PM નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોમાં કરી મુસાફરી, યુવતીએ સંસ્કૃતમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-17 16:24:03

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે  73મો જન્મદિવસ છે.  PM મોદીએ આજે ​​સવારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધીના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઉપરાંત  PM મોદીએ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું  હતું. આ દરમિયાન PM મોદીએ ધૌલા કુઆથી દ્વારકા સુધી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ તેમણે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વાતચીત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ PM મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. આ સમય દરમિયાન, મેટ્રોમાં મુસાફરી કરી રહેલી એક યુવતીએ તેને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા, જેણે દેશ અને દુનિયાના લોકોને તેની તરફ આકર્ષ્યા છે. યુવતીએ જે શૈલી અને ભાષામાં PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તે બધાને ચોંકાવી દે તેવી છે. આ જ કારણ છે કે યુવતીનો અભિનંદન આપતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


સંસ્કૃતમાં જન્મ દિવસના અભિનંદન સાંભળી PM મોદી થયા ખુશ


મેટ્રોમાં મુસાફરી કરતી વખતે યુવતી જ્યારે પીએમ મોદીને મળી ત્યારે તેણે સંસ્કૃત ભાષામાં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હા, આ એ જ સાંસ્કૃતિક ભાષા જે ભારતીય પરંપરામાં દેવોની ભાષા તરીકે પ્રચલિત છે, હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે સાંભળી શકો છો કે યુવતી પીએમ મોદીને કહે છે કે આજે તમારો જન્મદિવસ છે. હું તમને સંસ્કૃતમાં અભિનંદન આપવા માંગુ છું. છોકરીની વાત સાંભળીને પીએમ મોદીના ચહેરાની ઝલક જોવો જેવી છે. પીએમ પાસેથી સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવવાની પરવાનગી મળતાં જ યુવતીએ 'બર્થ ડે મિદાન...' શ્લોક ગાઈને તેમને શુભેચ્છા પાઠવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, યુવતીએ ગાયેલા શ્લોકનો અર્થ શું છે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.