Chattisgarhમાં ચૂંટણી ઢંઢોરો જાહેર થયા બાદ PM Modiએ કર્યો ચૂંટણી પ્રચાર, ગરીબો માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:39:05

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે. ત્યારે આજે છત્તીસગઢમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. છત્તીસગઢના દુર્ગમાં પીએમે જનસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે અનેક વાયદાઓ જનતાને કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોમાં વિશ્વાસ જગાવ્યો છે કે તેમની ગરીબી દૂર થઈ શકે છે. અમે એવી નીતિઓ બનાવી કે દરેક ગરીબ પોતાની ગરીબી ખતમ કરવા માટે સૌથી મોટો સૈનિક બનીને મોદીનો સાથી બની ગયો. મોદી માટે દેશની સૌથી મોટી જાતિ એક જ છે – ગરીબ.

ચૂંટણી ઢંઢેરો ભાજપે કર્યો છે જાહેર 

છત્તીસગઢ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જીતવા માટે પ્રયાસો રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મોદી કી ગેરંટી નામ હેઠળ આ ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. 


શું છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો? 

ભાજપ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

  

જનસભામાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર કર્યા પ્રહાર 

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં રેલીને સંબોધી હતી. જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોને છેતરપિંડી સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસ ક્યારેય ગરીબોનું સન્માન કરતી નથી. તે ગરીબોની પીડા અને વેદનાને ક્યારેય સમજી નહીં શકે. તે ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશના દરેક ઓબીસીને જણાવવું જોઈએ કે તે સમગ્ર ઓબીસી સમુદાયનો કેમ દુરુપયોગ કરી રહી છે? જો મોદી ઓબીસી છે તો આમાં સમગ્ર ઓબીસી સમાજનો શું વાંક?

કોંગ્રેસ વિશે જનસભામાં પીએમ મોદીએ કહી આ વાત 

પીએમ મોદીએ જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ કોંગ્રેસીઓ મોદીને દિવસ-રાત ગાળો આપે છે, હું દરરોજ 2થી 2.5 કિલો ગાળો ખાઉં છું. પરંતુ અહીંના મુખ્યમંત્રીએ દેશની તપાસ એજન્સીઓ અને દેશના સુરક્ષા દળોને પણ ગાળો આપવા લાગ્યા છે. આ સાથીઓ પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હું મારા ભાઈ-બહેનોને કહીશ કે આ મોદી છે અને તે ગાળો- અપશબ્દોથી ડરતા નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ લેવા માટે જ જનતાએ મોદીને દિલ્હી મોકલ્યો છે. જેણે અહીંના ગરીબોને લૂંટ્યા છે તેના પર કાર્યવાહી થઈને રહેશે. તેમની પાસેથી પાઈ પાઈનો હિસાબ લેવામાં આવશે.

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.