કમલમમાં PM મોદીએ ભાજપ નેતાઓનો લીધો ક્લાસ, પાર્ટી માટે કામે લાગી જવાની કરી તાકીદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:49:06

રાજ્યમાં ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાયે છે તેમ-તેમ શાસક પક્ષ ભાજપની ચિંતા વધી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ આ ચિંતાને ઉજાગર કરે છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે બે કલાક સુધી કમલમમાં બેઠક કરી હતી.



બેઠકમાં મોદીએ સભ્યોનો લીધો ક્લાસ


ભાજપની કોર કમિટીના સભ્યો સાથે કમલમમાં યોજેલી બેઠકમાં મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર પર ભાર મુક્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદીએ સભ્યોને લોકોમાં પ્રવર્તતી 'એન્ટી ઈન્કમ્બન્સીને ભૂલાવી દેવા તાત્કાલિક પગલા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. મોદીએ ત્રણ મહિનામાં ઉત્તમ પરિણામ લાવવા આંતરિક મતભેદો ભૂલીને પાર્ટી માટે કામે લાગી જવા જણાવ્યું હતું. અત્યાર સુધી ભાજપને માત્ર કોંગ્રેસ તરફથી જ પડકારનો સામનો કરવો પડતો હતો. જો કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, આપના નેતા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં લોકોને આકર્ષવા માટે ધડાઘડ મોટી જાહેરાતો કરતા ભાજપના અગ્રણી નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સંગઠનનું માળખુ પણ મજબુત બનાવી રહી છે.સ્થાનિક નેતાગીરીથી નારાજ મોદીએ ભાજપના નેતાઓ સાથે ભોજન લેવાનું પણ ટાળ્યું હતું.



'રેવડી કલ્ચર'એ ચિંતા વધારી


મોદીને સૌથી મોટી ચિંતા આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા છે. કેજરીવાલના 'રેવડી કલ્ચર' એ જ આપને દિલ્લી અને પંજાબમાં સત્તા અપાવી હતી. કેજરીવાલે રાજ્યની પ્રજાની રગ પારખીને  10 લાખ નોકરી, નોકરી ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા પ્રતિ માસનું બેરોજગારી ભથ્થું, 201-400 યૂનિટ સુધીના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી, આ સિવાય અરવિંદ કેજરીવાલે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સ્ત્રી સન્માન રાશિનો વાયદો કર્યો છે. સમાજના અન્ય વર્ગોની સમસ્યાઓને ધ્યાને રાખતાં વેપારીઓ અને આદિવાસી-વંચિત સમાજના લોકો માટે પણ મફત સ્વાસ્થ્ય, પારદર્શી વહીવટી તંત્રની સ્થાપના વગેરેની ગૅરંટી જાહેર કરી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.