Breaking News : INDIA Alliance પર પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર, પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે......


  • Published By :
  • Published Date : 2023-09-14 15:07:14

દેશમાં ઘણા સમયથી સનાતન ધર્મને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. INDIA ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓ તો પ્રહાર કરતા હતા પરંતુ હવે તો આ ગઠબંધન પર પીએમ મોદીએ પ્રહાર કર્યા છે. મધ્યપ્રદેશના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ ઘમંડી ગઠબંધન સનાતનનો નાશ કરવા માગે છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક તરફ આજનો ભારત દુનિયાને જોડવાની ક્ષમતા બતાવી રહ્યો છે. આપણું ભારત વિશ્વ મિત્ર તરીકે ઉભરી રહ્યું છે. બીજી તરફ કેટલાક પક્ષો એવા છે, જે દેશ અને સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત ઈન્ડી એલાયન્સને ઘમંડી કહી હતી.

ઈન્ડિયા ગઠબંધનને ઈન્ડિ એલાયન્સ કહીને સંબોધી હતી 

લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. પીએમ મોદીને હરાવવા વિપક્ષી દળોએ એક ગઠબંધનની રચના કરી છે. તેનું નામ ઈન્ડિયા રાખવામાં આવ્યું છે. ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અનેક નેતાઓએ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે આજે પીએમ મોદીએ ગઠબંધન પર પ્રહાર કર્યા છે. 


ઈન્ડિયા ગઠબંધનને અહંકારી ગઠબંધન તરીકે સંબોધી 

જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. મને લાગે છે કે તે બેઠકમાં તેઓએ અહંકારી ગઠબંધન કેવી રીતે કાર્ય કરશે તેની નીતિ બનાવી છે. હિડન એજેન્ડા નક્કી કરવામાં આવ્યો છે. અહંકારી ગઠબંધનની નીતિ એ છે કે તેઓ સનાતનનો નાશ કરવા અને દેશને 1000 વર્શ સુધી ગુલામીમાં ધકેલી દેવા માગે છે. આપણે સાથે મળીને આવી શક્તિઓને રોકવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે સનાતન દેશની એકતાનો આધાર છે. સનાતનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સનાતનને ખતમ કરવાનો તેમનો સંકલ્પ છે. દરેક સનાતનીએ સતર્ક થવાની જરૂર છે.

   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.