સાધનામાં લીન થયેલા PM Modiને એટલી વિનંતી કે રાજકોટના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પણ પ્રાર્થના કરજો...


  • Published By :
  • Published Date : 2024-06-01 11:39:26

ગઈકાલથી પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં સાધના કરી રહ્યા છે... 45 કલાક તેઓ તપ કરવાના છે.. ધ્યાન કરવાના છે... સોશિયલ મીડિયા પર પીએમ મોદી ધ્યાન કરતા હોય, સૂર્યની ઉપાસના કરતા હોય તેવા અનેક વીડિયો તેમજ ફોટોઝ આપણે જોયા છે.. સોશિયલ મીડિયા પર ગઈકાલે પીએમ મોદીના તપની ચર્ચા થઈ.. ચૂંટણી પ્રચારની વ્યસ્તતા બાદ પીએમ મોદી ધ્યાન કરવા, મનને શાંત કરવા, દેશની ઉન્નતી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે... પીએમ મોદીના અનેક વીડિયો નેતાઓએ શેર કર્યા છે.. 



પીએમ મોદીને એટલી વિનંતી કે પોતાની પ્રાર્થનામાં..  

ત્યારે પીએમ મોદીને ગુજરાત વતી એટલી વિનંતી કરવી છે કે પોતાની પ્રાર્થનામાં રાજકોટમાં જે લોકો મોતને ભેટ્યા તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરે.. તેવી પ્રાર્થના પણ કરે કે મૃતકોના પરિવારને આ દુ:ખ સહન કરવાની હિંમત પણ આપે.. તેવી પ્રાર્થના પણ પીએમ મોદી કરે કે આ ઘટનાના જે દોષિત છે તેમને છોડવામાં ના આવે.. થોડા સમય બાદ દોષિતો છૂટી ના જાય તે માટે પણ પ્રાર્થના પણ કરજો.. પીએમ મોદીને રાજકોટ વાસીઓ આટલી પ્રાર્થના કરતા હશે..



ગુજરાતમાં પીએમ મોદી માટે વપરાય છે પનોતા પુત્રનું સંબોધન      

પીએમ મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર કહીને સંબોધીએ છીએ.. પીએમ મોદી ગુજરાતના પુત્ર છે.. જ્યારે ગુજરાતીમાં પીએમ બોલે ત્યારે અનેક લોકોને ખુશી થાય કે ગુજરાતનો દીકરો પીએમ પદને શોભાવે છે.. ભલે સામાન્ય લોકોને પીએમ  મોદી સાથે ડાયરેક્ટ લેવા દેવા નથી પરંતુ તો પણ દિલના કોઈ ખુણામાં તેમને લાગે કે આપણો ગુજરાતી દેશની કમાન સંભાળી રહ્યો છે.. લોકોને આશા હોય છે કે ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો પીએમ મોદી ગુજરાત આવી સાંત્વના વ્યક્ત કરશે.. 


 


રાજકોટથી થઈ હતી પીએમ મોદીના રાજકીય કારકિર્દીની શરૂઆત... 

પરંતુ રાજકોટમાં બનેલી દુર્ઘટના માટે પીએમ મોદીએ માત્ર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.. ગુજરાતના લોકો, રાજકોટની જનતા પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે કારણ કે રાજકોટથી જ તેમણે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ કદાચ તેઓ ભૂલી ગયા હશે કે તેઓ ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ તેમને આગળ વધાર્યા છે.. રાજકીય કારકિર્દીના ઉચ્ચ શિખર પર પહોંચેલા પીએમ મોદીને પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ કદાચ રાજકોટની મુલાકાત લઈ શકે છે તેવું લાગી રહ્યું છે... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.