PM, CM અને K.Kએ એરપોર્ટ કરી મીટીંગ, વર્તમાન રાજનીતિક પરિસ્થિતિ પર પ્રધાનમંત્રીની ચિંતા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 17:10:22

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત પહેલાથી જ નક્કી હતું કે સરકારી કાર્યક્રમની સાથે રાજકીય ચર્ચાઓ પણ મહત્વની રહેવાની છે, અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ પ્રમાણેના દરેક નેતાઓ પહોંચ્યા હતા


પીએમએ સીએમ સાથે જ કરી અંગત મીટીંગ, આપ ઈફેક્ટ?

અમદાવાદ એરપોર્ટના જ એક ફ્લોર પર કે.કૈલાસનાથન, પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી, આ મીટીંગમાં સી.આર.પાટીલ કે રાજ્ય સરકારના બીજા કોઈ મંત્રી પણ હાજર નહોતા રહ્યા, આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધતો પ્રભાવ અને ભાજપનું આંતરીક રાજકારણ આ બેઠકમાં ચર્ચાયું હોવાની વાતો બહાર થઈ રહી છે, જો કે અંદર એક્ઝેટલી શું ચર્ચાઓ થઈ એ તો એ ત્રણ સિવાય કોઈ જાણી શકવાનું નથી, પણ આવનાર દિવસોમાં લેવાતા પગલાના આધારે આ બેઠકોના પરિણામો દેખાશે


નવા ખાતા મળ્યા પછી જગદીશ પંચાલ, હર્ષ સંઘવી પહેલી વાર પીએમને મળ્યા

મંત્રીમંડળમાંથી બે મુખ્ય ખાતાનો હવાલો સંભાળતા બે સિનિયર મંત્રીઓની રીતસરથી એ ખાતામાંથી હકાલપટ્ટી, પછી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ક્યાંય દેખાયા નથી, હવે જગદીશ પંચાલ માર્ગ મકાનનો અને હર્ષ સંઘવી મહેસુલનો આટલો મહત્વનો પદભાર સંભાળ્યા પછી પીએમને પહેલીવાર મળી રહ્યા હતા ત્યારે એમના ફોટા પર પણ અનેક ચર્ચાઓ થઈ

ઉપર દેખાય કે ના દેખાય, પણ ભાજપમાં આંતરીક ડખા ખુબ વધારે છે એ વાતને કોઈ નકારી શકે એમ નથી, ત્યારે પીએમ કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે એ થોડા જ દિવસોમાં લેવાનાર નિર્ણયોમાં ખબર પડી જશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"