Sanatan Dharm વિશે નેતાઓએ શું બોલવું તેની સલાહ આપી PM Modiએ, સલાહ મળતા Smriti Iraniએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-07 16:02:09

દેશમાં શું ચાલી રહ્યું છે? મોંઘવારી, બેરોજગારી, મણિપુરની હિંસા મુદ્દાને બાજુએ મૂકી G-20ની તૈયારી- દેશને કયા નામે બોલાવવું એના મતભેદ અને સનાતનને બીમારી ગણાવતા એક નેતાની ટિપ્પણી- જેના પર નેતાઓ અને મીડિયા કાગ આંખ રાખીને બેઠું છે, અને આવા સમયે ઈન્ડોનેશિયાના નાનકડા પ્રવાસે જતા પહેલા નરેન્દ્ર મોદીએ મંત્રી અને નેતાને થોડી સલાહ આપી હતી. તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ પણ સ્ટાલિનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.  

પીએમ મોદીએ તમામ મંત્રીઓને આપી આ સલાહ 

G-20નું યજમાન ભારત દુનિયાભરના નેતાઓને આવકારવા તૈયાર છે, તેની કેટલાયે દિવસોથી તૈયારી ચાલી રહી છે, જો બાઈડનથી લઇ રિશી સુનક- એમ્યુનેલ મેક્રોન- જસ્ટિન ટ્રુડોવ સહિતના આંતરરાષ્ટ્રીય નેતાઓ દેશમાં પધારવાના છે, ત્યારે દેશમાં ચાલી રહેલી વિસંગતતા- કે વિવાદ પર કઈ રીતે વર્તવું કે બોલવું તે અંગે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સલાહ આપી - તેમણે સનાતન પર થઇ રહેલી ટિપ્પણીઓને યોગ્ય રીતે સ્પષ્ટતા અને તર્ક સાથે વળતો જવાબ આપવાની છૂટ આપી છે, આ બાદ ઘણા નેતાઓએ સનાતન મુદ્દે વિપક્ષને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


ઈન્ડિયા અને ભારતના વિવાદ પર ન બોલવા માટે આપી સલાહ!

વધુમાં ઈન્ડિયા ના બદલે ભારતનો  વિવાદ ઉભો થયો છે તેમાટે પણ છે, બોલવામાં સંયમ વર્તવા કહ્યું છે, જી20ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે અને G20ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે એવા આદેશ એટલે કે સલાહ આપી છે. આમ બોલવા સાંભળવાની જે સલાહ મંત્રી પરિષદમાં આપી તેની માહિતી સૂત્રોના અહેવાલથી જાણવા મળી છે. મોદીજીના આ સનાતન મુદ્દેની સલાહ બાદ ઉદયનીધિ સ્ટાલિન જેમણે આ તણખા ઝરાવ્યા તેમણે પણ પોતાના નીવેદનમાં સ્પષ્ટતા આપતા અન્ય નેતાઓને જેમ કહી દીધું કે મારા નિવેદનનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ પણ આપ્યો જવાબ 

સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકો સનાતન ધર્મને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ધર્મ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં. 


શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર મામલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." આ મામલે અલગ અલગ નેતાઓએ નિવેદન આપ્યું હતું ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ નિવેદન આપ્યું છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે