Chattisgarhમાં ચૂંટણી ઢંઢોરો જાહેર થયા બાદ PM Modiએ કર્યો ચૂંટણી પ્રચાર, ગરીબો માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:39:05

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે. ત્યારે આજે છત્તીસગઢમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. છત્તીસગઢના દુર્ગમાં પીએમે જનસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે અનેક વાયદાઓ જનતાને કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોમાં વિશ્વાસ જગાવ્યો છે કે તેમની ગરીબી દૂર થઈ શકે છે. અમે એવી નીતિઓ બનાવી કે દરેક ગરીબ પોતાની ગરીબી ખતમ કરવા માટે સૌથી મોટો સૈનિક બનીને મોદીનો સાથી બની ગયો. મોદી માટે દેશની સૌથી મોટી જાતિ એક જ છે – ગરીબ.

ચૂંટણી ઢંઢેરો ભાજપે કર્યો છે જાહેર 

છત્તીસગઢ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જીતવા માટે પ્રયાસો રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મોદી કી ગેરંટી નામ હેઠળ આ ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. 


શું છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો? 

ભાજપ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

  

જનસભામાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર કર્યા પ્રહાર 

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં રેલીને સંબોધી હતી. જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોને છેતરપિંડી સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસ ક્યારેય ગરીબોનું સન્માન કરતી નથી. તે ગરીબોની પીડા અને વેદનાને ક્યારેય સમજી નહીં શકે. તે ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશના દરેક ઓબીસીને જણાવવું જોઈએ કે તે સમગ્ર ઓબીસી સમુદાયનો કેમ દુરુપયોગ કરી રહી છે? જો મોદી ઓબીસી છે તો આમાં સમગ્ર ઓબીસી સમાજનો શું વાંક?

કોંગ્રેસ વિશે જનસભામાં પીએમ મોદીએ કહી આ વાત 

પીએમ મોદીએ જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ કોંગ્રેસીઓ મોદીને દિવસ-રાત ગાળો આપે છે, હું દરરોજ 2થી 2.5 કિલો ગાળો ખાઉં છું. પરંતુ અહીંના મુખ્યમંત્રીએ દેશની તપાસ એજન્સીઓ અને દેશના સુરક્ષા દળોને પણ ગાળો આપવા લાગ્યા છે. આ સાથીઓ પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હું મારા ભાઈ-બહેનોને કહીશ કે આ મોદી છે અને તે ગાળો- અપશબ્દોથી ડરતા નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ લેવા માટે જ જનતાએ મોદીને દિલ્હી મોકલ્યો છે. જેણે અહીંના ગરીબોને લૂંટ્યા છે તેના પર કાર્યવાહી થઈને રહેશે. તેમની પાસેથી પાઈ પાઈનો હિસાબ લેવામાં આવશે.

 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.