PM Modiએ દેશના જવાનો સાથે ઉજવી દિવાળી, Himachal Pradeshના Lepcha પહોંચ્યા પીએમ મોદી, કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-11-12 15:14:48

સમગ્ર દેશમાં દિવાળી પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આપણે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે દેશની રક્ષા કરવા માટે સીમાઓ પર દેશના જવાનો તૈનાત હોય છે. આપણે આપણા પરિવારના સભ્યો સાથે તહેવારની ઉજવણી કરી શકીએ તે માટે તે પોતાના પરિવારથી દૂર છે. ત્યારે દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી દર વર્ષે જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદીએ એ પરંપરાને જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે.

દર વર્ષે પીએમ મોદી દેશના જવાનો સાથે મનાવે છે દિવાળી 

દેશના જવાનો સાથે પીએમ મોદી દર વર્ષે દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પર જાય છે જવાનો સાથે પર્વ મનાવતા હોય છે. 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આનાથી આગળ વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે વર્ષ 2020માં દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી રાજસ્થાનના જેસલમેરમાં પહોંચ્યા હતા. રાજૌરી જિલ્લાના નૌશહરામાં વર્ષ 2021ની દિવાળી સેલિબ્રેટ કરી હતી અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી. ત્યારે 2023માં પણ પીએમ મોદીએ આ પરંપરાને જાળવી રાખી છે. આ વખતે પણ પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળી ઉજવી છે.

દેશવાસીઓને પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છા 

દિવાળી પર્વની શુભકામના પણ પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉજવણીની અનેક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેમાં પીએમ મોદી દેશના જવાનોને મીઠાઈ ખવડાવી રહ્યા છે. તે ઉપરાંત પીએમ મોદીએ દેશના જવાનોને પણ સંબોધિત કર્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.