Chattisgarhમાં ચૂંટણી ઢંઢોરો જાહેર થયા બાદ PM Modiએ કર્યો ચૂંટણી પ્રચાર, ગરીબો માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:39:05

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે. ત્યારે આજે છત્તીસગઢમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. છત્તીસગઢના દુર્ગમાં પીએમે જનસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે અનેક વાયદાઓ જનતાને કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોમાં વિશ્વાસ જગાવ્યો છે કે તેમની ગરીબી દૂર થઈ શકે છે. અમે એવી નીતિઓ બનાવી કે દરેક ગરીબ પોતાની ગરીબી ખતમ કરવા માટે સૌથી મોટો સૈનિક બનીને મોદીનો સાથી બની ગયો. મોદી માટે દેશની સૌથી મોટી જાતિ એક જ છે – ગરીબ.

ચૂંટણી ઢંઢેરો ભાજપે કર્યો છે જાહેર 

છત્તીસગઢ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જીતવા માટે પ્રયાસો રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મોદી કી ગેરંટી નામ હેઠળ આ ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. 


શું છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો? 

ભાજપ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

  

જનસભામાં સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર કર્યા પ્રહાર 

ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં રેલીને સંબોધી હતી. જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોને છેતરપિંડી સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસ ક્યારેય ગરીબોનું સન્માન કરતી નથી. તે ગરીબોની પીડા અને વેદનાને ક્યારેય સમજી નહીં શકે. તે ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશના દરેક ઓબીસીને જણાવવું જોઈએ કે તે સમગ્ર ઓબીસી સમુદાયનો કેમ દુરુપયોગ કરી રહી છે? જો મોદી ઓબીસી છે તો આમાં સમગ્ર ઓબીસી સમાજનો શું વાંક?

કોંગ્રેસ વિશે જનસભામાં પીએમ મોદીએ કહી આ વાત 

પીએમ મોદીએ જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ કોંગ્રેસીઓ મોદીને દિવસ-રાત ગાળો આપે છે, હું દરરોજ 2થી 2.5 કિલો ગાળો ખાઉં છું. પરંતુ અહીંના મુખ્યમંત્રીએ દેશની તપાસ એજન્સીઓ અને દેશના સુરક્ષા દળોને પણ ગાળો આપવા લાગ્યા છે. આ સાથીઓ પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. હું મારા ભાઈ-બહેનોને કહીશ કે આ મોદી છે અને તે ગાળો- અપશબ્દોથી ડરતા નથી. ભ્રષ્ટાચારીઓનો હિસાબ લેવા માટે જ જનતાએ મોદીને દિલ્હી મોકલ્યો છે. જેણે અહીંના ગરીબોને લૂંટ્યા છે તેના પર કાર્યવાહી થઈને રહેશે. તેમની પાસેથી પાઈ પાઈનો હિસાબ લેવામાં આવશે.

 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.