PM મોદીના CM નીતિશ પર પ્રહાર, 'વિધાનસભામાં આપણી માતાઓ અને બહેનોનું અપમાન થયું....'


  • Published By :
  • Published Date : 2023-11-08 18:16:58

બિહારના સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં આપેલા નિવેદનથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. મહિલાઓ અંગેના તેમના આ નિવેદનની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. PM મોદીએ પણ નીતિશ કુમાર આજે ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશના દમોહમાં એક ચૂંટણી રેલીને સંબોધી રહેલા નરેન્દ્ર મોદીએ નિતીશ કુમારના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. 


PM મોદીએ શું કહ્યું?


MPના દમોહમાં જનમેદનીને સંબોધી રહેલા પીએમ મોદીએ કહ્યું કે 'અહંકારી ગઠબંધનના એક બહુ મોટા નેતા, જે પોતાનો ઝંડો લઈને ફરતા હોય છે, તેમણે વિધાનસભામાં માતાઓ અને બહેનોની હાજરીમાં એવી અભદ્ર ભાષામાં વાત કરી, જેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમને કોઈ શરમ નથી. INDIA ગઠબંધનના એક પણ નેતાએ હજુ સુધી તેમની નિંદા કરી નથી. કેટલા નીચે ગરી ગયા છીએ આપણે. વિશ્વમાં ભારતની છબી ખરાબ થઈ રહી છે."નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 'ભારત ગઠબંધનનો એક પણ નેતા માતાઓ અને બહેનોના ભયાનક અપમાન સામે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. શું આવા વિચારો ધરાવતા લોકો તમારું કોઈ ભલું કરી શકે છે?


નિતીશ કુમારે શું બફાટ કર્યો હતો? 


CM નીતીશ કુમાર બિહાર વિધાનસભામાં એ સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે