PM Modiએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો કારણ કે.... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 17:56:08

22 જાન્યુઆરીનો દિવસ અનેક લોકો માટે ખાસ કરીને ભગવાન રામના ભક્તો માટે સામાન્ય દિવસ નહીં હોય. આ દિવસે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ દિવસને ધ્યાનમાં રાખી અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં  આવી છે. પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે અનેક કરોડોની ભેટ આપી હતી. રેલવે સ્ટેશન, એરપોર્ટનું તેમણે ઉદ્ધાટન કર્યું છે.

 

22 જાન્યુઆરીએ થવાની છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

પીએમ મોદીએ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેનો તેમજ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ બધા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે , "દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર 22  જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન થાય તે પછી અયોધ્યા આવે." આ પછી, તેઓએ તેમની અનુકૂળતા મુજબ અયોધ્યા આવવું જોઈએ અને 22 જાન્યુઆરીએ અહીં આવવાનું મન બનાવવું જોઈએ નહીં."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.