PM, CM અને K.Kએ એરપોર્ટ કરી મીટીંગ, વર્તમાન રાજનીતિક પરિસ્થિતિ પર પ્રધાનમંત્રીની ચિંતા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 17:10:22

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત પહેલાથી જ નક્કી હતું કે સરકારી કાર્યક્રમની સાથે રાજકીય ચર્ચાઓ પણ મહત્વની રહેવાની છે, અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ પ્રમાણેના દરેક નેતાઓ પહોંચ્યા હતા


પીએમએ સીએમ સાથે જ કરી અંગત મીટીંગ, આપ ઈફેક્ટ?

અમદાવાદ એરપોર્ટના જ એક ફ્લોર પર કે.કૈલાસનાથન, પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી, આ મીટીંગમાં સી.આર.પાટીલ કે રાજ્ય સરકારના બીજા કોઈ મંત્રી પણ હાજર નહોતા રહ્યા, આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધતો પ્રભાવ અને ભાજપનું આંતરીક રાજકારણ આ બેઠકમાં ચર્ચાયું હોવાની વાતો બહાર થઈ રહી છે, જો કે અંદર એક્ઝેટલી શું ચર્ચાઓ થઈ એ તો એ ત્રણ સિવાય કોઈ જાણી શકવાનું નથી, પણ આવનાર દિવસોમાં લેવાતા પગલાના આધારે આ બેઠકોના પરિણામો દેખાશે


નવા ખાતા મળ્યા પછી જગદીશ પંચાલ, હર્ષ સંઘવી પહેલી વાર પીએમને મળ્યા

મંત્રીમંડળમાંથી બે મુખ્ય ખાતાનો હવાલો સંભાળતા બે સિનિયર મંત્રીઓની રીતસરથી એ ખાતામાંથી હકાલપટ્ટી, પછી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ક્યાંય દેખાયા નથી, હવે જગદીશ પંચાલ માર્ગ મકાનનો અને હર્ષ સંઘવી મહેસુલનો આટલો મહત્વનો પદભાર સંભાળ્યા પછી પીએમને પહેલીવાર મળી રહ્યા હતા ત્યારે એમના ફોટા પર પણ અનેક ચર્ચાઓ થઈ

ઉપર દેખાય કે ના દેખાય, પણ ભાજપમાં આંતરીક ડખા ખુબ વધારે છે એ વાતને કોઈ નકારી શકે એમ નથી, ત્યારે પીએમ કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે એ થોડા જ દિવસોમાં લેવાનાર નિર્ણયોમાં ખબર પડી જશે.



અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.