PM નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોમાં કરી મુસાફરી, યુવતીએ સંસ્કૃતમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-17 16:24:03

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે  73મો જન્મદિવસ છે.  PM મોદીએ આજે ​​સવારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધીના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઉપરાંત  PM મોદીએ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું  હતું. આ દરમિયાન PM મોદીએ ધૌલા કુઆથી દ્વારકા સુધી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ તેમણે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વાતચીત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ PM મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. આ સમય દરમિયાન, મેટ્રોમાં મુસાફરી કરી રહેલી એક યુવતીએ તેને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા, જેણે દેશ અને દુનિયાના લોકોને તેની તરફ આકર્ષ્યા છે. યુવતીએ જે શૈલી અને ભાષામાં PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તે બધાને ચોંકાવી દે તેવી છે. આ જ કારણ છે કે યુવતીનો અભિનંદન આપતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


સંસ્કૃતમાં જન્મ દિવસના અભિનંદન સાંભળી PM મોદી થયા ખુશ


મેટ્રોમાં મુસાફરી કરતી વખતે યુવતી જ્યારે પીએમ મોદીને મળી ત્યારે તેણે સંસ્કૃત ભાષામાં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. હા, આ એ જ સાંસ્કૃતિક ભાષા જે ભારતીય પરંપરામાં દેવોની ભાષા તરીકે પ્રચલિત છે, હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે સાંભળી શકો છો કે યુવતી પીએમ મોદીને કહે છે કે આજે તમારો જન્મદિવસ છે. હું તમને સંસ્કૃતમાં અભિનંદન આપવા માંગુ છું. છોકરીની વાત સાંભળીને પીએમ મોદીના ચહેરાની ઝલક જોવો જેવી છે. પીએમ પાસેથી સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવવાની પરવાનગી મળતાં જ યુવતીએ 'બર્થ ડે મિદાન...' શ્લોક ગાઈને તેમને શુભેચ્છા પાઠવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, યુવતીએ ગાયેલા શ્લોકનો અર્થ શું છે?



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .