સાધનામાં લીન થયેલા PM Modiને એટલી વિનંતી કે રાજકોટના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પણ પ્રાર્થના કરજો...


  • Published By :
  • Published Date : 2024-06-01 11:39:26

ગઈકાલથી પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં સાધના કરી રહ્યા છે... 45 કલાક તેઓ તપ કરવાના છે.. ધ્યાન કરવાના છે... સોશિયલ મીડિયા પર પીએમ મોદી ધ્યાન કરતા હોય, સૂર્યની ઉપાસના કરતા હોય તેવા અનેક વીડિયો તેમજ ફોટોઝ આપણે જોયા છે.. સોશિયલ મીડિયા પર ગઈકાલે પીએમ મોદીના તપની ચર્ચા થઈ.. ચૂંટણી પ્રચારની વ્યસ્તતા બાદ પીએમ મોદી ધ્યાન કરવા, મનને શાંત કરવા, દેશની ઉન્નતી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે... પીએમ મોદીના અનેક વીડિયો નેતાઓએ શેર કર્યા છે.. 



પીએમ મોદીને એટલી વિનંતી કે પોતાની પ્રાર્થનામાં..  

ત્યારે પીએમ મોદીને ગુજરાત વતી એટલી વિનંતી કરવી છે કે પોતાની પ્રાર્થનામાં રાજકોટમાં જે લોકો મોતને ભેટ્યા તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરે.. તેવી પ્રાર્થના પણ કરે કે મૃતકોના પરિવારને આ દુ:ખ સહન કરવાની હિંમત પણ આપે.. તેવી પ્રાર્થના પણ પીએમ મોદી કરે કે આ ઘટનાના જે દોષિત છે તેમને છોડવામાં ના આવે.. થોડા સમય બાદ દોષિતો છૂટી ના જાય તે માટે પણ પ્રાર્થના પણ કરજો.. પીએમ મોદીને રાજકોટ વાસીઓ આટલી પ્રાર્થના કરતા હશે..



ગુજરાતમાં પીએમ મોદી માટે વપરાય છે પનોતા પુત્રનું સંબોધન      

પીએમ મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર કહીને સંબોધીએ છીએ.. પીએમ મોદી ગુજરાતના પુત્ર છે.. જ્યારે ગુજરાતીમાં પીએમ બોલે ત્યારે અનેક લોકોને ખુશી થાય કે ગુજરાતનો દીકરો પીએમ પદને શોભાવે છે.. ભલે સામાન્ય લોકોને પીએમ  મોદી સાથે ડાયરેક્ટ લેવા દેવા નથી પરંતુ તો પણ દિલના કોઈ ખુણામાં તેમને લાગે કે આપણો ગુજરાતી દેશની કમાન સંભાળી રહ્યો છે.. લોકોને આશા હોય છે કે ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો પીએમ મોદી ગુજરાત આવી સાંત્વના વ્યક્ત કરશે.. 


 


રાજકોટથી થઈ હતી પીએમ મોદીના રાજકીય કારકિર્દીની શરૂઆત... 

પરંતુ રાજકોટમાં બનેલી દુર્ઘટના માટે પીએમ મોદીએ માત્ર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.. ગુજરાતના લોકો, રાજકોટની જનતા પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે કારણ કે રાજકોટથી જ તેમણે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ કદાચ તેઓ ભૂલી ગયા હશે કે તેઓ ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ તેમને આગળ વધાર્યા છે.. રાજકીય કારકિર્દીના ઉચ્ચ શિખર પર પહોંચેલા પીએમ મોદીને પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ કદાચ રાજકોટની મુલાકાત લઈ શકે છે તેવું લાગી રહ્યું છે... 



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.