Sanatan Dharm વિશે નેતાઓએ શું બોલવું તેની સલાહ આપી PM Modiએ, સલાહ મળતા Smriti Iraniએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-07 16:02:09

દેશમાં શું ચાલી રહ્યું છે? મોંઘવારી, બેરોજગારી, મણિપુરની હિંસા મુદ્દાને બાજુએ મૂકી G-20ની તૈયારી- દેશને કયા નામે બોલાવવું એના મતભેદ અને સનાતનને બીમારી ગણાવતા એક નેતાની ટિપ્પણી- જેના પર નેતાઓ અને મીડિયા કાગ આંખ રાખીને બેઠું છે, અને આવા સમયે ઈન્ડોનેશિયાના નાનકડા પ્રવાસે જતા પહેલા નરેન્દ્ર મોદીએ મંત્રી અને નેતાને થોડી સલાહ આપી હતી. તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ પણ સ્ટાલિનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.  

પીએમ મોદીએ તમામ મંત્રીઓને આપી આ સલાહ 

G-20નું યજમાન ભારત દુનિયાભરના નેતાઓને આવકારવા તૈયાર છે, તેની કેટલાયે દિવસોથી તૈયારી ચાલી રહી છે, જો બાઈડનથી લઇ રિશી સુનક- એમ્યુનેલ મેક્રોન- જસ્ટિન ટ્રુડોવ સહિતના આંતરરાષ્ટ્રીય નેતાઓ દેશમાં પધારવાના છે, ત્યારે દેશમાં ચાલી રહેલી વિસંગતતા- કે વિવાદ પર કઈ રીતે વર્તવું કે બોલવું તે અંગે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સલાહ આપી - તેમણે સનાતન પર થઇ રહેલી ટિપ્પણીઓને યોગ્ય રીતે સ્પષ્ટતા અને તર્ક સાથે વળતો જવાબ આપવાની છૂટ આપી છે, આ બાદ ઘણા નેતાઓએ સનાતન મુદ્દે વિપક્ષને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


ઈન્ડિયા અને ભારતના વિવાદ પર ન બોલવા માટે આપી સલાહ!

વધુમાં ઈન્ડિયા ના બદલે ભારતનો  વિવાદ ઉભો થયો છે તેમાટે પણ છે, બોલવામાં સંયમ વર્તવા કહ્યું છે, જી20ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે અને G20ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે એવા આદેશ એટલે કે સલાહ આપી છે. આમ બોલવા સાંભળવાની જે સલાહ મંત્રી પરિષદમાં આપી તેની માહિતી સૂત્રોના અહેવાલથી જાણવા મળી છે. મોદીજીના આ સનાતન મુદ્દેની સલાહ બાદ ઉદયનીધિ સ્ટાલિન જેમણે આ તણખા ઝરાવ્યા તેમણે પણ પોતાના નીવેદનમાં સ્પષ્ટતા આપતા અન્ય નેતાઓને જેમ કહી દીધું કે મારા નિવેદનનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ પણ આપ્યો જવાબ 

સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકો સનાતન ધર્મને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ધર્મ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં. 


શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર મામલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." આ મામલે અલગ અલગ નેતાઓએ નિવેદન આપ્યું હતું ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ નિવેદન આપ્યું છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.