PM Modiએ વધાર્યો ISROના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ, જે જગ્યા પર Chandrayaan-3એ લેન્ડ કર્યું તે જગ્યા હવે ઓળખાશે આ નામથી, PMએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:14:34

સ્પેસ સાયન્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. જે ક્ષણે ચંદ્રયાને લેન્ડિંગ કર્યું તે ક્ષણ ભારતના ઈતિહાસમાં યાદગાર ક્ષણ બનીને અંકિત થઈ ગયું. ભારતનું નામ એ દેશોના નામની યાદીમાં સામેલ થઈ ગયું જેમણે ચંદ્ર પર પોતાનું યાન ઉતાર્યું હોય. ભારત ચોથું દેશ બન્યું છે. જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડિંગ થયું હતું ત્યારે પીએમ મોદી વિદેશની ધરતી પર હતા. ઓનલાઈન તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ત્યારે ભારત પરત આવીને પીએમ મોદીએ ઈસરોની મુલાકાત લીધી હતી અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. સંબોધન વખતે પીએમ મોદીએ મોટી જાહેરાત કરી કે જે સ્થળ પર ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું હતું તે જગ્યાને, તે સ્પોટને શિવશક્તિ નામથી ઓળખવામાં આવશે.

જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યાને ઓળખાશે શિવ શક્તિ નામથી 

23 ઓગસ્ટના રોજ લેન્ડ થયેલા ચંદ્રયાન-3એ ભારતને એક મુકામ પર મૂકી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતાએ વિશ્વસ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ થયું ત્યારે પીએમ મોદી વિદેશની મુલાકાતે હતા. ગ્રીસથી આજે સવારે પરત આવ્યા અને તરત ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા પહોંચ્યા હતા. બેંગ્લુરૂ એર્પોર્ટ પર જ્યારે તે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા માટે ઉત્સુક છે. દિલ્હી જવાની બદલીમાં તેઓ ઈસરો પહોંચ્યા હતા અને ત્યારે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો. સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઘોષણા કરી કે જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યા હવે શિવશક્તિ નામથી ઓળખાશે. તે પણ જાહેરાત કરી કે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડેના રૂપમાં મનાવવામાં આવશે. 


કેન્દ્ર સરકાર દ્વારા અનેક જગ્યાઓના કરવામાં આવ્યા છે નામકરણ 

મહત્વનું છે કે જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી અલગ અલગ જગ્યાઓને નવા નામ આપવામાં આવી રહ્યા છે. જગ્યાઓનું નામકરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે નામ નથી બદલવામાં આવ્યું પરંતુ નવું નામ આપવામાં આવ્યું છે. ભારતની અનેક જગ્યાઓનું તો નામ બદલવામાં આવ્યું છે પરંતુ હવે તો ચંદ્ર પર આવેલી જગ્યાઓને પણ નામ આપવામાં આવી રહ્યા છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.