વાયનાડ પહોંચ્યા PM Modi, પહેલા સ્થળનું કર્યું હવાઈ નિરીક્ષણ અને પછી સ્થળ મુલાકાત, મળ્યા રાહત શિબિરોમાં રહી રહેલા લોકોને.. Rahul Gandhiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-10 16:02:34

કેરળના વાયનાડમાં કુદરતી આપદાએ તબાહી મચાવી છે.. ભૂસ્ખલનના અનેક વખત સમાચાર આપણી સામે આવ્યા છે.. અનેક લોકોના મોત આ ભૂસ્ખલનને કારણે થયા છે. અનેક લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો લાપતા થઈ ગયા હતા.. રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી.. આર્મીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પીએમ મોદી આજે વાયનાડ ગયા છે. પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું અને પછી ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. 

રાહત શિબિરોમાં રહી રહેલા લોકો સાથે કરી મુલાકાત

વાયનાડની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉપરાંત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. શિબિર કેમ્પમાં રહેતા લોકો સાથે પણ તેમણે વાત કરી હતી.. આ બાદ અધિકારીઓ સાથે તે બેઠક પણ કરશે એવી માહિતી પણ સામે આવી છે.

રાહુલ ગાંધીએ કરી ટ્વિટ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે ગયા હતા. ત્યાં લોકો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદી આજે વાયનાડની મુલાકાત લેવાના હતા તેને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી છે. - PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. મહત્વનું છે કે ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહત કાર્ય માટે આર્મીના જવાનોને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા. આર્મીના જવાનો જ્યારે ત્યાંથી ગયા ત્યારે તેમને તાળીઓના ગડગડાટથી વિદાય લોકોએ આપી હતી.. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.