Chattisgarhમાં ચૂંટણી ઢંઢોરો જાહેર થયા બાદ PM Modiએ કર્યો ચૂંટણી પ્રચાર, ગરીબો માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:39:05

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે. ત્યારે આજે છત્તીસગઢમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. છત્તીસગઢના દુર્ગમાં પીએમે જનસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે અનેક વાયદાઓ જનતાને કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોમાં વિશ્વાસ જગાવ્યો છે કે તેમની ગરીબી દૂર થઈ શકે છે. અમે એવી નીતિઓ બનાવી કે દરેક ગરીબ પોતાની ગરીબી ખતમ કરવા માટે સૌથી મોટો સૈનિક બનીને મોદીનો સાથી બની ગયો. મોદી માટે દેશની સૌથી મોટી જાતિ એક જ છે – ગરીબ.

ચૂંટણી ઢંઢેરો ભાજપે કર્યો છે જાહેર 

છત્તીસગઢ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જીતવા માટે પ્રયાસો રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મોદી કી ગેરંટી નામ હેઠળ આ ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. 


શું છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો? 

ભાજપ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

  

જનસભામાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર કર્યા પ્રહાર 

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં રેલીને સંબોધી હતી. જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોને છેતરપિંડી સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસ ક્યારેય ગરીબોનું સન્માન કરતી નથી. તે ગરીબોની પીડા અને વેદનાને ક્યારેય સમજી નહીં શકે. તે ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશના દરેક ઓબીસીને જણાવવું જોઈએ કે તે સમગ્ર ઓબીસી સમુદાયનો કેમ દુરુપયોગ કરી રહી છે? જો મોદી ઓબીસી છે તો આમાં સમગ્ર ઓબીસી સમાજનો શું વાંક?

કોંગ્રેસ વિશે જનસભામાં પીએમ મોદીએ કહી આ વાત 

પીએમ મોદીએ જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ કોંગ્રેસીઓ મોદીને દિવસ-રાત ગાળો આપે છે, હું દરરોજ 2થી 2.5 કિલો ગાળો ખાઉં છું. પરંતુ અહીંના મુખ્યમંત્રીએ દેશની તપાસ એજન્સીઓ અને દેશના સુરક્ષા દળોને પણ ગાળો આપવા લાગ્યા છે. આ સાથીઓ પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હું મારા ભાઈ-બહેનોને કહીશ કે આ મોદી છે અને તે ગાળો- અપશબ્દોથી ડરતા નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ લેવા માટે જ જનતાએ મોદીને દિલ્હી મોકલ્યો છે. જેણે અહીંના ગરીબોને લૂંટ્યા છે તેના પર કાર્યવાહી થઈને રહેશે. તેમની પાસેથી પાઈ પાઈનો હિસાબ લેવામાં આવશે.

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.