!! ફાયર હેરકટિંગ કરાવતી વખતે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-10-27 13:00:08

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ રચ્યાપચ્યા જોવા મળે છે. રીલ્સ તેમજ વીડિયો પોસ્ટ કરી લાઈક્સ માટે તેઓ અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક વાળ કપાવવા જાય છે. પરંતુ કાતરની જગ્યાએ તે જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ કરે છે પરંતુ યુવક આગમાં લપેટાઈ જાય છે. વલસાડના વાપીના યુવકનો આ વીડિયો છે. યુવકના માથાના ભાગમાં આગ લાગી હતી. જેને કારણે તે દાઝી ગયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

વાળ કપાવતી વખતે માથું ભડભડ બળવા લાગ્યું

બદલાતા સમય સાથે પદ્ધતિમાં અનેક ફેરફાર આવ્યો છે. વાળ કપાવતી સમયે એક યુવકે કાતરની બદલીમાં ફાયરની મદદથી વાળ કપાવાનું નક્કી કર્યું હતું. જેને કારણે તેની સાથે દુર્ઘટના સર્જાઈ હતી. નવી સ્ટાઈલથી વાળ કપાવવાની હોશિયારી યુવકને ભારે પડી છે. જ્યારે તે આગની મદદથી વાળ કપાવતો હતો તે સમયે અચાનક યુવકના માથાના ભાગમાં આગ લાગી. જેથી યુવક દાઝી ગયો હતો. જેને કારણે યુવકના વાળ બળવા લાગ્યા હતા. યુવક ચીસો પાડીને દુકાનની બહાર ભાગી ગયો. યુવકને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.