PM Modiએ વધાર્યો ISROના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ, જે જગ્યા પર Chandrayaan-3એ લેન્ડ કર્યું તે જગ્યા હવે ઓળખાશે આ નામથી, PMએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:14:34

સ્પેસ સાયન્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. જે ક્ષણે ચંદ્રયાને લેન્ડિંગ કર્યું તે ક્ષણ ભારતના ઈતિહાસમાં યાદગાર ક્ષણ બનીને અંકિત થઈ ગયું. ભારતનું નામ એ દેશોના નામની યાદીમાં સામેલ થઈ ગયું જેમણે ચંદ્ર પર પોતાનું યાન ઉતાર્યું હોય. ભારત ચોથું દેશ બન્યું છે. જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડિંગ થયું હતું ત્યારે પીએમ મોદી વિદેશની ધરતી પર હતા. ઓનલાઈન તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ત્યારે ભારત પરત આવીને પીએમ મોદીએ ઈસરોની મુલાકાત લીધી હતી અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. સંબોધન વખતે પીએમ મોદીએ મોટી જાહેરાત કરી કે જે સ્થળ પર ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું હતું તે જગ્યાને, તે સ્પોટને શિવશક્તિ નામથી ઓળખવામાં આવશે.

જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યાને ઓળખાશે શિવ શક્તિ નામથી 

23 ઓગસ્ટના રોજ લેન્ડ થયેલા ચંદ્રયાન-3એ ભારતને એક મુકામ પર મૂકી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતાએ વિશ્વસ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ થયું ત્યારે પીએમ મોદી વિદેશની મુલાકાતે હતા. ગ્રીસથી આજે સવારે પરત આવ્યા અને તરત ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા પહોંચ્યા હતા. બેંગ્લુરૂ એર્પોર્ટ પર જ્યારે તે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા માટે ઉત્સુક છે. દિલ્હી જવાની બદલીમાં તેઓ ઈસરો પહોંચ્યા હતા અને ત્યારે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો. સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઘોષણા કરી કે જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું હતું તે જગ્યા હવે શિવશક્તિ નામથી ઓળખાશે. તે પણ જાહેરાત કરી કે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડેના રૂપમાં મનાવવામાં આવશે. 


કેન્દ્ર સરકાર દ્વારા અનેક જગ્યાઓના કરવામાં આવ્યા છે નામકરણ 

મહત્વનું છે કે જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી અલગ અલગ જગ્યાઓને નવા નામ આપવામાં આવી રહ્યા છે. જગ્યાઓનું નામકરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે નામ નથી બદલવામાં આવ્યું પરંતુ નવું નામ આપવામાં આવ્યું છે. ભારતની અનેક જગ્યાઓનું તો નામ બદલવામાં આવ્યું છે પરંતુ હવે તો ચંદ્ર પર આવેલી જગ્યાઓને પણ નામ આપવામાં આવી રહ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.