Sanatan Dharm વિશે નેતાઓએ શું બોલવું તેની સલાહ આપી PM Modiએ, સલાહ મળતા Smriti Iraniએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 16:02:09

દેશમાં શું ચાલી રહ્યું છે? મોંઘવારી, બેરોજગારી, મણિપુરની હિંસા મુદ્દાને બાજુએ મૂકી G-20ની તૈયારી- દેશને કયા નામે બોલાવવું એના મતભેદ અને સનાતનને બીમારી ગણાવતા એક નેતાની ટિપ્પણી- જેના પર નેતાઓ અને મીડિયા કાગ આંખ રાખીને બેઠું છે, અને આવા સમયે ઈન્ડોનેશિયાના નાનકડા પ્રવાસે જતા પહેલા નરેન્દ્ર મોદીએ મંત્રી અને નેતાને થોડી સલાહ આપી હતી. તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ પણ સ્ટાલિનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.  

પીએમ મોદીએ તમામ મંત્રીઓને આપી આ સલાહ 

G-20નું યજમાન ભારત દુનિયાભરના નેતાઓને આવકારવા તૈયાર છે, તેની કેટલાયે દિવસોથી તૈયારી ચાલી રહી છે, જો બાઈડનથી લઇ રિશી સુનક- એમ્યુનેલ મેક્રોન- જસ્ટિન ટ્રુડોવ સહિતના આંતરરાષ્ટ્રીય નેતાઓ દેશમાં પધારવાના છે, ત્યારે દેશમાં ચાલી રહેલી વિસંગતતા- કે વિવાદ પર કઈ રીતે વર્તવું કે બોલવું તે અંગે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સલાહ આપી - તેમણે સનાતન પર થઇ રહેલી ટિપ્પણીઓને યોગ્ય રીતે સ્પષ્ટતા અને તર્ક સાથે વળતો જવાબ આપવાની છૂટ આપી છે, આ બાદ ઘણા નેતાઓએ સનાતન મુદ્દે વિપક્ષને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


ઈન્ડિયા અને ભારતના વિવાદ પર ન બોલવા માટે આપી સલાહ!

વધુમાં ઈન્ડિયા ના બદલે ભારતનો  વિવાદ ઉભો થયો છે તેમાટે પણ છે, બોલવામાં સંયમ વર્તવા કહ્યું છે, જી20ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે અને G20ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે એવા આદેશ એટલે કે સલાહ આપી છે. આમ બોલવા સાંભળવાની જે સલાહ મંત્રી પરિષદમાં આપી તેની માહિતી સૂત્રોના અહેવાલથી જાણવા મળી છે. મોદીજીના આ સનાતન મુદ્દેની સલાહ બાદ ઉદયનીધિ સ્ટાલિન જેમણે આ તણખા ઝરાવ્યા તેમણે પણ પોતાના નીવેદનમાં સ્પષ્ટતા આપતા અન્ય નેતાઓને જેમ કહી દીધું કે મારા નિવેદનનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ પણ આપ્યો જવાબ 

સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકો સનાતન ધર્મને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ધર્મ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં. 


શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર મામલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." આ મામલે અલગ અલગ નેતાઓએ નિવેદન આપ્યું હતું ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ નિવેદન આપ્યું છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે