PM Modiએ વધાર્યો ISROના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ, જે જગ્યા પર Chandrayaan-3એ લેન્ડ કર્યું તે જગ્યા હવે ઓળખાશે આ નામથી, PMએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:14:34

સ્પેસ સાયન્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. જે ક્ષણે ચંદ્રયાને લેન્ડિંગ કર્યું તે ક્ષણ ભારતના ઈતિહાસમાં યાદગાર ક્ષણ બનીને અંકિત થઈ ગયું. ભારતનું નામ એ દેશોના નામની યાદીમાં સામેલ થઈ ગયું જેમણે ચંદ્ર પર પોતાનું યાન ઉતાર્યું હોય. ભારત ચોથું દેશ બન્યું છે. જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડિંગ થયું હતું ત્યારે પીએમ મોદી વિદેશની ધરતી પર હતા. ઓનલાઈન તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ત્યારે ભારત પરત આવીને પીએમ મોદીએ ઈસરોની મુલાકાત લીધી હતી અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. સંબોધન વખતે પીએમ મોદીએ મોટી જાહેરાત કરી કે જે સ્થળ પર ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું હતું તે જગ્યાને, તે સ્પોટને શિવશક્તિ નામથી ઓળખવામાં આવશે.

જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યાને ઓળખાશે શિવ શક્તિ નામથી 

23 ઓગસ્ટના રોજ લેન્ડ થયેલા ચંદ્રયાન-3એ ભારતને એક મુકામ પર મૂકી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતાએ વિશ્વસ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ થયું ત્યારે પીએમ મોદી વિદેશની મુલાકાતે હતા. ગ્રીસથી આજે સવારે પરત આવ્યા અને તરત ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા પહોંચ્યા હતા. બેંગ્લુરૂ એર્પોર્ટ પર જ્યારે તે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા માટે ઉત્સુક છે. દિલ્હી જવાની બદલીમાં તેઓ ઈસરો પહોંચ્યા હતા અને ત્યારે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો. સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઘોષણા કરી કે જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યા હવે શિવશક્તિ નામથી ઓળખાશે. તે પણ જાહેરાત કરી કે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડેના રૂપમાં મનાવવામાં આવશે. 


કેન્દ્ર સરકાર દ્વારા અનેક જગ્યાઓના કરવામાં આવ્યા છે નામકરણ 

મહત્વનું છે કે જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી અલગ અલગ જગ્યાઓને નવા નામ આપવામાં આવી રહ્યા છે. જગ્યાઓનું નામકરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે નામ નથી બદલવામાં આવ્યું પરંતુ નવું નામ આપવામાં આવ્યું છે. ભારતની અનેક જગ્યાઓનું તો નામ બદલવામાં આવ્યું છે પરંતુ હવે તો ચંદ્ર પર આવેલી જગ્યાઓને પણ નામ આપવામાં આવી રહ્યા છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.