વાયનાડ પહોંચ્યા PM Modi, પહેલા સ્થળનું કર્યું હવાઈ નિરીક્ષણ અને પછી સ્થળ મુલાકાત, મળ્યા રાહત શિબિરોમાં રહી રહેલા લોકોને.. Rahul Gandhiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-10 16:02:34

કેરળના વાયનાડમાં કુદરતી આપદાએ તબાહી મચાવી છે.. ભૂસ્ખલનના અનેક વખત સમાચાર આપણી સામે આવ્યા છે.. અનેક લોકોના મોત આ ભૂસ્ખલનને કારણે થયા છે. અનેક લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો લાપતા થઈ ગયા હતા.. રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી.. આર્મીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પીએમ મોદી આજે વાયનાડ ગયા છે. પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું અને પછી ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. 

રાહત શિબિરોમાં રહી રહેલા લોકો સાથે કરી મુલાકાત

વાયનાડની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉપરાંત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. શિબિર કેમ્પમાં રહેતા લોકો સાથે પણ તેમણે વાત કરી હતી.. આ બાદ અધિકારીઓ સાથે તે બેઠક પણ કરશે એવી માહિતી પણ સામે આવી છે.

રાહુલ ગાંધીએ કરી ટ્વિટ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે ગયા હતા. ત્યાં લોકો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદી આજે વાયનાડની મુલાકાત લેવાના હતા તેને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી છે. - PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. મહત્વનું છે કે ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહત કાર્ય માટે આર્મીના જવાનોને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા. આર્મીના જવાનો જ્યારે ત્યાંથી ગયા ત્યારે તેમને તાળીઓના ગડગડાટથી વિદાય લોકોએ આપી હતી.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.