PM Modiએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો કારણ કે.... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 17:56:08

22 જાન્યુઆરીનો દિવસ અનેક લોકો માટે ખાસ કરીને ભગવાન રામના ભક્તો માટે સામાન્ય દિવસ નહીં હોય. આ દિવસે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ દિવસને ધ્યાનમાં રાખી અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં  આવી છે. પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે અનેક કરોડોની ભેટ આપી હતી. રેલવે સ્ટેશન, એરપોર્ટનું તેમણે ઉદ્ધાટન કર્યું છે.

 

22 જાન્યુઆરીએ થવાની છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

પીએમ મોદીએ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેનો તેમજ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ બધા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે , "દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર 22  જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન થાય તે પછી અયોધ્યા આવે." આ પછી, તેઓએ તેમની અનુકૂળતા મુજબ અયોધ્યા આવવું જોઈએ અને 22 જાન્યુઆરીએ અહીં આવવાનું મન બનાવવું જોઈએ નહીં."



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.