Breaking News : INDIA Alliance પર પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર, પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે......


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 15:07:14

દેશમાં ઘણા સમયથી સનાતન ધર્મને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. INDIA ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓ તો પ્રહાર કરતા હતા પરંતુ હવે તો આ ગઠબંધન પર પીએમ મોદીએ પ્રહાર કર્યા છે. મધ્યપ્રદેશના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ ઘમંડી ગઠબંધન સનાતનનો નાશ કરવા માગે છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક તરફ આજનો ભારત દુનિયાને જોડવાની ક્ષમતા બતાવી રહ્યો છે. આપણું ભારત વિશ્વ મિત્ર તરીકે ઉભરી રહ્યું છે. બીજી તરફ કેટલાક પક્ષો એવા છે, જે દેશ અને સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત ઈન્ડી એલાયન્સને ઘમંડી કહી હતી.

ઈન્ડિયા ગઠબંધનને ઈન્ડિ એલાયન્સ કહીને સંબોધી હતી 

લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. પીએમ મોદીને હરાવવા વિપક્ષી દળોએ એક ગઠબંધનની રચના કરી છે. તેનું નામ ઈન્ડિયા રાખવામાં આવ્યું છે. ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અનેક નેતાઓએ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે આજે પીએમ મોદીએ ગઠબંધન પર પ્રહાર કર્યા છે. 


ઈન્ડિયા ગઠબંધનને અહંકારી ગઠબંધન તરીકે સંબોધી 

જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. મને લાગે છે કે તે બેઠકમાં તેઓએ અહંકારી ગઠબંધન કેવી રીતે કાર્ય કરશે તેની નીતિ બનાવી છે. હિડન એજેન્ડા નક્કી કરવામાં આવ્યો છે. અહંકારી ગઠબંધનની નીતિ એ છે કે તેઓ સનાતનનો નાશ કરવા અને દેશને 1000 વર્શ સુધી ગુલામીમાં ધકેલી દેવા માગે છે. આપણે સાથે મળીને આવી શક્તિઓને રોકવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે સનાતન દેશની એકતાનો આધાર છે. સનાતનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સનાતનને ખતમ કરવાનો તેમનો સંકલ્પ છે. દરેક સનાતનીએ સતર્ક થવાની જરૂર છે.

   



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.