PM, CM અને K.Kએ એરપોર્ટ કરી મીટીંગ, વર્તમાન રાજનીતિક પરિસ્થિતિ પર પ્રધાનમંત્રીની ચિંતા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 17:10:22

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત પહેલાથી જ નક્કી હતું કે સરકારી કાર્યક્રમની સાથે રાજકીય ચર્ચાઓ પણ મહત્વની રહેવાની છે, અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ પ્રમાણેના દરેક નેતાઓ પહોંચ્યા હતા


પીએમએ સીએમ સાથે જ કરી અંગત મીટીંગ, આપ ઈફેક્ટ?

અમદાવાદ એરપોર્ટના જ એક ફ્લોર પર કે.કૈલાસનાથન, પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી, આ મીટીંગમાં સી.આર.પાટીલ કે રાજ્ય સરકારના બીજા કોઈ મંત્રી પણ હાજર નહોતા રહ્યા, આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધતો પ્રભાવ અને ભાજપનું આંતરીક રાજકારણ આ બેઠકમાં ચર્ચાયું હોવાની વાતો બહાર થઈ રહી છે, જો કે અંદર એક્ઝેટલી શું ચર્ચાઓ થઈ એ તો એ ત્રણ સિવાય કોઈ જાણી શકવાનું નથી, પણ આવનાર દિવસોમાં લેવાતા પગલાના આધારે આ બેઠકોના પરિણામો દેખાશે


નવા ખાતા મળ્યા પછી જગદીશ પંચાલ, હર્ષ સંઘવી પહેલી વાર પીએમને મળ્યા

મંત્રીમંડળમાંથી બે મુખ્ય ખાતાનો હવાલો સંભાળતા બે સિનિયર મંત્રીઓની રીતસરથી એ ખાતામાંથી હકાલપટ્ટી, પછી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી ક્યાંય દેખાયા નથી, હવે જગદીશ પંચાલ માર્ગ મકાનનો અને હર્ષ સંઘવી મહેસુલનો આટલો મહત્વનો પદભાર સંભાળ્યા પછી પીએમને પહેલીવાર મળી રહ્યા હતા ત્યારે એમના ફોટા પર પણ અનેક ચર્ચાઓ થઈ

ઉપર દેખાય કે ના દેખાય, પણ ભાજપમાં આંતરીક ડખા ખુબ વધારે છે એ વાતને કોઈ નકારી શકે એમ નથી, ત્યારે પીએમ કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે એ થોડા જ દિવસોમાં લેવાનાર નિર્ણયોમાં ખબર પડી જશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.