PM નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોમાં કરી મુસાફરી, યુવતીએ સંસ્કૃતમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-17 16:24:03

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે  73મો જન્મદિવસ છે.  PM મોદીએ આજે ​​સવારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધીના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઉપરાંત  PM મોદીએ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું  હતું. આ દરમિયાન PM મોદીએ ધૌલા કુઆથી દ્વારકા સુધી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ તેમણે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વાતચીત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ PM મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. આ સમય દરમિયાન, મેટ્રોમાં મુસાફરી કરી રહેલી એક યુવતીએ તેને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા, જેણે દેશ અને દુનિયાના લોકોને તેની તરફ આકર્ષ્યા છે. યુવતીએ જે શૈલી અને ભાષામાં PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તે બધાને ચોંકાવી દે તેવી છે. આ જ કારણ છે કે યુવતીનો અભિનંદન આપતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


સંસ્કૃતમાં જન્મ દિવસના અભિનંદન સાંભળી PM મોદી થયા ખુશ


મેટ્રોમાં મુસાફરી કરતી વખતે યુવતી જ્યારે પીએમ મોદીને મળી ત્યારે તેણે સંસ્કૃત ભાષામાં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હા, આ એ જ સાંસ્કૃતિક ભાષા જે ભારતીય પરંપરામાં દેવોની ભાષા તરીકે પ્રચલિત છે, હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે સાંભળી શકો છો કે યુવતી પીએમ મોદીને કહે છે કે આજે તમારો જન્મદિવસ છે. હું તમને સંસ્કૃતમાં અભિનંદન આપવા માંગુ છું. છોકરીની વાત સાંભળીને પીએમ મોદીના ચહેરાની ઝલક જોવો જેવી છે. પીએમ પાસેથી સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવવાની પરવાનગી મળતાં જ યુવતીએ 'બર્થ ડે મિદાન...' શ્લોક ગાઈને તેમને શુભેચ્છા પાઠવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, યુવતીએ ગાયેલા શ્લોકનો અર્થ શું છે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.