Breaking News : INDIA Alliance પર પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર, પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે......


  • Published By :
  • Published Date : 2023-09-14 15:07:14

દેશમાં ઘણા સમયથી સનાતન ધર્મને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. INDIA ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓ તો પ્રહાર કરતા હતા પરંતુ હવે તો આ ગઠબંધન પર પીએમ મોદીએ પ્રહાર કર્યા છે. મધ્યપ્રદેશના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ ઘમંડી ગઠબંધન સનાતનનો નાશ કરવા માગે છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક તરફ આજનો ભારત દુનિયાને જોડવાની ક્ષમતા બતાવી રહ્યો છે. આપણું ભારત વિશ્વ મિત્ર તરીકે ઉભરી રહ્યું છે. બીજી તરફ કેટલાક પક્ષો એવા છે, જે દેશ અને સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત ઈન્ડી એલાયન્સને ઘમંડી કહી હતી.

ઈન્ડિયા ગઠબંધનને ઈન્ડિ એલાયન્સ કહીને સંબોધી હતી 

લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. પીએમ મોદીને હરાવવા વિપક્ષી દળોએ એક ગઠબંધનની રચના કરી છે. તેનું નામ ઈન્ડિયા રાખવામાં આવ્યું છે. ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અનેક નેતાઓએ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે આજે પીએમ મોદીએ ગઠબંધન પર પ્રહાર કર્યા છે. 


ઈન્ડિયા ગઠબંધનને અહંકારી ગઠબંધન તરીકે સંબોધી 

જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. મને લાગે છે કે તે બેઠકમાં તેઓએ અહંકારી ગઠબંધન કેવી રીતે કાર્ય કરશે તેની નીતિ બનાવી છે. હિડન એજેન્ડા નક્કી કરવામાં આવ્યો છે. અહંકારી ગઠબંધનની નીતિ એ છે કે તેઓ સનાતનનો નાશ કરવા અને દેશને 1000 વર્શ સુધી ગુલામીમાં ધકેલી દેવા માગે છે. આપણે સાથે મળીને આવી શક્તિઓને રોકવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે સનાતન દેશની એકતાનો આધાર છે. સનાતનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સનાતનને ખતમ કરવાનો તેમનો સંકલ્પ છે. દરેક સનાતનીએ સતર્ક થવાની જરૂર છે.

   



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?