PM મોદીના CM નીતિશ પર પ્રહાર, 'વિધાનસભામાં આપણી માતાઓ અને બહેનોનું અપમાન થયું....'


  • Published By :
  • Published Date : 2023-11-08 18:16:58

બિહારના સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં આપેલા નિવેદનથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. મહિલાઓ અંગેના તેમના આ નિવેદનની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. PM મોદીએ પણ નીતિશ કુમાર આજે ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશના દમોહમાં એક ચૂંટણી રેલીને સંબોધી રહેલા નરેન્દ્ર મોદીએ નિતીશ કુમારના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. 


PM મોદીએ શું કહ્યું?


MPના દમોહમાં જનમેદનીને સંબોધી રહેલા પીએમ મોદીએ કહ્યું કે 'અહંકારી ગઠબંધનના એક બહુ મોટા નેતા, જે પોતાનો ઝંડો લઈને ફરતા હોય છે, તેમણે વિધાનસભામાં માતાઓ અને બહેનોની હાજરીમાં એવી અભદ્ર ભાષામાં વાત કરી, જેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમને કોઈ શરમ નથી. INDIA ગઠબંધનના એક પણ નેતાએ હજુ સુધી તેમની નિંદા કરી નથી. કેટલા નીચે ગરી ગયા છીએ આપણે. વિશ્વમાં ભારતની છબી ખરાબ થઈ રહી છે."નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 'ભારત ગઠબંધનનો એક પણ નેતા માતાઓ અને બહેનોના ભયાનક અપમાન સામે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. શું આવા વિચારો ધરાવતા લોકો તમારું કોઈ ભલું કરી શકે છે?


નિતીશ કુમારે શું બફાટ કર્યો હતો? 


CM નીતીશ કુમાર બિહાર વિધાનસભામાં એ સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.