PM મોદીના CM નીતિશ પર પ્રહાર, 'વિધાનસભામાં આપણી માતાઓ અને બહેનોનું અપમાન થયું....'


  • Published By :
  • Published Date : 2023-11-08 18:16:58

બિહારના સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં આપેલા નિવેદનથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. મહિલાઓ અંગેના તેમના આ નિવેદનની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. PM મોદીએ પણ નીતિશ કુમાર આજે ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશના દમોહમાં એક ચૂંટણી રેલીને સંબોધી રહેલા નરેન્દ્ર મોદીએ નિતીશ કુમારના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. 


PM મોદીએ શું કહ્યું?


MPના દમોહમાં જનમેદનીને સંબોધી રહેલા પીએમ મોદીએ કહ્યું કે 'અહંકારી ગઠબંધનના એક બહુ મોટા નેતા, જે પોતાનો ઝંડો લઈને ફરતા હોય છે, તેમણે વિધાનસભામાં માતાઓ અને બહેનોની હાજરીમાં એવી અભદ્ર ભાષામાં વાત કરી, જેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમને કોઈ શરમ નથી. INDIA ગઠબંધનના એક પણ નેતાએ હજુ સુધી તેમની નિંદા કરી નથી. કેટલા નીચે ગરી ગયા છીએ આપણે. વિશ્વમાં ભારતની છબી ખરાબ થઈ રહી છે."નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 'ભારત ગઠબંધનનો એક પણ નેતા માતાઓ અને બહેનોના ભયાનક અપમાન સામે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. શું આવા વિચારો ધરાવતા લોકો તમારું કોઈ ભલું કરી શકે છે?


નિતીશ કુમારે શું બફાટ કર્યો હતો? 


CM નીતીશ કુમાર બિહાર વિધાનસભામાં એ સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા. 



અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.