PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના પ્રમુખ બિડેન રહ્યા 8મા ક્રમે, જુઓ સંપૂર્ણ યાદી


  • Published By :
  • Published Date : 2023-12-08 22:22:53

PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ અનુસાર, PM મોદી 76%ના એપ્રુવલ રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોર સર્વેમાં બીજા સ્થાને રહ્યા છે, જેમને 66% રેટિંગ મળ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બિડેન 37% એપ્રુવલ રેટિંગ સાથે 8મા સ્થાન પર છે, જ્યારે આ જ સર્વેમાં ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની 41% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.


PM મોદીને મળ્યું 76 ટકા એપ્રૂવલ રેટિંગ 


ઉલ્લેખનિય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં મોર્નિંગ કન્સલ્ટે પીએમ મોદીને વૈશ્વિક સ્તરે સૌથી ભરોસાપાત્ર નેતા ગણાવ્યા હતા. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે 76 ટકા લોકોએ PM મોદીના નેતૃત્વને સમર્થન આપ્યું હતું. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે લોકપ્રિયતાના મામલે PM મોદીને 76 ટકા લોકોએ મંજૂરી આપી હતી. આ સર્વેમાં PM મોદી સિવાય અન્ય દેશોના નેતાઓ પણ આ સર્વેમાં સામેલ છે, જેમને તેમના કરતા ઓછા રેટિંગ મળ્યા છે. આમાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પણ સમાવેશ થાય છે.


સર્વેમાં સતત ટોચ પર રહ્યા PM મોદી


ગત સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું હતું કે 76 ટકા લોકોએ PM મોદીના નેતૃત્વને મંજૂરી આપી હતી અને તેમને સૌથી વિશ્વાસપાત્ર નેતા પણ કહ્યા હતા, જ્યારે માત્ર 18 ટકા લોકોએ તેમની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મોર્નિંગ કન્સલ્ટ ચૂંટાયેલા નેતાઓની સાપ્તાહિક મંજૂરી રેટિંગ બનાવે છે. PM મોદી સર્વેમાં સતત ટોચ પર રહ્યા છે, તેમની મંજૂરી રેટિંગ મોટે ભાગે 70 થી ઉપર છે. અમેરિકાના પ્રમુખ જો બિડેન 40% ની મંજૂરી રેટિંગ સાથે યાદીમાં સાતમા સ્થાને છે, જે માર્ચ પછી સપ્ટેમ્બરમાં તેમનો સૌથી વધુ હતો. આ સર્વે જી-20 સમિટના સમાપન બાદ કરવામાં આવ્યો હતો, જેમાં PM મોદીને સૌથી વધુ રેટિંગ મળ્યું હતું. યાદીમાં ટોચના 10 નેતાઓમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને સૌથી વધુ 58% નાપસંદ રેટિંગ મળ્યું હતું અને ટોપ ટેનની યાદીમાં તેઓ 10માં નંબરે હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.