સાધનામાં લીન થયેલા PM Modiને એટલી વિનંતી કે રાજકોટના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પણ પ્રાર્થના કરજો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 11:39:26

ગઈકાલથી પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં સાધના કરી રહ્યા છે... 45 કલાક તેઓ તપ કરવાના છે.. ધ્યાન કરવાના છે... સોશિયલ મીડિયા પર પીએમ મોદી ધ્યાન કરતા હોય, સૂર્યની ઉપાસના કરતા હોય તેવા અનેક વીડિયો તેમજ ફોટોઝ આપણે જોયા છે.. સોશિયલ મીડિયા પર ગઈકાલે પીએમ મોદીના તપની ચર્ચા થઈ.. ચૂંટણી પ્રચારની વ્યસ્તતા બાદ પીએમ મોદી ધ્યાન કરવા, મનને શાંત કરવા, દેશની ઉન્નતી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે... પીએમ મોદીના અનેક વીડિયો નેતાઓએ શેર કર્યા છે.. 



પીએમ મોદીને એટલી વિનંતી કે પોતાની પ્રાર્થનામાં..  

ત્યારે પીએમ મોદીને ગુજરાત વતી એટલી વિનંતી કરવી છે કે પોતાની પ્રાર્થનામાં રાજકોટમાં જે લોકો મોતને ભેટ્યા તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરે.. તેવી પ્રાર્થના પણ કરે કે મૃતકોના પરિવારને આ દુ:ખ સહન કરવાની હિંમત પણ આપે.. તેવી પ્રાર્થના પણ પીએમ મોદી કરે કે આ ઘટનાના જે દોષિત છે તેમને છોડવામાં ના આવે.. થોડા સમય બાદ દોષિતો છૂટી ના જાય તે માટે પણ પ્રાર્થના પણ કરજો.. પીએમ મોદીને રાજકોટ વાસીઓ આટલી પ્રાર્થના કરતા હશે..



ગુજરાતમાં પીએમ મોદી માટે વપરાય છે પનોતા પુત્રનું સંબોધન      

પીએમ મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર કહીને સંબોધીએ છીએ.. પીએમ મોદી ગુજરાતના પુત્ર છે.. જ્યારે ગુજરાતીમાં પીએમ બોલે ત્યારે અનેક લોકોને ખુશી થાય કે ગુજરાતનો દીકરો પીએમ પદને શોભાવે છે.. ભલે સામાન્ય લોકોને પીએમ  મોદી સાથે ડાયરેક્ટ લેવા દેવા નથી પરંતુ તો પણ દિલના કોઈ ખુણામાં તેમને લાગે કે આપણો ગુજરાતી દેશની કમાન સંભાળી રહ્યો છે.. લોકોને આશા હોય છે કે ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો પીએમ મોદી ગુજરાત આવી સાંત્વના વ્યક્ત કરશે.. 


 


રાજકોટથી થઈ હતી પીએમ મોદીના રાજકીય કારકિર્દીની શરૂઆત... 

પરંતુ રાજકોટમાં બનેલી દુર્ઘટના માટે પીએમ મોદીએ માત્ર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.. ગુજરાતના લોકો, રાજકોટની જનતા પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે કારણ કે રાજકોટથી જ તેમણે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ કદાચ તેઓ ભૂલી ગયા હશે કે તેઓ ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ તેમને આગળ વધાર્યા છે.. રાજકીય કારકિર્દીના ઉચ્ચ શિખર પર પહોંચેલા પીએમ મોદીને પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ કદાચ રાજકોટની મુલાકાત લઈ શકે છે તેવું લાગી રહ્યું છે... 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.