PM Modiએ દેશના જવાનો સાથે ઉજવી દિવાળી, Himachal Pradeshના Lepcha પહોંચ્યા પીએમ મોદી, કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-11-12 15:14:48

સમગ્ર દેશમાં દિવાળી પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આપણે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે દેશની રક્ષા કરવા માટે સીમાઓ પર દેશના જવાનો તૈનાત હોય છે. આપણે આપણા પરિવારના સભ્યો સાથે તહેવારની ઉજવણી કરી શકીએ તે માટે તે પોતાના પરિવારથી દૂર છે. ત્યારે દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી દર વર્ષે જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદીએ એ પરંપરાને જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે.

દર વર્ષે પીએમ મોદી દેશના જવાનો સાથે મનાવે છે દિવાળી 

દેશના જવાનો સાથે પીએમ મોદી દર વર્ષે દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પર જાય છે જવાનો સાથે પર્વ મનાવતા હોય છે. 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આનાથી આગળ વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે વર્ષ 2020માં દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી રાજસ્થાનના જેસલમેરમાં પહોંચ્યા હતા. રાજૌરી જિલ્લાના નૌશહરામાં વર્ષ 2021ની દિવાળી સેલિબ્રેટ કરી હતી અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી. ત્યારે 2023માં પણ પીએમ મોદીએ આ પરંપરાને જાળવી રાખી છે. આ વખતે પણ પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળી ઉજવી છે.

દેશવાસીઓને પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છા 

દિવાળી પર્વની શુભકામના પણ પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉજવણીની અનેક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેમાં પીએમ મોદી દેશના જવાનોને મીઠાઈ ખવડાવી રહ્યા છે. તે ઉપરાંત પીએમ મોદીએ દેશના જવાનોને પણ સંબોધિત કર્યા હતા. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .