વાયનાડ પહોંચ્યા PM Modi, પહેલા સ્થળનું કર્યું હવાઈ નિરીક્ષણ અને પછી સ્થળ મુલાકાત, મળ્યા રાહત શિબિરોમાં રહી રહેલા લોકોને.. Rahul Gandhiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-10 16:02:34

કેરળના વાયનાડમાં કુદરતી આપદાએ તબાહી મચાવી છે.. ભૂસ્ખલનના અનેક વખત સમાચાર આપણી સામે આવ્યા છે.. અનેક લોકોના મોત આ ભૂસ્ખલનને કારણે થયા છે. અનેક લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો લાપતા થઈ ગયા હતા.. રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી.. આર્મીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પીએમ મોદી આજે વાયનાડ ગયા છે. પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું અને પછી ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. 

રાહત શિબિરોમાં રહી રહેલા લોકો સાથે કરી મુલાકાત

વાયનાડની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉપરાંત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. શિબિર કેમ્પમાં રહેતા લોકો સાથે પણ તેમણે વાત કરી હતી.. આ બાદ અધિકારીઓ સાથે તે બેઠક પણ કરશે એવી માહિતી પણ સામે આવી છે.

રાહુલ ગાંધીએ કરી ટ્વિટ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે ગયા હતા. ત્યાં લોકો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદી આજે વાયનાડની મુલાકાત લેવાના હતા તેને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી છે. - PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. મહત્વનું છે કે ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહત કાર્ય માટે આર્મીના જવાનોને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા. આર્મીના જવાનો જ્યારે ત્યાંથી ગયા ત્યારે તેમને તાળીઓના ગડગડાટથી વિદાય લોકોએ આપી હતી.. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.